૧૦.૧૨
નારંગીથી નાસદીય સૂક્ત
નારાયણપાલ
નારાયણપાલ : ઈ. સ.ની 9મી સદીમાં થયેલ બંગાળના પાલ વંશનો રાજા. ઈ. સ.ની 8મી સદીમાં બંગાળમાં પાલ વંશનું રાજ્ય સ્થપાયું હતું. તેની સ્થાપના ગોપાલ નામના રાજાએ કરી હતી. એ પોતે બૌદ્ધ-ધર્મી હતો અને એના વંશજો પણ બૌદ્ધ ધર્મ પાળતા હતા. એણે લગભગ ઈ. સ. 750થી 770 સુધી રાજ્ય કર્યું. એના…
વધુ વાંચો >નારાયણમૂર્તિ, એન. આર.
નારાયણમૂર્તિ, એન. આર. (જ. 20 ઑક્ટોબર 1946, સિદ્દલઘાટ, જિલ્લો કોલાર, કર્ણાટક) : વ્યવસ્થાપનક્ષેત્રના નિષ્ણાત તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારતની ઇન્ફોસિસ ટૅકનૉલૉજી સૉફ્ટવેર કંપનીના સ્થાપક ચૅરમૅન. પિતા શાળાના શિક્ષક તથા માતા જમીનદાર પરિવારમાં જન્મેલાં. કુટુંબમાં બે પુત્રો તથા પાંચ પુત્રીઓ; જેમાં નારાયણમૂર્તિ પાંચમું સંતાન. પરિવારનું કદ મોટું, પિતાની માસિક આવક આશરે…
વધુ વાંચો >નારાયણ રેડ્ડી, સી.
નારાયણ રેડ્ડી, સી. (જ. 29 જુલાઈ, 1931, હનુમાજિપેઠ, જિ. કરીમનગર, આંધ્ર પ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન પંડિત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મેન્ટાલુ માનવડુ’ (‘બ્લેઝિઝ ઍન્ડ હ્યૂમન્સ’, 1970) બદલ 1973ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી અને તેના તેલુગુ-વિભાગમાં અધ્યાપક…
વધુ વાંચો >નારાયણ, વિનીત
નારાયણ, વિનીત (જ. 18 એપ્રિલ 1956, મોરાદાબાદ) : ભારતીય પત્રકાર. મુખ્ય તંત્રી, કાલચક્ર સમાચાર ટ્રસ્ટ. કાલચક્ર સમાચાર ટ્રસ્ટના નેજા હેઠળ ‘કાલચક્ર’ નામે અડધા કદનું (tabloid) હિન્દી પાક્ષિક તથા ‘તેજ’ નામે વીડિયો સામયિક પ્રગટ થાય છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જન્મેલા વિનીત નારાયણે ઉચ્ચ શિક્ષણ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં લીધું. 1974થી ’77ના અરસામાં…
વધુ વાંચો >નારાયણશતકમ્
નારાયણશતકમ્ (પંદરમી શતાબ્દી) : તેલુગુ કાવ્ય. મધ્યયુગમાં પૌરાણિક કથાઓને તેલુગુમાં કાવ્યદેહ આપનાર કવિ પોતના બમ્મેર પ્રારંભમાં શિવભક્ત હતા. એમણે શિવભક્તિનાં સંખ્યાબંધ કાવ્યો રચ્યાં છે. પાછળથી એ વિષ્ણુભક્ત બન્યા. એમનો વ્યવસાય ખેતીનો હતો. એમનું પૌરાણિક ગ્રંથોનું જ્ઞાન પ્રશસ્ય હતું. એમણે શ્રીમદભાગવતને આધારે વિષ્ણુના અવતારો વિશે આ મુક્તકો રચ્યાં છે. એમાં મત્સ્ય,…
વધુ વાંચો >નારાયણ, શ્યામ
નારાયણ, શ્યામ (જ. 25 જુલાઈ 1922, ખાહિ કાસિમ, સિંધ; અ. 10 જાન્યુઆરી 1989, દિલ્હી) : સિંધી કવિ. તેમનું મૂળ નામ નારાયણ ગોકળદાસ નાગબાણી હતું, પણ નારાયણ તરીકે તે જાણીતા છે. 18 વરસની ઉંમરે કાવ્ય રચવાની પ્રેરણા થઈ હતી. 1970માં તેમને ‘વારીખ ભર્યો પલાંદ’ (1968) કાવ્યસંગ્રહ માટે સાહિત્ય એકૅડેમીનું પારિતોષિક મળ્યું…
વધુ વાંચો >નારાયણ સરોવર
