Sociology

કુટુંબકલ્યાણ કાર્યક્રમ

કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો…

વધુ વાંચો >

કુટુંબનિયોજન

કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને…

વધુ વાંચો >

કેળકર – લક્ષ્મીબાઈ ‘મૌસીજી’

કેળકર, લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ (જ. 6 જુલાઈ 1905, સાતારા, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1978, નાગપુર) : અગ્રણી સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રસેવિકા સમિતિનાં સંસ્થાપક. મૂળ નામ કમલ દાતે. પિતા ભાસ્કરરાવ કેન્દ્ર સરકારના નાગપુર ખાતેના એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં નોકરી કરતા હતા. માતાનું નામ યશોદાબાઈ. વતન સાતારા જિલ્લાનું બાવદાન ગામ. તેમના દાદા રામચંદ્ર…

વધુ વાંચો >

કોમ્ત ઑગસ્ત

કોમ્ત, ઑગસ્ત (જ. 19 જાન્યુઆરી 1798, મૉંત પેલિયર, દ. ફ્રાન્સ; અ. 5 સપ્ટેમ્બર 1857, પૅરિસ) : સમાજશાસ્ત્રના જન્મદાતા અને તેનો વ્યાપક ફેલાવો કરનાર ફ્રાન્સના પ્રસિદ્ધ વિચારક. આખું નામ કોન્ત ઈઝીદોર ઑગસ્ત મારિયા ફ્રાંસિસ ઝેવિયર્સ. ‘સમાજશાસ્ત્ર’ શબ્દ તથા તે વિજ્ઞાનનાં વિષયવસ્તુ અને પદ્ધતિની સર્વપ્રથમ ચર્ચા તેમણે કરી. તેથી તેમને ‘સમાજશાસ્ત્રના પિતા’…

વધુ વાંચો >

કોયાજી બાનુ જહાંગીર

કોયાજી, બાનુ જહાંગીર (જ. 7 સપ્ટેમ્બર 1917, મુંબઈ; અ. 15 જુલાઈ 2004, પુણે) : ‘પદ્મભૂષણ’ અને 1993ના વર્ષના રેમન મૅગ્સેસે પારિતોષિક-વિજેતા તબીબ, મહિલાઉત્કર્ષ, બાળવિકાસ અને જાહેરસેવાઓના ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્યમાં અનન્ય પ્રદાન કરનાર પારસી મહિલા. તેમના દાદા ભરૂચની ગ્રામીણ શાળાના આચાર્ય. પિતા પેસ્તનજી કાપડિયા વ્યવસાયે સ્થપતિ અને માતા બાપઈમાઈ નસરવાનજી મિસ્ત્રી…

વધુ વાંચો >

કોલ

કોલ : વિંધ્યાચલ તથા કૈમુર પહાડોમાં તેમજ નર્મદા, શોણ, ગંગા અને ચંબલની ઉપત્યકામાં વસતી દ્રાવિડ આદિવાસી પ્રજા. તેમની વસ્તી મધ્ય પ્રદેશના ઉત્તર ભાગમાં, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં, ઓરિસા તથા છોટાનાગપુરના પ્રદેશમાં છે. ડુક્કરનો શિકાર કરનારા કોલ ‘ડુકરાલા’ તરીકે ઓળખાય છે. છોટાનાગપુરના કોલ લડાયક માનસવાળા છે. તે મુંડા જાતિના છે અને…

વધુ વાંચો >

કોલધા

કોલધા : ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આદિમ અને આર્થિક રીતે પછાત અને અસ્પૃશ્ય ગણાતી આદિવાસી જાતિ. તેમની વસ્તી વલસાડ જિલ્લાના ધરમપુર, વાંસદા અને ચીખલી તાલુકાઓમાં તથા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છે. ભરૂચ તથા ડાંગ જિલ્લાઓમાં તેમની છૂટીછવાઈ વસ્તી છે. ચીખલી તાલુકાના ખેરગામમાં તેમની વસ્તી વિશેષ છે. 1981માં ગુજરાત રાજ્યમાં તેમની…

વધુ વાંચો >

કોળી

કોળી : પછાત ગણાતી જાતિઓ પૈકી એક. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમની વસ્તી છે. તેમના મૂળ વતન સિંધમાંથી આવીને તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મેદાનમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સાગરકાંઠે વસ્યા. ડૉ. વિલ્સન કોળીઓને ગુજરાતના મૂળ આદિવાસી માને છે. ટેલર તેમને ડાંગવાળા (clubman) કે પશુપાલન…

વધુ વાંચો >

કોંકણા

કોંકણા : કોંકણમાંથી સ્થળાંતર કરી આવેલી આદિવાસી જાતિ. તે કોંકણા કે કૂંકણા કુનબી (કણબી) તરીકે પણ ઓળખાય છે. તેમની વસ્તી ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર અને વાંસદા તાલુકાઓ અને સૂરત જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાઓમાં વિશેષ છે. હાથે હળ ખેંચતા કોંકણા હાથોડિયા તરીકે ઓળખાય છે. ડાંગ અને સૂરત જિલ્લામાં કુલ…

વધુ વાંચો >

ક્લબ

ક્લબ : સમાન અભિરુચિ કે હિતસંબંધ ધરાવતા લોકો દ્વારા વિશિષ્ટ હેતુ સિદ્ધ કરવા માટે સ્થપાયેલ સંસ્થા કે મંડળ. સામાન્ય માન્યતા મુજબ આવાં મંડળોમાં આનંદપ્રમોદ, આહારવિહાર, રમતગમત જેવી પ્રવૃત્તિઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે; પરંતુ કેટલાંક મંડળોમાં જુદા જુદા વિષયોને લગતી ચર્ચાસભાઓ પણ આયોજિત કરવામાં આવે છે. કેટલાંક મંડળો સામાજિક સેવાનાં…

વધુ વાંચો >