Religious mythology

ચાર્વાક

ચાર્વાક : અનીશ્વરવાદી લોકાયત દર્શનના પ્રસિદ્ધ આચાર્ય. તેમના નામથી લોકાયત દર્શન ચાર્વાક દર્શન પણ કહેવાય છે. લોકાયત દર્શનના આદ્ય સ્થાપક તરીકે પુરાણોમાં બૃહસ્પતિનું નામ મળે છે. બાદરાયણ વ્યાસના વેદાન્ત બ્રહ્મસૂત્રમાં અને અન્ય વેદાન્ત ગ્રંથોમાં બૃહસ્પતિના મતનાં સૂત્રાત્મક વાક્યો ટાંકેલાં મળે છે. સંભવત: આ સૂત્રો લોકાયત દર્શનનાં હોય. મહાભારતના શલ્યપર્વ અને…

વધુ વાંચો >

ચિન્મયાનંદ

ચિન્મયાનંદ (જ. 8 મે 1916, અર્નાકુલમ્, કેરળ; અ. 3 ઑગસ્ટ, 1993, સાન દિયાગો, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ભારતીય દર્શનો અને વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક. જન્મનામ બાલકૃષ્ણ મેનન. પિતા : વડક્ક કુરુપથ કુટ્ટન મેનન. માતા : પુરુકુટ્ટી (મંકુ). બાલકૃષ્ણ પાંચ વર્ષની વયના હતા ત્યારે માતા ગુજરી જવાથી તેમનો ઉછેર માસીના…

વધુ વાંચો >

ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી

ચિરાગ દેહલવી, નસીરુદ્દીન મહમૂદ ચિશ્તી (જ. ?; અ. 14 સપ્ટેમ્બર 1356, દિલ્હી) : ભારતના પાંચ મહાન ચિશ્તી સૂફી સંતોમાંના એક. તે અવધ(યુ.પી.)માં જન્મ્યા હતા. પ્રાથમિક શિક્ષણ મૌલાના અબ્દુલકરીમ શરવાની તથા મૌલાના ઇફ્તિખારુદ્દીન મુહમ્મદ ગીલાની પાસે મેળવીને પયગંબર સાહેબનાં સુવચનો (હદીસ), કુરાનનું ભાષ્ય (તફસીર), ઇસ્લામી ધર્મશાસ્ત્ર (ફિકહ), તર્કશાસ્ત્ર (મન્તિક), વ્યાકરણ વગેરેનું…

વધુ વાંચો >

ચિશ્તી, ખ્વાજા મુઇનુદ્દીન ગરીબનવાજ

ચિશ્તી, ખ્વાજા મુઇનુદ્દીન ગરીબનવાજ (જ. 1141, સજિસ્તાન, ઈરાન; અ. 16 માર્ચ 1236) : ભારતમાં ચિશ્તી સૂફી પરંપરાના સ્થાપક. તેમનું નામ હસન, પિતાનું નામ ખ્વાજા ગ્યાસુદ્દીન. તે જગવિખ્યાત કરબલાના શહીદ ઇમામ હુસેનના વંશજ હતા. વીસ વર્ષના થયા તે પહેલાં તેમના પિતાનું અવસાન થયું. લોટ દળવાની ઘંટી અને ફળવાડીના માલિક બન્યા. ગુઝ્ઝ…

વધુ વાંચો >

ચિશ્તી જમ્મનશાહ (પહેલા)

ચિશ્તી જમ્મનશાહ (પહેલા) (જ. અમદાવાદ; અ. 27 સપ્ટેમ્બર 1535) : ફારસી સંતકવિ. મૂળ નામ જમાલુદ્દીન. પણ જમ્મનશાહ તરીકે પ્રખ્યાત છે. તેમની ગણના ગુજરાતના નામાંકિત ચિશ્તી ઓલિયામાં થાય છે. બીજા ખલીફા ઉમર ફારૂકના વંશજ હોવાથી તેઓ ફારૂકી શેખ પણ કહેવાય છે. પિતા શેખ મહમૂદ રાજન ચિશ્તી પાસેથી ધાર્મિક શિક્ષણ અને સૂફી…

