બશીર  એહમદી

પાર્કિન્સનનો રોગ

પાર્કિન્સનનો રોગ : સ્નાયુઓના બળમાં ઘટાડો, આગળ નમીને લગભગ દોડતા હોય તેવી ચાલ અને કોઈ કાર્ય ન કરતા હોય ત્યારે થતી હાથની ધ્રુજારીવાળો રોગ. તેથી તેને સક્રિયક લકવો અથવા લકવાસમ પ્રકંપવા(paralysis agitans)ના નામે ઓળખવામાં આવે છે. 1817માં જેમ્સ પાર્કિન્સને તેને સૌપ્રથમ વર્ણવ્યો હતો. તેમણે એ વખતે નોંધ્યું હતું કે આ…

વધુ વાંચો >

પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease)

પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાકોષોનો વિકાર. સામાન્ય રીતે તે પુખ્ત વયે (40 વર્ષની વય પછી) પુરુષોમાં થાય છે. શરીરના સ્નાયુઓનું સંકોચન કરાવતા ચેતાકોષો(neurones)ને પ્રેરક ચેતાકોષો કહે છે. કરોડરજ્જુ અથવા મેરુરજ્જુ(spinal cord)ના આગળ તરફના ભાગમાં આવેલા ભૂખરા રંગના દ્રવ્યને અગ્રશૃંગ (anterior horn) કહે છે. તેમાં સ્નાયુઓનું…

વધુ વાંચો >

બેભાન-અવસ્થા

બેભાન-અવસ્થા બાહ્ય કે આંતરિક ઉત્તેજનાઓ છતાં દર્દી સચેતન ન થાય અને પ્રતિભાવ ન આપે તેવી સ્થિતિ. તેને અચેતનતા (unconsciousness) કહે છે. એવું મનાય છે કે જાહેર હૉસ્પિટલોના સંકટકાલીન સારવાર કક્ષ(intensive care unit)માં દાખલ થતા દર્દીઓમાંથી લગભગ 3 % દર્દીઓ બેભાનાવસ્થા(unconsciousness)માં હોય છે. મોટાભાગના કિસ્સામાં થતી બેભાનાવસ્થા શરીરમાંની રાસાયણિક પ્રક્રિયાઓના વિકારોને…

વધુ વાંચો >

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ

મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (Cerebrospinal Fluid, CSF) : મગજ અને કરોડરજ્જુ(મેરુરજ્જુ)ની આસપાસ તથા તેમની અંદરના પોલાણમાં વહન કરતું વિશિષ્ટ પ્રકારનું પેશીપ્રવાહી. મસ્તિષ્ક-મેરુરજ્જુ-જલ (મમે-જલ) મુખ્ય 3 કાર્યો કરે છે – મગજને બહારના આંચકાઓ સામે રક્ષણ આપે છે, તેમાંનાં ચયાપચયી શેષ-દ્રવ્યોને દૂર કરે છે અને તેના કોષોને ઑક્સિજન તથા પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. તેનાં…

વધુ વાંચો >

મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો

મસ્તિષ્કી રુધિરાભિસરણ અને તેના વિકારો મગજમાં લોહીનું પરિભ્રમણ અને તેના વિકારો થવા તે. મગજને મહાધમની(aorta)ની શાખાઓમાંથી ઉદભવતી 4 ધમનીઓ, ડાબી અને જમણી અંત:શીર્ષગત ધમનીઓ (internal carotid arteries) તથા ડાબી અને જમણી મણિકાગત ધમનીઓ (vertebral arteries) વડે લોહીનો પુરવઠો મળે છે. તે ઑક્સિજન તથા પોષણ લાવે છે તથા તેનો કચરો દૂર…

વધુ વાંચો >

મસ્તિષ્કી વીજાલેખન

મસ્તિષ્કી વીજાલેખન (electroencephalography) : મગજની વિદ્યુત-પ્રક્રિયાઓનો આલેખ નોંધવાની ક્રિયા. તેના આલેખને મસ્તિષ્કી વીજાલેખ (electroencephalogram, EEG) કહે છે. મગજના વિવિધ વિકારોના નિદાનમાં તે સરળ, સસ્તી અને આધારભૂત પદ્ધતિ ગણાય છે. માથા પરના વાળ જ્યાં સામાન્ય રીતે ઊગે તે ભાગને શીર્ષવલ્ક(scalp) કહે છે. મગજની વિદ્યુત-ક્રિયાને નોંધવા માટે શીર્ષવલ્ક પર બે જુદાં જુદાં…

વધુ વાંચો >

મૂત્રણ (micturition)

મૂત્રણ (micturition) : મૂત્રાશયમાં પેશાબનો સંગ્રહ કરીને તેને સમયાંતરે ખાલી કરવાની ક્રિયા. તેના પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. મૂત્રાશય(urinary bladder)ના મુખ્ય બે ભાગ છે – મૂત્રાશય-કાય તથા મૂત્રાશય-ત્રિભુજ (trigone). મૂત્રાશય-કાય એક પોલી તથા પેશાબના સંગ્રહ સાથે અમુક અંશે પહોળી થઈ શકતી કોથળી છે. તે મૂત્રક્ષેપી સ્નાયુ(detrusor muscle)ની બનેલી છે. મૂત્રાશયની…

વધુ વાંચો >

મૃત્યુ, મસ્તિષ્કી (brain death)

મૃત્યુ, મસ્તિષ્કી (brain death) : મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી થતું મૃત્યુ. શ્વસનકાર્ય અને હૃદય બંધ થવાથી મગજનું કાર્ય પણ અટકે છે અને મૃત્યુ થાય છે તેમ મગજનાં બધાં જ કાર્યો કાયમી ધોરણે બંધ થવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા અને હૃદયનું કાર્ય પણ બંધ થાય છે. તેથી તેવી સ્થિતિમાં…

વધુ વાંચો >

મેનિન્જાઇટિસ (તાનિકાશોથ)

મેનિન્જાઇટિસ (તાનિકાશોથ) : મગજ અને કરોડરજ્જુનાં આવરણોમાં ચેપ. મગજ અને કરોડરજ્જુનાં આવરણોને તાનિકાઓ (meningies) કહે છે અને તેથી તેમાં ચેપને કારણે પીડાકારક સોજાવાળા વિકારને તાનિકાશોથ (meningitis) કહે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં ફેલાતા કે લાગતા ચેપમાં મગજ, કરોડરજ્જુ તથા તેનાં આવરણો(તાનિકાઓ)ના ચેપનો સમાવેશ થાય છે. મગજના ચેપજન્ય વિકારને મસ્તિષ્કશોથ (encephalitis) તથા કરોડરજ્જુના…

વધુ વાંચો >

મેરુરજ્જુ–આઘાત

મેરુરજ્જુ–આઘાત (Spinal Shock) : કરોડરજ્જુની આખી પહોળાઈને અસર કરતા ઉગ્ર (acute) અને તીવ્ર (severe) રોગમાં કરોડરજ્જુની ક્રિયાશીલતા એકદમ બંધ થાય તે. તેને કારણે આવા સમયે પગના સ્નાયુઓમાં સતત સજ્જતા (spacity) અથવા અક્કડતાને બદલે અતિશય ઢીલાશ (મૃદુશિથિલતા, flaccidity) થઈ આવે છે. આવી સ્થિતિ થોડા દિવસ માટે અને ક્યારેક થોડાં અઠવાડિયાં માટે…

વધુ વાંચો >