Posts by Jyotiben
નાટક
નાટક : ભારતમાં ભારતમાં એનો ઇતિહાસ : ભારતમાં રંગભૂમિનો ઇતિહાસ રસિક છે, એટલો દુ:ખદ પણ છે. સંસ્કૃત નાટકો ભજવાતાં ત્યારે ક્યાં ભજવાતાં એ માટે રાજાના મહેલમાં એવી અટકળ કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં દેવમંદિરના મંડપમાં ભજવાતાં એવી નક્કર સાબિતીઓ પણ મળે છે. પણ એ બધી પ્રવૃત્તિઓ ચાલી ઈ. સ. ની બીજી સદીથી પાંચમી સદી…
વધુ વાંચો >નાટકલક્ષણરત્નકોશ
નાટકલક્ષણરત્નકોશ : તેરમી સદીમાં રચાયેલો નાટ્યશાસ્ત્રની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. તેમાં નાટક વગેરે રૂપક પ્રકારનાં વિભિન્ન તત્વોનાં લક્ષણરત્ન અર્થાત્ તેમની ઉત્તમ વ્યાખ્યાઓ એકઠી કરવામાં આવી હોવાથી તેને ‘નાટકલક્ષણરત્નકોશ’ એવું શીર્ષક લેખકે આપ્યું છે. તેનું સંક્ષિપ્ત નામ ‘રત્નકોશ’ એવું લેખકે પોતે જ આપ્યું છે. લેખકનું નામ સાગર છે, પરંતુ તેઓ નંદી વંશમાં જન્મ્યા હોવાથી પોતાને સાગર…
વધુ વાંચો >નાટેકર, નંદુ મહાદેવ
નાટેકર, નંદુ મહાદેવ (જ. 12 મે 1933) : ભારતનો વિખ્યાત બૅડમિન્ટન-ખેલાડી. નિશાળમાં વાંસકૂદકો, ટેનિસ અને બૅડમિન્ટનની રમતમાં કુશળતા ધરાવતો નંદુ નાટેકર 1951માં સાંગલી જુનિયર ઓપન ટેનિસ સ્પર્ધામાં વિજેતા બન્યો. પછીના વર્ષે એ મુંબઈ રાજ્યનો બૅડમિન્ટન-વિજેતા બન્યો. 1951માં નંદુ નાટેકરે રાષ્ટ્રીય જુનિયર ટેનિસ ફાઇનલમાં ભારતના પ્રસિદ્ધ ખેલાડી રામનાથન કૃષ્ણનનો મુકાબલો કર્યો હતો. ટેનિસ કે બૅડમિન્ટનમાંથી કઈ…
વધુ વાંચો >નાટેસન, જી. એ.
નાટેસન, જી. એ. (જ. 24 ઑગસ્ટ 1873, ગણપતિ અહરાહરમ, જિ. તાન્જાવુર, તમિળનાડુ; અ. 10 જાન્યુઆરી 1949, ચેન્નાઈ) : વિદ્વાન પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કુંભકોણમની હાઈસ્કૂલમાં તિરુચિરાપલ્લીની સેન્ટ જૉસેફ્સ કૉલેજમાં અને ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને 1897માં તેઓ સ્નાતક થયા. ત્યારપછી તેમના ભાઈ વૈદ્યરામને તેમને ‘મદ્રાસ ટાઇમ્સ’ના પ્રસિદ્ધ તંત્રી ગ્લીન બારલો…
વધુ વાંચો >નાટો
નાટો (North Atlantic Treaty Organization – NATO) : સોવિયેત સંઘના સંભાવ્ય આક્રમણને ખાળવાના હેતુથી યુરોપના સામૂહિક સંરક્ષણ માટે બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર રાષ્ટ્રોએ રચેલું લશ્કરી સંગઠન. પશ્ચિમી રાષ્ટ્રો અને સામ્યવાદીઓ વચ્ચે વર્ષો સુધી ચાલેલા શીત યુદ્ધમાંથી તેનો ઉદભવ થયો છે. તેની સ્થાપના થઈ ત્યારે આ સંગઠનમાં કોઈ લશ્કરી માળખું ન હતું. પરંતુ જૂન, 1950માં શરૂ…
વધુ વાંચો >નાટ્ટા, ગુલિયો