નારાયણ સરોવર : કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના પશ્ચિમ છેડે કોરી ખાડી પર આવેલું સરોવર તેમજ પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 35’ ઉ. અ. અને 68° 30’ પૂ. રે.. આ સ્થળ કચ્છના રણની પશ્ચિમ ધાર પર આવેલું હોવાથી તેની આજુબાજુનો પ્રદેશ શુષ્ક, વેરાન અને તદ્દન આછી વનસ્પતિ ધરાવે છે.…
વધુ વાંચો >નારાયણ હેમચંદ્ર
નારાયણ હેમચંદ્ર (જ. 1855, મુંબઈ; અ. 1909, મુંબઈ) : અલગારી સ્વભાવના ગુજરાતી લેખક, અનુવાદક. પ્રકૃતિએ ‘વિચિત્ર પુરુષ’. અમેરિકામાં ‘અસભ્ય પહેરવેશ’ બદલ તેમની ધરપકડ થયેલી. કરસનદાસ મૂળજીનો દેશાટન વિશેનો નિબંધ વાંચી તેમનામાં વાચન-ભ્રમણની ભૂખ ઊઘડી. તેઓ પ્રવાસશોખીન અને જ્ઞાનપિપાસુ હતા. ‘સુબોધપત્રિકા’માં અને ‘જગદારશી’ના નામથી ‘નૂરે આલમ’માં લખતા. દયાનંદ સરસ્વતી જેવા ધર્મસુધારકો…
વધુ વાંચો >નારિયેળી
નારિયેળી : એકદળી વર્ગમાં આવેલા એરીકેસી (પામી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cocos nucifera Linn. (સં. નારિકેલ; હિં. નારિયલ; બં. દાબ, નારિકેલ; મ. નારેલ; નારળી, તે. કૉબ્બારિચેટ્ટુ, ટેંકાયા, તા. ટેન્નામારં, ટેંકાઈ, ક. ટેંગુ, ટેંગિનમારા, મલા, થેન્ના, નારિકેલમ; ફા. જોજહિંદી, અ નારજીલ, અં. કોકોનટ પામ) છે. તે લગભગ 24 મી.…
વધુ વાંચો >નારીનરકેશિતા (hirsutism)
નારીનરકેશિતા (hirsutism) : સ્ત્રીના શરીર પર પુરુષોની માફક વ્યાપક વિસ્તારમાં અને વધુ પ્રમાણમાં ઊગતા વાળવાળો વિકાર. વ્યક્તિના શરીર પર 2 પ્રકારના વાળ હોય છે : રુવાંટી અથવા રોમ (vellus) અને પુખ્ત કેશ (terminal hair). રોમ ઝીણું અને રંગ વગરનું હોય છે અને તે બાળકોમાં જોવા મળે છે. કેશ જાડા (coarser)…
વધુ વાંચો >નારંગી
નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ; તે. નારંગમુ; ફા. નારંજ, અં લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની…
વધુ વાંચો >નારાયણ (ઋષિ)
નારાયણ (ઋષિ) : વૈદિક ઋષિ. વેદ અને પુરાણ મુજબ તે અદભુત સામર્થ્યવાળા ગણાયા છે. સકળ જગતના આધાર પરમાત્મા તરીકે તેમને માનવામાં આવ્યા છે. ઋગ્વેદના પ્રસિદ્ધ પુરુષસૂક્ત(10/90)ના દ્રષ્ટા ઋષિ નારાયણ છે. શતપથ બ્રાહ્મણ અને શાંખાયન શ્રૌતસૂત્રમાં નારાયણ વિષ્ણુનો પર્યાય શબ્દ લેખાયો છે, જ્યારે તૈત્તિરીય આરણ્યક અને મહાભારત નારાયણને વિષ્ણુ કે કૃષ્ણ…
વધુ વાંચો >નારાયણગંજ
નારાયણગંજ : બાંગ્લાદેશમાં આવેલા ઢાકા જિલ્લાનો વહીવટી વિભાગ અને શહેર. આ વિભાગ 23° 34´ થી 24° 15´ ઉ. અ. અને 90° 27´થી 90° 56´ પૂ. રે.. વચ્ચે આવેલો છે. તે 759.6 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. પ્રાદેશિક ભૌગોલિક અનુકૂળતાને કારણે વસ્તીનું પ્રમાણ ગીચ છે. દર ચોકિમી. મુજબ લગભગ 575 વ્યક્તિઓ…
વધુ વાંચો >નારાયણ ગુરુ
નારાયણ ગુરુ (જ. 20 ઑગસ્ટ 1854, ચેમ્પાઝન્તી; અ. 20 સપ્ટેમ્બર 1928, બરકમ) : કેરળમાં થઈ ગયેલા સમાજ-સુધારક સંત. તિરુવનંતપુરમથી 11 કિલોમીટરના અંતરે આવેલા ચેમ્પાઝન્તી ગામે ડાંગરના ખેતરમાં સાંઠાઘાસની ઝૂંપડીમાં એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા કેરળની મલયાળમ…
વધુ વાંચો >નારાયણ ચૂર્ણ
