ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આયોનિયન (પ્રજા)
આયોનિયન (પ્રજા) : આ નામે ઓળખાતા પ્રાચીન ગ્રીસનિવાસીઓ. એશિયા માઇનોર(અનાટોલિયા)ના પશ્ચિમ કિનારા પર હરમુસ (Hermus) તથા મેઇન્ડર (Maeander) નદીઓની વચ્ચેની સાંકડી પટ્ટીનો ભૂભાગ આયોનિયા નામથી ઓળખાય છે. પૂર્વના વતની એશિયાવાસીઓ તો બધી જ ગ્રીક પ્રજાને આયોનિયન પ્રજા તરીકે ઓળખતા રહ્યા છે. ડૉરિયનોના આક્રમણથી પોતાનો બચાવ કરવા માટે ઈ. સ. પૂ.…
વધુ વાંચો >આયોનિયન સમુદ્ર
આયોનિયન સમુદ્ર : ભૂમધ્ય સમુદ્રના મધ્યવિસ્તારમાં આવેલો ભાગ. ભૌગોલિક સ્થાન : તે આશરે 360થી 400 ઉ. અ. અને 150 થી 210 પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની પૂર્વ તરફ આલ્બેનિયા અને ગ્રીસ, પશ્ચિમ તરફ સિસિલી અને ઇટાલી તથા ઉત્તર તરફ ઍડિયાટ્રિક સમુદ્ર આવેલા છે. તે ઓટ્રન્ટોની સામુદ્રધુનીથી એડ્રિયાટિક સમુદ્ર સાથે…
વધુ વાંચો >આયૉનેસ્કો, યૂજિન
આયૉનેસ્કો, યૂજિન (જ. 26 નવેમ્બર 1912, સ્લાતિના, રુમાનિયા; અ. 28 માર્ચ 1994, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ નાટ્યકાર અને ઍબ્સર્ડ થિયેટરના પ્રણેતા. ફ્રેન્ચ માતા અને રુમાનિયન પિતાના પુત્ર. બાળપણ ફ્રાંસમાં વીત્યું. 1925 થી 1938સુધીનાં વર્ષો રુમાનિયામાં ગાળ્યાં. ત્યાં ફ્રેન્ચ ભાષાના શિક્ષકની લાયકાત મેળવી અને 1936 માં લગ્ન કર્યું. 1939 માં શિષ્યવૃત્તિ…
વધુ વાંચો >આયોવા
આયોવા : યુ. એસ.ની મધ્ય પશ્ચિમમાં આવેલું રાજ્ય. તે આશરે 400 3૦´ થી 430 3૦´ ઉ. અ. અને 9૦0 ૦૦´થી 970 00´ પ. રે. વચ્ચેનો1,45,752ચો.કિમી જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિનેસોટા, પૂર્વે વિસ્કૉન્સિન અને ઇલિનૉય, દક્ષિણે મિસૂરી તથા પશ્ચિમે નેબ્રાસ્કા અને દક્ષિણ ડાકોટા રાજ્યો આવેલાં છે. દેશના મધ્ય-પશ્ચિમમાં…
વધુ વાંચો >આર. આર. વીણાતારક
આર. આર. વીણાતારક (R. R. Lyrae) : એક પ્રકારના વીણા-તારામંડળ(Lyrae)માંના રૂપવિકારી (variable) તારા. વિલ્હેમ્લીના ફ્લેમિંગે (1899-1910)માં આ પ્રકારના 222 તારાઓ અને સ્ફોટક તારાઓ (novae) શોધી કાઢેલા. જે તારાઓના તેજમાં આવર્તી (periodic) વધઘટ થતી હોય તેમને પરિવર્તનશીલ કે રૂપવિકારી તારા કહે છે. તારો ઝાંખો બની પાછો મૂળ જેટલો તેજસ્વી થાય તેટલા…
વધુ વાંચો >આર. એન. એ.
