Religious mythology

લોકપાલ (ધર્મપુરાણ)

લોકપાલ (ધર્મપુરાણ) : પ્રાચીન ભારતીય પૌરાણિક ખ્યાલ. બ્રહ્માંડના જુદા જુદા વિભાગોનું રક્ષણ કરનારા દેવો. ‘લોકપાલ’ માટે જૉન ડૉવ્સને શબ્દ વાપર્યા છે supporters or guardian deities of world. તેઓ આઠ છે. આ લોકને ટકાવી રાખે છે, સંરક્ષણ કરે છે, પાળે છે. મનુસ્મૃતિ(597)માં એમનાં આ કાર્યની પણ નોંધ લેવામાં આવી છે –…

વધુ વાંચો >

લોમશ

લોમશ : એક મહર્ષિ. શરીર પર ઘણા રોમ હોવાને લઈને એમનું લોમશ નામ પડેલું. એને અંગે અનુશ્રુતિ છે કે સો વર્ષો સુધી તેમણે કમળપુષ્પોથી શિવજીની પૂજા કરી હતી તેથી તેમને વરદાન મળેલું કે કલ્પાંતે તેમના શરીર પરથી કેવળ એક રૂંવાડું ખરશે. તેઓ હંમેશ તીર્થાટન કરતા મોટા ધર્માત્મા હતા. તીર્થાટન વખતે…

વધુ વાંચો >

લ્યૂથર, માર્ટિન

લ્યૂથર, માર્ટિન (જ. 10 નવેમ્બર 1483, આઇસલબેન, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1546, આઇસલબેન) : ખ્રિસ્તી ધર્મના પ્રસિદ્ધ સુધારાવાદી અને પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયના પ્રવર્તક. તેમના પિતા તાંબાની ખાણમાં કામ કરતા હતા. તેઓ 1502માં બી. એ. અને 1505માં એમ.એ. થયા. તેમના પિતા તેમને ધારાશાસ્ત્રી બનાવવા ઇચ્છતા હતા, પરંતુ માર્ટિનને તો સંન્યસ્ત જીવન પસંદ…

વધુ વાંચો >

વચનામૃત

વચનામૃત : ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર સ્વામી સહજાનંદે (1781-1830) પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉદ્દેશીને કહેલાં બોધવચનો. ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક નવજાગૃતિ(renaissance)નો યુગ બેઠો તેનાં પ્રથમ કિરણો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફૂટ્યાં હતાં. ઈ. સ. 1800માં ખ્રિસ્તી ધર્મપ્રચારકો ગુજરાતમાં પ્રવેશહક્ક મેળવવા મથી રહ્યા હતા ત્યારે અયોધ્યા નજીક છપૈયા ગામના વતની…

વધુ વાંચો >

વજ્રસત્વ

વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં…

વધુ વાંચો >

વડતાલ

વડતાલ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલું નગર અને વૈષ્ણવ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 22° 36´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે.. વડતાલ જિલ્લામથક નડિયાદથી 16 કિમી. અને બોરિયાવીથી 6 કિમી.ને અંતરે આવેલું છે. વડતાલ આસપાસનો સમગ્ર પ્રદેશ ગોરાડુ જમીનવાળો, ફળદ્રૂપ અને સમતળ છે. વડતાલ…

વધુ વાંચો >

વરાહ (અવતાર)

વરાહ (અવતાર) : હિંદુ પુરાણોમાં માનવામાં આવેલો ભગવાન વિષ્ણુનો મુખ્ય અવતાર. કુલ દસ અવતારોમાં વિષ્ણુનો આ ત્રીજો અવતાર છે. હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો. આ યજ્ઞ વરાહ તરીકે જાણીતો અવતાર છે. છેક ઋગ્વેદમાં ઇંદ્ર દ્વારા વરાહના વધની કથા આવે છે. (ઋ.વે. 10/99/6) તૈત્તિરીય સંહિતામાં પ્રજાપતિએ વરાહ…

વધુ વાંચો >

વરાહપુરાણ

વરાહપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો ગ્રંથ. વરાહપુરાણ એક સાત્ત્વિક અને વૈષ્ણવ પુરાણ છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં છુપાવેલી તેનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વીએ વરાહને પૂછેલા પ્રશ્ર્નોના ઉત્તર રૂપે આ પુરાણ કહેવાયું છે. આ ઉપલબ્ધ પુરાણના 12,000 શ્ર્લોકો અને 218 અધ્યાયો છે. ધાર્મિક પૂજન-અર્ચન, વ્રત-ઉપવાસ, તીર્થો, યાત્રાનાં સ્થાનો,…

વધુ વાંચો >

વરુણ

વરુણ : એક વૈદિક દેવતા. સંસ્કૃત કોશકારો ‘વરુણ’થી ચાર વ્યક્તિઓને ઓળખે છે : (1) વરુણ સર્વશ્રેષ્ઠ વૈદિક દેવતા છે. તેમનાં બે સ્વરૂપો છે : બંધક વરુણ – સમગ્ર સૃદૃષ્ટિને તેની નૈસર્ગિક શક્તિઓને આયોજનપૂર્વક નિયમોથી બાંધી રાખે છે. શાસક વરુણ સમગ્ર સૃદૃષ્ટિ પર શાસન કરે છે. તેઓ રાજા છે, સમ્રાટ છે.…

વધુ વાંચો >

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ)

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) : જૈન ધર્મનું મહાવીર વિશેનું એક પુરાણ. વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) એક પૌરાણિક મહાકાવ્ય છે. તેમાં પુરાણ-પુરુષ મહાવીરના ચરિતનું આલેખન થયું છે. મહત્વનાં જૈન પુરાણોમાં તેની ગણના થાય છે. આ પુરાણો-મહાકાવ્યોમાં અનેક ચમત્કારો અને અલૌકિક તેમજ અતિપ્રાકૃતિક ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, દાર્શનિક, સૈદ્ધાન્તિક તેમજ આચારવિષયક માન્યતાઓ તથા ધર્મોપદેશ આદિનો સમાવેશ…

વધુ વાંચો >