Gujarati literature

અમૃત ઘાયલ

અમૃત ઘાયલ (જ. 19 ઑગસ્ટ 1916, સરધાર, જિ. રાજકોટ; અ. 25 ડિસેમ્બર, 2002, રાજકોટ, ગુજરાત ) : ગુજરાતી ગઝલકાર. તેઓ 1939થી 1949 દરમિયાન પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી હતા. તે પછી 1949થી 1973 સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે સાવરકુંડલા, ભૂજ, આદિપુર અને અમદાવાદમાં સેવા આપી હતી. છેલ્લે રાજકોટમાં…

વધુ વાંચો >

અમે બધાં

અમે બધાં (1936) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. તેના લેખક ધનસુખલાલ કૃ. મહેતા અને જ્યોતીન્દ્ર દવે છે. આ વિનોદપ્રધાન નવલકથાના સર્જન પાછળ સૂરતનાં અદૃશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણને શબ્દમાં ઝીલી લેવાં એવો આશય છે. એ રીતે અહીં સૂરત અને એના સમાજજીવનનું એ કાળનું તાશ ચિત્ર ઊપસ્યું છે. સત્તાવીસ જેટલાં પ્રકરણોમાં…

વધુ વાંચો >

અરાલવાળા રમણીક બલદેવદાસ

અરાલવાળા, રમણીક બલદેવદાસ (જ. 6 સપ્ટેમ્બર 1910, ખેડાલ, જિ. ખેડા; અ. 24 એપ્રિલ 1981, અમદાવાદ) : કવિ. વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પિતાના ધીરધાર ને ખેતીના વ્યવસાયમાં જોડાયા. તે પછી અમદાવાદમાં કાપડમિલમાં જૉબરની કામગીરી. દરમિયાન કાવ્યસર્જન. માતાનું અવસાન અને પછીથી ‘કુમાર’ની બુધસભા તેમાં પ્રેરકબળ. 7 ધોરણ…

વધુ વાંચો >

અર્વાચીન કવિતા

અર્વાચીન કવિતા (1946) : ગુજરાતી કવિ સુન્દરમનો વિવેચનગ્રંથ. 1946ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને મહિડા પારિતોષિક પ્રાપ્ત થયેલું. 1845થી1945 સુધીની ગુજરાતી કવિતાની રૂપરેખા આ ગ્રંથમાં આલેખાઈ છે. 257 લેખકો અને તેમની કૃતિઓનું ઐતિહાસિક સાતત્ય જાળવીને અવલોકન કર્યું છે. કાવ્યપ્રવાહમાં દરેક કવિની સર્જકતાનું મૂલ્યાંકન રસદૃષ્ટિએ કર્યું છે. અર્વાચીન કવિતાના બે પ્રવાહો –…

વધુ વાંચો >

અલગારીની રખડપટ્ટી

અલગારીની રખડપટ્ટી (1969) : પ્રવાસવર્ણન. લેખક રસિક ઝવેરી. વિદેશપ્રવાસના – ખાસ કરીને ઇંગ્લૅન્ડના એક વર્ષના અનુભવોનું માર્મિક કથન એમાં થયેલું છે. પહેલાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થયેલી આ લેખમાળામાં લેખકે જહાજમાં કરેલી મુસાફરી, તેમજ લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટૉર્સ, ઇન્ડિયા હાઉસ, ટૅક્સી-ડ્રાઇવર, ખિસ્સાકાતરુ, પબ, ઝૂંપડપટ્ટી, કૉલેજિયન યુવતી, હિપ્પી વગેરે સાથેના પ્રસંગોનું આલેખન કર્યું…

વધુ વાંચો >

અવલોકના

અવલોકના (1965) : ગુજરાતી કવિ સુન્દરમનો 1968નો સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પામેલો વિવેચનસંગ્રહ. સુન્દરમ્ વેધક પર્યેષકદૃષ્ટિ છે. એમના વિવેચનલેખોના સંગ્રહોમાં ‘અવલોકના’નું સ્થાન ઊંચું છે. એમાંના ‘બ.ક.ઠા.ની કવિતાસમૃદ્ધિ’, ‘શેષનાં કાવ્યો’, ‘પારિજાત’, ‘રમણલાલ દેસાઈની કવિતા’, ‘શંકિત હૃદય’ અને ‘સંયુક્તા’ વગેરે લેખોમાં એમણે ખ્યાતનામ ગુજરાતી લેખકોની કૃતિઓની તથા તેમના સર્જનકાર્યની તટસ્થતાથી ચકાસણી કરી…

વધુ વાંચો >

અશ્વત્થ

અશ્વત્થ (1975) : સાહિત્ય અકાદમી દ્વારા 1976ની શ્રેષ્ઠ ગુજરાતી કૃતિ તરીકે પુરસ્કૃત કવિ ઉશનસનો કાવ્યસંગ્રહ. તે એમની કવિતાનો એક નોંધપાત્ર વળાંક બતાવે છે. તત્સમ અને સમાસઘન પદાવલિ આ પૂર્વેની એમની કવિતાની ખાસિયત હતી. એમાંથી તરલપ્રવાહી ને અરૂઢ ઇબારતમાં સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ રહેવાના અનુભવને આલેખવાની દિશા આ સંગ્રહની કવિતામાં…

વધુ વાંચો >

અશ્વત્થામા (3)

અશ્વત્થામા (3) (1973) : ગુજરાતી એકાંકી. લેખક મધુ રાય. મહાભારતના વિષયવસ્તુવાળું આ એકાંકી ધૃષ્ટદ્યુમ્ન દ્વારા અશ્વત્થામાના પિતા દ્રોણની છળથી હત્યા, ક્રોધી અશ્વત્થામાએ પાંડવપુત્રોની કરેલી વળતી હત્યા અને કૃષ્ણનો અશ્વત્થામા ઉપરનો શાપ નિરૂપે છે. એકાંકીની શરૂઆત નેપથ્યમાંથી સંભળાતા હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલૂકના અવાજોથી થાય છે. રંગમંચનો અંધકાર એ અવાજોથી જીવંત…

વધુ વાંચો >

અસાઇત (ચૌદમી શતાબ્દી)

અસાઇત (ચૌદમી શતાબ્દી) : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સ્થાપક મધ્યકાલીન કવિ. ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એમણે રચેલી ‘હંસાઉલી’ પદ્યવાર્તાની હસ્તપ્રત છે. તેમાંથી એટલું ફલિત થાય છે, કે અસાઇત 1361માં હયાત હતા. એમનો સમય ઈ. સ. 132૦થી 139૦નો માનવામાં આવે છે. એ સમયે ભારત પર તુઘલુક વંશનું શાસન હતું. અસાઇતના જીવન વિશે આમ…

વધુ વાંચો >

અસાઇત સાહિત્યસભા

અસાઇત સાહિત્યસભા : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સર્જક અસાઇત ઠાકરની સ્મૃતિમાં તા. 9 ડિસેમ્બર 1973ના રોજ સાહિત્ય અને નાટ્ય આદિ કલાઓના પ્રસાર માટે સ્થપાયેલી સંસ્થા. સ્થાપક વિનાયક રાવળ. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઊંઝા નગરમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. 1983માં સંસ્થાનું કાર્યફલક વિસ્તારવાની યોજના ઘડવામાં આવી, જેના પરિણામે નૃત્ય, નાટ્ય, સંગીત…

વધુ વાંચો >