ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર

પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર : પર્યાવરણની ભૂસ્તરશાસ્ત્ર પર થતી અસરનો અભ્યાસ. ભૂસ્તરરચના માટેનાં દ્રવ્યો તૈયાર કરવા માટે જરૂરી બધાં જ ક્રિયાશીલ પરિબળો પર, દ્રવ્યોમાંથી રચાતી નિક્ષેપક્રિયા પર તેમજ તત્કાલીન જીવંત પ્રાણીઓ કે વનસ્પતિ પર અને ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા બાહ્ય સંજોગોની સંયુક્ત અસરનો અભ્યાસ જે શાખા દ્વારા કરી શકાય તેને પર્યાવરણીય…

વધુ વાંચો >

પર્યુષણ

પર્યુષણ : જૈનોનું ઉત્કૃષ્ટ ધાર્મિક પર્વ. શ્રાવણના છેલ્લા ચાર અને ભાદરવાના પહેલા ચાર એમ આઠ દિવસની સળંગ ધર્મારાધનાના આ મહાન પર્વનો મહિમા જૈન ધર્મમાં ઘણો છે. દિગંબર જૈનો આઠને બદલે દસ દિવસનું પર્યુષણપર્વ આરાધે છે તેથી તેને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. વર્ષાઋતુમાં ઉત્પન્ન થતા જીવોની હિંસા-હાનિને નિવારવાના હેતુથી જૈન સાધુઓ…

વધુ વાંચો >

પર્લ, માર્ટિન લેવિસ

પર્લ, માર્ટિન લેવિસ (જ. 24 જૂન 1927, બ્રુકલીન, ન્યૂયૉર્ક; અ. 30 સપ્ટેમ્બર 2014, કૅલિફૉર્નિયા) : ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે મૂળભૂત કણોના પ્રખર અભ્યાસી અને 1995ના ભૌતિકવિજ્ઞાન વિષયના નોબેલ પુરસ્કાર વિજેતા. આ પુરસ્કાર તેમને ફ્રેડરિક રેઈનની ભાગીદારીમાં મળ્યો હતો. ઉચ્ચઅભ્યાસ તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં કર્યો અને 1955-63 સુધી મિશિગન યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કર્યું. 1963થી તે…

વધુ વાંચો >

પર્લમુટ્ટર, સાઉલ (Perlmutter, Saul)

પર્લમુટ્ટર, સાઉલ (Perlmutter, Saul) (જ. 22 સપ્ટેમ્બર 1959, શેમ્પેનઅર્બાના, ઈલિનૉય, યુ.એસ.એ.) : સુપરનોવાના નિરીક્ષણ દ્વારા પ્રવેગથી વિસ્તરતા જતા બ્રહ્માંડની શોધ માટે 2011નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કારનો અર્ધભાગ તેમને મળ્યો હતો તથા બીજો અર્ધભાગ બ્રાયન શ્મિટ તથા આદમ રીઝ વચ્ચે વિભાજિત થયો હતો. પર્લમુટ્ટરના પિતા યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયામાં…

વધુ વાંચો >

પર્લ હાર્બર આક્રમણ

પર્લ હાર્બર આક્રમણ : હવાઈના ઓહુ ટાપુ ઉપરના પર્લ હાર્બરમાં યુનાઇટેડ સ્ટેટ્સના નૌકામથક ઉપર 7 ડિસેમ્બર, 1941ના રોજ જાપાને એકાએક કરેલો હવાઈ હુમલો. તેના સીધા પરિણામ રૂપે 8 ડિસેમ્બરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સે જાપાન સામે યુદ્ધ જાહેર કરીને બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ કર્યો. છેલ્લા દાયકાથી યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચેના બગડતા જતા…

વધુ વાંચો >

પર્વતારોહણ

પર્વતારોહણ : પર્વત પર આરોહણ કરવાની પ્રવૃત્તિ. પર્વતારોહણનું નામ સાંભળતાં જ દૃષ્ટિ સમક્ષ નગાધિરાજ હિમાલય ખડો થાય છે. ભારતમાં સાત પર્વતમાળાઓ છે : (1) હિમાલય, (2) પટકી, (3) વિંધ્ય, (4) સાતપુડા, (5) અરવલ્લી, (6) સહ્યાદ્રિ, (7) પૂર્વ અને પશ્ચિમ ઘાટ. હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. તેની લંબાઈ 2400 કિમી.…

વધુ વાંચો >

પર્વતો (mountains)

પર્વતો (mountains) પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો. પર્વતો મોટે ભાગે તો હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે; જેમ કે, અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે. સમુદ્રસપાટીથી 610 મીટર કે…

વધુ વાંચો >

પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય

પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય : પર્શિયા એટલે કે ઈરાનનાં પ્રાચીન શિલ્પ અને સ્થાપત્ય. ઈરાન ભારત અને મિસરની પેઠે પોતાના પ્રાચીન વારસાનું ગૌરવ ધરાવે છે. અહીંનાં ખંડેરો ઐતિહાસિક દસ્તાવેજો સમાન છે. તેમનું મૂલ્ય ઘણું છે. તે ઈરાનના પ્રાચીન માહાત્મ્યની સાક્ષી આપે છે. ઈરાનીઓએ એમના લાંબા ઇતિહાસ દરમિયાન બીજી પ્રજાઓ પાસેથી સ્થાપત્યના…

વધુ વાંચો >

પર્સિપોલીસ

પર્સિપોલીસ : નૈર્ઋત્ય ઈરાનના ફાર્સ પ્રાંતના શીરાઝથી ઈશાન ખૂણે 50  કિમી.એ આવેલી ઈરાનની પ્રાચીન રાજધાની. તે એકિમેનિયન વંશના રાજાઓનું વસંતઋતુનું પાટનગર હતું. આ સ્થળે રાજમહેલો વગેરેના સંકુલનું બાંધકામ ઈ.પૂ. 518માં દૅરિયસ પહેલા(521-485 ઈ. સ. પૂ.)ના સમયમાં શરૂ થયું હતું. ત્યારબાદ ઝકર્સીઝ પહેલાએ તે કામ ચાલુ રાખ્યું હતું અને તેના અનુગામી…

વધુ વાંચો >

પર્સિપોલીસ મહેલ

પર્સિપોલીસ મહેલ : પ્રાચીન પર્શિયાના આ શહેરમાંનો અવશેષરૂપ ભવ્ય મહેલ. દૅરિયસ પહેલાએ તેના બાંધકામની શરૂઆત કરી. ઝકર્સીઝ પહેલા(ઈ. સ. પૂ. 486-465)એ એનું મોટાભાગનું બાંધકામ કરાવ્યું અને અર્તાઝકર્સીઝ પહેલાએ ઈ. સ. પૂ. 460માં તેનું બાંધકામ સંપૂર્ણ કરાવ્યું. ખડકાળ જમીન પર 15 મી.ની ઊભણી પર 460 x 270 મી.ના ઘેરાવામાં તેની રચના…

વધુ વાંચો >

નઈ તાલીમ

Jan 1, 1998

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

Jan 1, 1998

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

Jan 1, 1998

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

Jan 1, 1998

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

Jan 1, 1998

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

Jan 1, 1998

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

Jan 1, 1998

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

Jan 1, 1998

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

Jan 1, 1998

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

Jan 1, 1998

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >