વાસુદેવ યાજ્ઞિક

ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…

વધુ વાંચો >

એકર્ટ, જોહન પ્રેસ્પર

એકર્ટ, જોહન પ્રેસ્પર (જ. 9 એપ્રિલ 1919, પેન્સિલવેનિયા, યુ. એસ. એ. અ. 3 જૂન 1995 પેન્સિલવેનિયા, યુ. એસ. એ.) : ઇલેક્ટ્રૉનિક અંકીય (digital) કમ્પ્યૂટરનો સહશોધક અમેરિકન ઇજનેર. પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ઇજનેરની પદવીઓ મેળવીને (1941, 1943) તેમણે ભૌતિકશાસ્ત્રી જે. ડબ્લ્યૂ. મોકલીના સહયોગમાં ઇલેક્ટ્રૉનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર ઍન્ડ કેલ્ક્યુલેટર(ENIAC)ની ડિઝાઇન નક્કી કરીને તેનું નિર્માણ…

વધુ વાંચો >

એકેડિયન ભાષા

એકેડિયન ભાષા : એકેડિયન લોકોની ભાષા. સેન્ટ લૉરેન્સ નદીના દૂરના પ્રદેશથી ન્યૂ ફ્રાંસના દરિયાકિનારાના પ્રદેશને જુદો પાડવા માટે ફ્રેંચોએ તેને ‘એકેડી’ નામ આપ્યું. ‘એકેડિયા’ શબ્દના ઉદભવ અંગે ભિન્ન ભિન્ન મત છે. એક અભિપ્રાય અનુસાર તેનો સંબંધ મિકમેક ઇન્ડિયન શબ્દ ‘ઍલ્ગેટિક’ (algatic) સાથે છે, જેનો અર્થ થાય છે છાવણી કે વસાહત.…

વધુ વાંચો >

એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ

એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ (જ. 15 ડિસેમ્બર 1832, દજોન, ફ્રાન્સ; અ. 28 ડિસેમ્બર 1973, પૅરિસ) : ફ્રાન્સના પ્રસિદ્ધ સિવિલ ઇજનેર. તેમણે 1889માં જગપ્રસિદ્ધ એફિલ ટાવર બંધાવ્યો અને તે રીતે તેઓ જગપ્રસિદ્ધ બન્યા. તેમણે 1855માં સિવિલ ઇજનેરની ગ્રૅજ્યુએટ(ઇકોલે સેન્ત્રેઇલ દ આટર્સ એત મેન્યુફેક્ચરર્સ)ની પદવી મેળવી. એફિલ ટાવરના બાંધકામ પહેલાં તે પુલો અને…

વધુ વાંચો >

ઓડમ, યુજેન પી.

ઓડમ, યુજેન પી. (જ. 17 સપ્ટેમ્બર 1913, લેક સીનાપી એન. એચ. અમેરિકા) : પર્યાવરણક્ષેત્રે ક્રાંતિકારી વિચારધારાના પ્રવર્તક અમેરિકન વિજ્ઞાની. તેમણે પર્યાવરણના સંશોધનની પ્રયોગશાળા સ્થાપીને તે વિષયમાં આમૂલ પરિવર્તન કરી બતાવ્યું. સેવેન્નાહ રીવર ઈકૉલોજી પ્રયોગશાળામાં પાસેના જ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટની વાતાવરણ પર કેવી વિપરીત અસર થાય છે તે દર્શાવીને અણુવિજ્ઞાનીઓને ખતરનાક…

વધુ વાંચો >

કટર ચાર્લ્સ અમી

કટર, ચાર્લ્સ અમી (જ. 14 માર્ચ 1837, બોસ્ટન; અ. 6 સપ્ટેમ્બર 1903, ન્યૂ હેમ્પશાયર) : પ્રસિદ્ધ અમેરિકન ગ્રંથાલયશાસ્ત્રી. તેમનું નામ તેમની વિસ્તારશીલ વર્ગીકરણ (expansive classification) પદ્ધતિની શોધને લીધે ગ્રંથાલયશાસ્ત્રીઓમાં સૌથી અગ્રિમ હરોળમાં છે. વેસ્ટ કેમ્બ્રિજમાં, મેસેચૂસેટસ ખાતે તેઓ તેમના દાદા અને ત્રણ ફોઈઓ સાથે રહ્યા હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં…

વધુ વાંચો >

કબીર

કબીર (મધ્યકાલીન ધાર્મિક આંદોલનના અગ્રણી) (ઈ. સ. 1398–1518) : સ્વામી રામાનંદના શિષ્યોમાં સર્વાધિક મહત્વના સંભવતઃ એ સમયના સૌથી આગળ પડતા સંત હતા. તેઓ માબાપે ત્યજી દીધેલા અનાથ બાળક હતા અને વારાણસીના નિરૂ નામના મુસલમાન વણકરે તેમને ઉછેર્યા હતા. તેમણે ગૃહસ્થ જીવન ગાળ્યું અને વણકરકાર કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ભણ્યા ન…

વધુ વાંચો >

કબીરપંથ

કબીરપંથ : કબીરના નામે અનુયાયીઓએ ઊભો કરેલો અને બાર મુખ્ય શાખા ધરાવતો પંથ. સંત કબીર પંથ સ્થાપવામાં માનતા નહોતા. તેમના શિષ્યોમાં મુખ્ય ધર્મદાસ, સુરતગોપાલ, બિજલીખાં, વીરસિંહ બધેલા, જીવા, તત્ત્વા, જગ્ગૂદાસ (જાગૂદાસ) આદિ હતા. આમાંના ધર્મદાસ પટ્ટશિષ્ય હતા. કબીરના મૃત્યુ પછી ધર્મદાસે કબીરપંથની એક શાખા છત્તીસગઢમાં ચલાવી અને સુરતગોપાલે કાશીવાળી શાખા…

વધુ વાંચો >

કમલેશ્વર

કમલેશ્વર (જ. 6 જાન્યુઆરી 1932, મૈનપુરી, ઉ.પ્ર.) : હિંદીમાં વાર્તાઓ, નવલકથાઓ, સમીક્ષા, પ્રવાસકથા તથા નાટક અને સંસ્મરણોના લેખક અને સંપાદક. અભ્યાસ એમ.એ., ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય. તેમણે સાત નવલિકાસંગ્રહો અને આઠ નવલકથાઓ લખી છે. સમીક્ષક તરીકે 1966 સુધીમાં પ્રકાશિત થયેલી વાર્તાઓનું ‘નયી કહાની કી ભૂમિકા’માં વિવેચન કર્યું છે. સામયિક ‘સારિકા’માં પણ ‘મેરા…

વધુ વાંચો >

કમ્બાઇન

કમ્બાઇન : ખેતીમાં લણવાની તથા અનાજના દાણા છૂટા પાડવાની એમ બે ક્રિયાઓ સંયુક્ત રીતે કરી આપતું યંત્ર. ઘોડાથી ખેંચાતું પ્રાથમિક પ્રકારનું આવું યંત્ર 1836માં ઉપયોગમાં આવેલું, પણ ટ્રૅક્ટરથી ખેંચાતાં કમ્બાઇન ઉપલબ્ધ થયાં ત્યાં સુધી (1930) આ યંત્રો સામાન્ય વપરાશમાં આવેલાં નહિ. સ્વચાલિત 2.5થી 5.5 મી.ના પટામાં કામ કરતાં કમ્બાઇન યંત્ર…

વધુ વાંચો >