વધુ વાંચો >

ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર

ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર : અમદાવાદની પૂર્વે આવેલા સરસપુરમાં મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં શેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલું જૈનમંદિર. આ મંદિર કાલાંતરે નામશેષ થઈ ગયું છે. પણ તે વિશે ઈ. સ. 1638માં જર્મન પ્રવાસી મેન્ડેલ્સ્લોએ કરેલી નોંધ મહત્વની છે. તે લખે છે કે આ વિસ્તારમાં સર્વોત્તમ બાંધકામો પૈકીના એક એવા આ મંદિરના…

વધુ વાંચો >

ચુ-સી

ચુ-સી (જ. 1130; અ. 1200) : મધ્યકાલીન ચીનનો પ્રખર દાર્શનિક. તેના સમય સુધીમાં પ્રાચીન ચીનના મહાત્મા કૉન્ફ્યૂશિયસે આપેલા સિદ્ધાંતો અને નિયમોના અર્થઘટન તથા અમલ વિશે ઘણા વિવાદો ચાલ્યા હતા. ચુ-સીએ આ વિવાદોનું નિરાકરણ લાવીને કૉન્ફ્યૂશિયસવાદને એક વ્યવસ્થિત દાર્શનિક પદ્ધતિનું આખરી સ્વરૂપ આપ્યું, જેને તે સમયની રાજસત્તા શુંગ વંશે પણ માન્ય…

વધુ વાંચો >

ચેંગચુન

ચેંગચુન (જ. 1148, ચી-સીઆ; અ. 1227, બેજિંગ) : મધ્યકાલીન ચીનનો તાઓપંથી પ્રસિદ્ધ સંત અને દાર્શનિક. તેની વિદ્વત્તાની કીર્તિ તે સમયના મૉંગોલ વિજેતા ચંગીઝખાન સુધી પહોંચી હતી. તેણે ખેડેલા પ્રવાસની કથા તેના શિષ્ય અને સાથી લી ચીહ ચાંગે લખી છે. આ પ્રવાસકથામાં ચીનની મહાન દીવાલ અને કાબુલ (અફઘાનિસ્તાન) વચ્ચેના અને પીળા…

વધુ વાંચો >

ચૈતન્ય મહાપ્રભુ

ચૈતન્ય મહાપ્રભુ (જ. 27 ફેબ્રુઆરી 1485, નવદ્વીપ, જિ. કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 9 જુલાઈ 1533) : મધ્વ ગૌડ સંપ્રદાયના સ્થાપક અને નામસંકીર્તનના પ્રવર્તક. વિદ્યાવ્યાસંગી જગન્નાથ મિશ્ર અને શચીદેવીનું 10મું સંતાન. ચૈતન્યનું નાક્ષત્ર નામ વિશ્વંભર, ડાક-નામ નિમાઈ. ગૌર વર્ણના હતા તેથી ગૌરહરિ, ગૌરાંગ કે ગોરાચાંદ નામે ઓળખાયા. આચાર્ય તરીકે નિમાઈ પંડિત.…

વધુ વાંચો >

ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા

ચોર્યાશી વૈષ્ણવોંકી વાર્તા : લલ્લુભાઈ છગનલાલ દેસાઈ (1882થી 1971) રચિત શ્રીમદ્ વલ્લભાચાર્યજીના એકનિષ્ઠ અનુયાયીઓના પ્રેરક જીવનપ્રસંગોની ઝાંખી કરાવતું પુસ્તક. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સત્સંગીઓમાં આ પુસ્તકનું આદરભર્યું સ્થાન છે. શ્રી મહાપ્રભુજીના સેવકોની સંખ્યા 84 અને શ્રી ગુસાંઈજીના સેવકોની સંખ્યા 252 હતી. એમને વિશેની વાર્તાઓ પહેલાં મૌખિક રીતે શ્રી ગોકુલનાથજી રજૂ કરતા. એમાં…

વધુ વાંચો >