આર. એન. એ. (Ribonucleic acid – RNA) : સજીવોનાં આનુવંશિક લક્ષણોના સંચારણ (transmission) માટે અગત્યના એવા રાઇબોન્યૂક્લિયોટાઇડ અણુએકમોના બહુલકો. પ્રત્યેક ન્યૂક્લિયોટાઇડમાં બેઇઝ તરીકે પ્યુરિન અથવા પિરિમિડાઇનનો એક અણુ હોય છે. તે રાઇબોઝ શર્કરા-અણુના પહેલા કાર્બન સાથે જોડાયેલો હોય છે, જ્યારે તેના પાંચમા કાર્બન સાથે ફૉસ્ફેટનો અણુ જોડાયેલો હોય છે. સામાન્યપણે…
વધુ વાંચો >આરકાન્સાસ (નદી)
આરકાન્સાસ (નદી) : યુ. એસ.માં આવેલી મિસિસિપી નદીને મળતી મોટી નદી. ભૌગોલિક સ્થાન : 340 00´ ઉ. અ. અને 910 00´ પ. રે. (સંગમસ્થળ). તે મધ્ય કૉલોરાડોમાં રૉકી પર્વતમાળામાંથી લીડવીલ નજીકની સવૉચ (Sawatch) હારમાળામાંથી નીકળે છે. ત્યાંથી તે અગ્નિ (પૂર્વ-અગ્નિ) તરફ 2,330 કિમી.ના અંતર માટે વહે છે. તે કૉલોરાડો, કાન્સાસ,…
વધુ વાંચો >આરકાન્સાસ (રાજ્ય)
આરકાન્સાસ (રાજ્ય) : યુ. એસ.નું દક્ષિણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : 330 થી 360 30૦’ ઉ. અ. અને 900 થી 940 30′ પ. રે.. તેની ઉત્તરે મિસુરી, દક્ષિણે લુઇઝ્યિાના, ઉત્તર-પૂર્વમાં ટેનિસી અને મિસિસિપી, પશ્ચિમે ટેક્સાસ અને ઓક્લાહોમા આવેલાં છે. લિટલ રૉક શહેર આ રાજ્યનું પાટનગર છે. રાજ્યનો વિસ્તાર 1,37,754 ચોકિમી. તથા…
વધુ વાંચો >આર. કે. ફિલ્મ્સ
આર. કે. ફિલ્મ્સ : ભારતીય ચલચિત્રનિર્માતા, નિર્દેશક તથા અભિનેતા રાજ કપૂર દ્વારા સ્થાપિત ચિત્રપટનિર્માણસંસ્થા. સ્થળ : આર. કે. સ્ટુડિયોઝ, ચેમ્બુર, મુંબઈ. વીસમી સદીના પાંચમા દાયકામાં 1948માં ચેમ્બુરમાં સ્થાપના થઈ હતી. આ સંસ્થાએ ચલચિત્રનિર્મિતિનું કાર્ય શરૂ કર્યું હતું. ‘આગ’ (1948) તેનું પ્રથમ સોપાન હતું. તે ઉપરાંત આ સંસ્થાને ઉપક્રમે ‘બરસાત’, ‘આવારા’,…
વધુ વાંચો >આર. ગણેશ
આર. ગણેશ (જ. 4 ડિસેમ્બર 1962, કોલાર, કર્ણાટક) : અવધાન કલાના અભ્યાસી, બહુભાષી, સંસ્કૃત અને કન્નડ ભાષાના લેખક. પૂરું નામ શતાવધાની ડૉ. આર. ગણેશ. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ગણેશનાં માતા કે. વી. અલ્મેલ્લામ્મા અને પિતા આર. શંકર નારાયણ અય્યર. તેમના પૂર્વજો દેવરાયાસમુદ્રમના વતની હતા. ગણેશનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બૅંગાલુરુમાં થયું.…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >