વીણા શેઠ

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’

પટેલ, ગોપાળદાસ જીવાભાઈ, ‘વાચક’ (જ. 28 એપ્રિલ 1905, કરમસદ, જિ. ખેડા; અ. 2 જુલાઈ 1996) : ગુજરાતી લેખક. ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા બાદ મગનભાઈ દેસાઈની સાથે તે જ સંસ્થાના કાર્યમાં જોડાઈ ગયા. પ્રથમ પુરાતત્ત્વમંદિરના અને ત્યારપછી ગ્રંથાલય-સમિતિના મંત્રી તરીકે સેવા આપી. ગાંધીજીના તેઓ સાચા સિપાઈ હતા. બધી લડતોમાં સક્રિય ભાગ…

વધુ વાંચો >

પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ)

પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ) (જ. 8 ઑગસ્ટ 1906, અંકલેશ્વર; અ. 18 માર્ચ 1970, વડોદરા) : ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’, ‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘યશોબાલા’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અન્ય ઉપનામો. વતન અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી મહેસૂલ તથા કેળવણી ખાતામાં નોકરી કરી. 1946થી 1948 સુધી ‘ગુજરાત’ દૈનિકના સાહિત્યવિભાગનું સંપાદનકાર્ય કર્યું. નર્મદા વિશેનું તેમનું પ્રથમ…

વધુ વાંચો >

પત્રસાહિત્ય

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં…

વધુ વાંચો >

પરમાર, દેશળજી કહાનજી

પરમાર, દેશળજી કહાનજી (જ. 13 જાન્યુઆરી 1894, સરદારગઢ; અ. 12 ફેબ્રુઆરી 1966, ગોંડલ) : ગુજરાતી કવિ. ગણોદ(તા. ગોંડલ)ના વતની. 1912માં મૅટ્રિક. 1916માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ.. કાયદાના વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા, પણ 1918માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. 1922માં અમદાવાદની વનિતાવિશ્રામ શાળામાં શિક્ષક તરીકે આવ્યા. એ દરમિયાન…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પંડ્યા ચંદ્રશંકર નર્મદાશંકર

પંડ્યા, ચંદ્રશંકર નર્મદાશંકર (જ. 16 જૂન 1884, નડિયાદ; અ. 23 ડિસેમ્બર 1937) : કવિ, નિબંધકાર. ગુજરાતી અને અંગ્રેજી અભ્યાસ નડિયાદમાં કર્યો. સાહિત્યપ્રીતિના અંકુર બાળપણથી જ ફૂટ્યા હતા. અંગ્રેજી બીજા ધોરણમાં હતા ત્યારે ‘તાબૂત’ વિશે પહેલો નિબંધ લખ્યો હતો. અંગ્રેજી પાંચમા ધોરણમાં હતા ત્યારે નાટક અને કવિતા લખવાની શરૂઆત કરેલી. આ…

વધુ વાંચો >

પંડ્યા દોલતરામ કૃપાશંકર

પંડ્યા, દોલતરામ કૃપાશંકર (જ. 8 માર્ચ 1856, નડિયાદ; અ. 18 નવેમ્બર 1915, નડિયાદ) : ગુજરાતી કવિ. પોતાના વતન નડિયાદમાં પ્રાથમિક શિક્ષણ લઈ મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં વધુ અભ્યાસાર્થે જોડાયા. પિતાના અવસાનને કારણે અભ્યાસ છોડી વતન પાછા ફર્યા. શરૂઆતમાં વકીલાતનો વ્યવસાય સ્વીકાર્યો અને ત્યારપછી લુણાવાડામાં તેર વર્ષ દીવાનપદે રહ્યા. તેમણે ગુજરાત બૅંચ…

વધુ વાંચો >

ફાગુ

ફાગુ : સામાન્યત: વસંત સાથે – ફલ્ગુ સાથે સંબદ્ધ મધ્યકાલીન કાવ્યસ્વરૂપ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વસંતઋતુને–વસંતોત્સવને અનુલક્ષીને જે એક કાવ્યપ્રકાર ખીલ્યો તે ફાગુકાવ્ય. ‘ફાગુ’ શબ્દનું મૂળ ‘ફલ્ગુ’માં છે. પ્રાકૃત-અપભ્રંશમાં તેનું ‘ફગ્ગુ’ અને મધ્યકાલીન ગુજરાતીમાં ‘ફાગુ’ થયું. હેમચંદ્રાચાર્યે ‘દેશીનામમાલા’માં ‘ફગ્ગુ’ શબ્દનો અર્થ ‘વસંતોત્સવ’ કર્યો છે. ભોજે ‘સરસ્વતીકંઠાભરણ’માં ‘ફગ્ગુ’ શબ્દ મધુ-ઉત્સવના અર્થમાં પ્રયોજ્યો…

વધુ વાંચો >

બારમાસી (કાવ્ય)

બારમાસી (કાવ્ય) : ગુજરાતી મધ્યકાલીન ઊર્મિકવિતાનો એક પ્રકાર. આ કાવ્યપ્રકારમાં સામાન્ય રીતે 12 મહિનાનું પ્રકૃતિવર્ણન આવે છે. તેમાં બાર માસના વર્ણન નિમિત્તે કેટલેક અંશે પ્રકૃતિકવિતા પણ સાંપડે છે. ઉદ્દીપનવિભાવ તરીકે પ્રકૃતિવર્ણનની પાર્શ્વભૂ પર માનવભાવનું આલેખન થયું હોય છે. આ માનવભાવ લોકોત્તર-પૂજનીય પાત્રો દ્વારા વ્યક્ત થતો હોવાથી આવી કવિતા આપોઆપ ભક્તિ…

વધુ વાંચો >

બૃહત્ પિંગળ

બૃહત્ પિંગળ (1955) : ગુજરાતી કવિતાના સંદર્ભમાં પિંગળશાસ્ત્રની સર્વગ્રાહી ચર્ચા કરતો પ્રશિષ્ટ ગ્રંથ. ‘બૃહત્ પિંગળ’ રા. વિ. પાઠકના ગુજરાતી પિંગળના અધ્યયન અને સંશોધનનો નિચોડ આપતો, પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં વહેંચાયેલો લગભગ સાત સો પૃષ્ઠોમાં વિસ્તરેલો ઉત્તમ ગ્રંથ છે. તેમણે પિંગળની ર્દષ્ટિએ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કવિતાની અને ખાસ કરીને…

વધુ વાંચો >