સલોની નટવરલાલ જોશી

ણાયકુમારચરિઉ

ણાયકુમારચરિઉ (સં. નાગકુમારચરિત) (દસમી સદી) : પ્રસિદ્ધ કવિ પુષ્પદંત દ્વારા 9 સંધિઓમાં અપભ્રંશ ભાષામાં રચાયેલું ‘નાગકુમારચરિત’ એ પ્રાચીન ભારતીય સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. શ્રીપંચમીવ્રતનું મહત્વ દર્શાવતી આ કૃતિની રચના કવિએ માન્યખેટના રાજાના મંત્રી નન્નની પ્રેરણાથી કરી. કવિએ પોતાની કૃતિમાં રચનાકાળનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી; પરંતુ આંતરબાહ્ય પ્રમાણો પરથી તેમનો સમય…

વધુ વાંચો >

ણિસીહસુત્ત

ણિસીહસુત્ત (સં. નિશીથસૂત્ર) : જૈન પરંપરાનું મુખ્યત્વે પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ દર્શાવતું પ્રાકૃત ભાષામાં રચેલું શાસ્ત્ર. આગમ વર્ગીકરણ અનુસાર ‘ણિસીહસુત્ત’નો સમાવેશ છેદસૂત્ર અંતર્ગત કરવામાં આવે છે. આચારાંગ સૂત્રની અંતિમ (પાંચમી) ચૂર્ણિ ‘આયાર પગય્ય’ (આચાર પ્રકલ્પ) જે પરિશિષ્ટ રૂપે હતી, તે તેના પ્રતિપાદ્ય વિષયની ગોપનીયતાના કારણે ‘નિશીથસૂત્ર’ના નામે પ્રચલિત બની અને…

વધુ વાંચો >

દર્શનસાર

દર્શનસાર (ઈ. સ. 853) : જૈનાભાસો વિશે ચર્ચા કરતો પ્રાકૃતમાં લખાયેલો ગ્રંથ. એમાંની એકાવન ગાથામાં મુખ્યત્વે મિથ્યા મતોનું અને જૈનાભાસોનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના સંગ્રહકર્તા દિગંબરાચાર્ય દેવસેનસૂરિ છે. અંતિમ પ્રશસ્તિગાથાઓના આધારે કૃતિની રચના 853માં થયેલી નિર્ણીત છે. આ ગ્રંથમાં વિવિધ દસ મતોની ઉત્પત્તિ દર્શાવવામાં આવી છે, જેમાં બૌદ્ધ,…

વધુ વાંચો >

દેવસેન

દેવસેન (ઈ. સ. 893–943) : દિગંબર જૈન આચાર્ય. દેવસેન વિમલસેન ગણધરના શિષ્ય હતા. પોતાની કૃતિ ‘દર્શનસાર’માં તેમણે બધા સંઘોને જૈનાભાસ તરીકે ઓળખાવ્યા હોવાથી સંભવત: તેઓ મૂળસંઘના હશે એવો નથ્થુરામ પ્રેમીનો મત છે. માથુર સંઘની ગુર્વાવલિ અનુસાર તેઓ વિમલગણિના શિષ્ય તથા અમિતગતિ પ્રથમના પુત્ર હતા. તેમણે સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ગ્રંથો લખ્યા હતા.…

વધુ વાંચો >

ધરસેન

ધરસેન (ઈ. સ. 38—106) : દિગંબર જૈન લેખક. દિગંબર જૈન આમ્નાયમાં ધરસેનાચાર્યનું નામ પ્રસિદ્ધ છે. કંઠોપકંઠ ચાલી આવતા શ્રુતજ્ઞાનને લિપિબદ્ધ કરવા માટે સર્વપ્રથમ ઉપદેશ તેમણે આપ્યો હતો. તે ચૌદ પૂર્વો અંતર્ગત અગ્રાપયણી પૂર્વની કર્મપ્રકૃતિ નામના અધિકારના જ્ઞાતા હતા. આ જ્ઞાન તેમણે ગુરુપરંપરાથી પ્રાપ્ત કર્યું હતું. બુદ્ધિના ક્રમિક હ્રાસને પ્રત્યક્ષ જોતાં,…

વધુ વાંચો >

પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ)

પરમપ્પપયાસુ (પરમાત્મપ્રકાશ) (ઈ. સ.ની દસમી સદી) : અપભ્રંશ ભાષામાં જૈન અધ્યાત્મવિચાર વ્યક્ત કરતી જોઇન્દુ(યોગીન્દુ)ની સબળ કૃતિ. કૃતિમાંથી કર્તા વિશે વિશેષ માહિતી મળતી નથી. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી. ડૉ. એ. એન. ઉપાધ્યે તેમનો સમય ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી માને છે તો રાહુલ સાંકૃત્યાયન દસમી શતાબ્દી. દેવનાગરી અને કન્નડ લિપિમાં…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ)

પાઇઅકહાસંગહો (પ્રાકૃતકથાસંગ્રહ) : પ્રાકૃત ભાષામાં લખાયેલી 12 કથાઓનો સંગ્રહ. પદ્મચન્દ્રસૂરિના કોઈ અજ્ઞાત નામના શિષ્યે ‘વિક્રમસેનચરિત્ર’ નામની પ્રાકૃત કૃતિની (ઈ. સ. 1342 પહેલાં) રચના કરી હતી. આ કથાપ્રબંધમાંની ચૌદ કથાઓમાંથી ‘પાઇઅકહાસંગહો’માં બાર કથાઓ સંગૃહીત કરવામાં આવી છે. આ કથાસંગ્રહના કર્તા કે સમય અંગે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. આ સંગ્રહમાં દાન,…

વધુ વાંચો >

પાંડવપુરાણ

પાંડવપુરાણ : પાંડવોની વાર્તા જૈન પરંપરા મુજબ વર્ણવતો ગ્રંથ. તે સંસ્કૃતમાં રચાયેલી કૃતિ છે. તેના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તેઓ ભટ્ટારક વિજયકીર્તિના શિષ્ય અને જ્ઞાનભૂષણના પ્રશિષ્ય હતા. પોતાના શિષ્ય શ્રીપાલવર્ણીની સહાયથી શુભચન્દ્રે આ કૃતિની રચના વાગડ પ્રાન્તના સાગવાડા નગરના આદિનાથ મંદિરમાં રહીને વિક્રમસંવત 1608(ઈ. સ. 1552)ના ભાદ્રપદ માસની બીજના દિવસે…

વધુ વાંચો >

પ્રાકૃત કલ્પતરુ (17મી સદી)

પ્રાકૃત કલ્પતરુ (17મી સદી) : પ્રાકૃત ભાષા-વિભાષાઓનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃત કલ્પતરુ’ની રચના રામશર્મા તર્કવાગીશ ભટ્ટાચાર્યે કરી હતી. તેમનો સમય સત્તરમી શતાબ્દી મનાય છે. ‘પ્રાકૃત કલ્પતરુ’ની સ્વોપજ્ઞવૃત્તિ મળે છે. ‘પ્રાકૃત કલ્પતરુ’ ત્રણ શાખામાં વિભાજિત છે : પ્રથમ શાખામાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો નવ સ્તબકમાં આપવામાં આવ્યાં છે, જેમાં અજ્, હલ્, દ્વિત્વ, સન્ધિ, સુબન્ત,…

વધુ વાંચો >