નારાયણ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. ચિત્રક, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, જીરું, હપુષા, ઘોડાવજ, અજમો, પીપરીમૂળ, વરિયાળી, તલવણી, બોડી અજમોદ, કચૂરો, ધાણા, વાવડિંગ, કલોંજી જીરું, દારૂડી, પુષ્કરમૂળ, સાજીખાર, જવખાર, સિંધવ, સંચળ, બીડલવણ, મીઠું, વડાગરું મીઠું અને કઠ – એ ઓગણત્રીસ ઔષધો એક એક ભાગ, ઇંદ્રવારુણીનાં મૂળ બે ભાગ, નસોતર…
વધુ વાંચો >નારાયણતીર્થ (નારાયણયતિ)
નારાયણતીર્થ (નારાયણયતિ) (1800 આસપાસ) : શંકરાચાર્યની પરંપરામાં થયેલા સંન્યાસી લેખક. તેઓ પરમહંસ પરિવ્રાજકાચાર્ય રામગોવિંદતીર્થ અને વાસુદેવતીર્થ એ બંને સંન્યાસી ગુરુઓના શિષ્ય હતા. શંકરાચાર્યની પરંપરામાં હોવાથી શાંકરવેદાન્તી અથવા કેવલાદ્વૈતવાદી હતા. નારાયણતીર્થનો સમય 1800ની આસપાસનો હતો. શંકરાચાર્યે રચેલી ‘દશશ્લોકી’ ઉપર મધુસૂદન સરસ્વતીએ શાંકર વેદાન્તના મુખ્ય સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરતો ‘સિદ્ધાન્તતત્વબિંદુ’, નામનો ગ્રંથ લખ્યો…
વધુ વાંચો >નારાયણ તૈલ
નારાયણ તૈલ : આયુર્વેદિક ઔષધિ. અશ્વગંધા, બલામૂળ, બીલીનું મૂળ, કાળીપાટ, ઊભી ભોંરિંગણી, બેઠી ભોંરિંગણી, ગોખરુ, અતિબલા, લીમડાની છાલ, શ્યોનાકનું મૂળ, સાટોડીનાં મૂળ, પ્રસારિણીનું મૂળ તથા અરણીનું મૂળ – આ દરેક ઔષધ સરખા પ્રમાણમાં લઈ અધકચરું ખાંડીને સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળી લે છે. પછી…
વધુ વાંચો >નારાયણન વી. (ડૉ.)
નારાયણન વી. (ડૉ.) (જ. 14 મે, 1964, મેલાકટ્ટુવેલાઈ, કન્યાકુમારી, તમિળનાડુ): રૉકેટ વૈજ્ઞાનિક અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા(ISRO)ના નવા અધ્યક્ષ. 14 જાન્યુઆરી, 2024ના રોજ એસ. સોમનાથને સ્થાને ISROના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો અને સાથે સાથે ભારત સરકારના અંતરિક્ષ વિભાગના સચિવ પણ બન્યા. તેમનો કાર્યકાળ બે વર્ષ રહેશે. અગાઉ તેઓ વલિયામાલા સ્થિત…
વધુ વાંચો >નારાયણન્ કે. આર. (કોચેરિલ રમણ)
નારાયણન્, કે. આર. (કોચેરિલ રમણ) (જ. 27 ઑક્ટોબર, 1920, ઉઝહવ્વુર, કેરળ; અ. 9 નવેમ્બર, 2005 નવી દિલ્હી) : ભારતના તેરમા રાષ્ટ્રપ્રમુખ અને અનુભવી પ્રશાસક. પિતાનું નામ રમણ વૈદ્યન્. દલિત વર્ગમાંથી રાષ્ટ્રપ્રમુખના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર તેઓ દેશના પ્રથમ નાગરિક છે. 1992-97 દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હતા. તેઓ અંગ્રેજી વિષય સાથે…
વધુ વાંચો >નારાયણ પંથ
નારાયણ પંથ : વિષ્ણુભક્તિમાં માનતો સંપ્રદાય. વૈષ્ણવ પરંપરામાં નારાયણીય નામસ્મરણ અને ધ્યાનની સાધનાને કારણે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સત્તરમા સૈકામાં સંત હરિદાસે આ પંથની સ્થાપના કરી હતી. આ પંથમાં ઈશ્વર તરીકે નારાયણનો સ્વીકાર કરવામાં આવેલો છે, જેના પરથી તે નારાયણીય પંથ તરીકે ઓળખાય છે. નારાયણ સિવાય બીજા કોઈ દેવને આ…
વધુ વાંચો >