નાટ્ટા, ગુલિયો (જ. 26 ફેબ્રુઆરી 1903, જેનોઆ નજીક ઇમ્પેરિયામાં; અ. 2 મે 1979, બર્ગેમો, ઇટાલી) : નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી. તેમના પિતા જાણીતા ન્યાયાધીશ હતા. શરૂઆતમાં નાટ્ટાએ જેનોઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ મિલાન પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં રાસાયણિક ઇજનેરી ભણીને 21 વર્ષની ઉંમરે ડૉક્ટરેટ મેળવી તથા ત્રણ વર્ષ બાદ Libero Docente (શીખવવા માટેની ઉપાધિ) મેળવીને મિલાનમાં…
વધુ વાંચો >નાટ્ય ગઠરિયાં
નાટ્ય ગઠરિયાં (1970) : ગુજરાતી પ્રવાસવૃત્તાંત. ચંદ્રવદન ચી. મહેતાનો ગઠરિયાં ગ્રંથશ્રેણીમાંનો એક સુપ્રસિદ્વ પ્રવાસગ્રંથ. 1963–64થી 1968 સુધી યુરોપના જુદા જુદા દેશોમાં નાટ્યસ્પર્ધાના નિર્ણાયક તરીકે, પરિસંવાદમાં વક્તા તરીકે, અધિવેશનોમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કે પછી સરકારના નિમંત્રણથી વિશિષ્ટ મુલાકાતી તરીકે ચંદ્રવદને યુરોપના સ્પેન, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, પોલૅન્ડ, જર્મની, યુગોસ્લાવિયા જેવા વિવિધ દેશોનો અલગારી પ્રવાસ ખેડ્યો તેનો…
વધુ વાંચો >નાટ્યદર્પણ
નાટ્યદર્પણ (બારમી સદી) : નાટ્યલક્ષણગ્રંથ. કર્તા રામચન્દ્ર (આશરે ઈ. સ. 1100–1175) અને ગુણચન્દ્ર. બંને જૈન આચાર્ય હેમચન્દ્રના શિષ્યો. ગુણચન્દ્ર વિશે ખાસ માહિતી નથી, પણ રામચન્દ્ર એક આંખવાળો, આચાર્યનો પટ્ટધર શિષ્ય, અગિયાર સંસ્કૃત નાટકો રચનાર, પ્રબન્ધ-શત-કર્તા, અત્યંત વિદ્વાન, ગુજરાતના સિદ્ધરાજ (1093–1143), કુમારપાળ (1143–72), અજયપાળ (1172–75) વગેરે રાજાઓનો સમકાલીન. અજયપાળે એને તપાવેલા લાલચોળ તાંબા પર બેસવા ફરજ…
વધુ વાંચો >નાટ્યનિકેતન
નાટ્યનિકેતન : મરાઠી નાટ્યસંસ્થા. વીસમી સદીના બીજા દશકાના અંત સુધી મરાઠી નાટકોના ક્ષેત્રે સંગીતનાટકોનું પ્રચલન હતું. સંવાદો ગીતોમાં જ થતા અને સ્ત્રીપાત્રોનો અભિનય પણ પુરુષનટો જ કરતા. આ સંગીતના જાદુમાંથી નાટકને મુક્ત કરવા તથા નાટ્યકલાની શાસ્ત્રીય તાલીમ આપવા માટે નાટ્યવિદ મો. ગ. રાંગણેકર જેવા કુશળ અભિનેતા, દિગ્દર્શક તથા નાટકકાર અને નાટ્યનિષ્ણાતે 1922–23માં અભિનેતાઓને નાટ્યકલાનું સર્વાંગી…
વધુ વાંચો >નાટ્યરંગ
નાટ્યરંગ (1959) : મુંબઈની પ્રયોગશીલ નાટ્યસંસ્થા. રંગભૂમિ(સ્થાપના 1959)એ જેમ અનેક સાહિત્યિક નાટકો રજૂ કર્યાં, તેમ વિષ્ણુકુમાર વ્યાસ અને મધુકર રાંદેરિયા જેવા સાહિત્યપ્રેમી રંગકર્મીઓએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું નાટ્યસામયિક પણ પ્રસિદ્ધ કર્યું. આ સામયિકે અન્ય સામયિકો (‘ગુજરાતી નાટ્ય’, ‘એકાંકી’, ‘નાટક’ વગેરે) કરતાં વિશિષ્ટ છાપ એ રીતે ઊભી કરી કે એમાં ડી. જી. વ્યાસ અને અદી…
વધુ વાંચો >