History of India
સમુદ્રગુપ્ત
સમુદ્રગુપ્ત (શાસનકાળ ઈ. સ. 335-375) : પ્રતાપી ગુપ્ત સમ્રાટ, મહાન વિજેતા અને કુશળ સેનાપતિ. ચન્દ્રગુપ્ત પહેલો (319-335) તથા તેની રાણી નેપાળના શક્તિશાળી લિચ્છવી કુટુંબની કન્યા કુમારદેવીનો પુત્ર હતો. તેના પિતાએ ભર્યા દરબારમાં તેને વારસ તરીકે પસંદ કર્યો અને પોતે પુત્રની તરફેણમાં ગાદીત્યાગ કર્યો. કેટલાક વિદ્વાનોના મતાનુસાર શાસનના શરૂઆતના દિવસોમાં તેને…
વધુ વાંચો >સરકાર, જદુનાથ (સર)
સરકાર, જદુનાથ (સર) (જ. 10 ડિસેમ્બર 1870, કરચમારિયા, રાજશાહી જિલ્લો, હાલમાં બાંગ્લાદેશ; અ. 19 મે 1958) : ભારતના એક મહાન ઇતિહાસકાર. તેમના પિતા રાજકુમાર સારી સ્થિતિના, પ્રબુદ્ધ વિચારો ધરાવતા જમીનદાર તથા માતા હરિસુંદરી ધાર્મિક વૃત્તિનાં સદ્ગુણી મહિલા હતાં. જદુનાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ રાજશાહીમાં અને ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી…
વધુ વાંચો >સરકાર, દિનેશચંદ્ર
સરકાર, દિનેશચંદ્ર [જ. 8 જૂન 1907, કૃષ્ણનગર (જિ. ફરીદપુર, બાંગ્લાદેશ); અ. 10 જાન્યુઆરી 1985] : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત-પ્રાકૃત-પાલિના મૂર્ધન્ય વિદ્વાન, પ્રસિદ્ધ અભિલેખવિદ અને પ્રાચીન લિપિવિદ તથા સિક્કાશાસ્ત્રી. પિતાનું નામ યજ્ઞેશ્વર અને માતાનું નામ કુસુમકુમારી. 1925માં ફરીદપુર જિલ્લાની શાળામાંથી મૅટ્રિક્યુલેશન પાસ કરી. 1929માં ફરીદપુરની રાજેન્દ્ર કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે…
વધુ વાંચો >સરદેસાઈ, ગોવિંદ સખારામ
સરદેસાઈ, ગોવિંદ સખારામ (જ. 17 મે 1865, હાસોલ, જિ. રત્નાગિરી, મહારાષ્ટ્ર; અ. 29 નવેમ્બર 1959) : મહાન મરાઠી ઇતિહાસકાર, તેમણે 1884માં રત્નાગિરિ હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની અને 1888માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તેઓ 1 જાન્યુઆરી 1889થી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રીડર તરીકે જોડાયા. તે પછી તેઓ રાજકુમારોના ટ્યૂટર અને…
વધુ વાંચો >સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી
સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી : દેશને માટે જીવન સમર્પણ કરે એવા માણસોને તાલીમ આપવાના હેતુથી ગોપાળ કૃષ્ણ ગોખલેએ 12 જૂન, 1905ના રોજ સ્થાપેલી સંસ્થા. તેના હેતુઓ ગોખલે દ્વારા પાછળથી વિકસિત કરવામાં આવ્યા હતા. લોકોમાં ઉદાહરણ દ્વારા અને ઉપદેશ આપીને માતૃભૂમિ માટે ઊંડી અને ઉત્કટ ભક્તિ પેદા કરવી, જેથી તેને માટે…
વધુ વાંચો >સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526)
સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526) સલ્તનતનું વહીવટીતંત્ર : ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વીનો રાજા ઈશ્વર છે. તેનો કાયદો સર્વોચ્ચ છે અને માણસ તેના વતી ફરજો બજાવે છે એમ દિલ્હીના સુલતાનોએ સ્વીકાર્યું હતું. પયગંબરસાહેબના અવસાન પછી આગેવાનોએ અબુ બક્રને ખલીફા તરીકે પસંદ કર્યા. દિલ્હીના સુલતાનોએ બગદાદના…
વધુ વાંચો >સવિનય કાનૂનભંગની લડત (૧૯૩૦’૩૨)
સવિનય કાનૂનભંગની લડત (1930-32) : પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે કૉંગ્રેસે ગાંધીજીની આગેવાની હેઠળ માર્ચ, 1930માં શરૂ કરેલી અહિંસક ચળવળ. 1908માં મહાત્મા ગાંધીએ પોતાના પ્રથમ જેલવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં અમેરિકાના હેનરી ડેવિડ થૉરોનો નિબંધ ‘સિવિલ ડિસઓબીડિયન્સ’ વાંચ્યો. તે સત્યાગ્રહનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાંનો એક ગણાયો. તેનું નામ રખાયું ‘સવિનય કાનૂનભંગ’. તેનો અમલ…
વધુ વાંચો >સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી)
સહગલ, લક્ષ્મી (કૅપ્ટન લક્ષ્મી) (જ. 24 ઑક્ટોબર 1914, ચેન્નાઈ) : સ્વાતંત્ર્યસેનાની અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની ‘આઝાદ હિંદ ફોજ’(INA)ની મહિલાપાંખનાં સેનાપતિ. પિતા એસ. સ્વામીનાથન્ ડૉક્ટર અને માતા અમ્મુ સ્વામીનાથન્ સામાજિક અને રાજકીય કાર્યકર હતાં. રાજકીય ક્ષેત્રે અમ્મુ સ્વામીનાથન્ ભારતના બંધારણસમિતિનાં સભ્ય (1946-49), પ્રથમ લોકસભાના સભ્ય (1952-57) તથા રાજ્યસભાના સભ્ય…
વધુ વાંચો >સહસ્રાર્જુન
સહસ્રાર્જુન : માળવામાં માહિષ્મતીનો રાજધાની બનાવી રાજ કરતો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. તે હૈહય વંશના રાજા કૃતવીર્યનો પુત્ર હતો. એનું મૂળનામ અર્જુન હતું. દત્તાત્રેયની ઉગ્ર ઉપાસના કરવાથી તેને સહસ્ર ભુજાઓ તેમજ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, આથી તે સહસ્રાર્જુનને નામે પ્રસિદ્ધ થયો. નર્મદા નદીમાં એ પોતાની રાણીઓ સાથે જલક્રીડા કરી રહ્યો…
વધુ વાંચો >સહાયકારી યોજના
સહાયકારી યોજના : ભારતમાં બ્રિટિશ સત્તાને બિનહરીફ બનાવવા ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ (1798-1805) ઘડેલી યોજના. બ્રિટિશ કંપની તેની લશ્કરી તાકાતથી દેશની બીજી સત્તાઓને હરાવી શકે અથવા તેમના ઉપર આધિપત્ય સ્થાપી શકે તેમ ન હતી. તેથી વેલેસ્લીએ દીર્ઘદૃષ્ટિ તથા રાજકીય કુનેહ દ્વારા એક યોજના ઘડી, જે સહાયકારી યોજના તરીકે જાણીતી થઈ.…
વધુ વાંચો >