Religious mythology
સત્ર
સત્ર : જુઓ યજ્ઞ
વધુ વાંચો >સદાચાર
સદાચાર : ધર્મનું સૌથી મહત્વનું અંગ. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવને લગતી કઈ માન્યતાઓ ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે તે સદાચારી છે કે નહિ એ પ્રશ્નનું સામાજિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. ધાર્મિક જીવનમાં…
વધુ વાંચો >સમન બાઈ
સમન બાઈ (જ. 1825, સિયાલી, તત્કાલીન અલવર રાજ્ય [રાજસ્થાન]; અ. 1885) : રાજસ્થાનનાં જાણીતાં સંત અને કવયિત્રી. તેઓ પ્રખ્યાત ચારણકવિ રામનાથ કવિયાનાં સંતાનોમાં સૌથી નાનાં હતાં. તેમના પિતા તરફથી તેમને શિક્ષણ મળ્યું હતું તેથી તેઓ સહેલાઈથી કાવ્યરચનાની કળા અને ભક્તિગીતો લખતાં શીખ્યાં. પ્રખ્યાત કવિ બારહટ ઉમેદરામ પલ્હાવટના પ્રપૌત્ર રામદયાલ સાથે…
વધુ વાંચો >સમુદ્રમંથન
સમુદ્રમંથન : પૌરાણિક સંદર્ભ અનુસાર દેવો અને અસુરોએ કરેલું ક્ષીરસાગરનું મંથન. મંદરાચલ નામે પ્રસિદ્ધ પર્વત પોતાનાં સુવર્ણમય શિખરો વડે સૂર્યદેવતાથી પણ અધિક તેજસ્વી હતો. તેના પર દેવો અને ગાંધર્વો રહેતા હતા. તે અનેક રત્નો અને દિવ્ય ઔષધિઓથી આચ્છાદિત હતો. તેની ઊંચાઈ સ્વર્ગથી પણ અધિક હતી. એક વખત દેવો તેનાં તેજસ્વી…
વધુ વાંચો >સરસ્વતી (દેવી)
સરસ્વતી (દેવી) : હિંદુ ધર્મમાં મનાયેલી વિદ્યાની દેવી. તે વાણીની અધિષ્ઠાત્રી છે. તે શારદા નામે પણ ઓળખાય છે. ‘સરસ્વતી’ પદનો વ્યુત્પત્તિગત અર્થ પણ આ જ છે. ‘સરસ્’ એટલે ‘વિદ્યા’ અને ‘વત્’ એટલે ‘થી યુક્ત’. તેથી ‘સરસ્વત્’ એટલે ‘વિદ્યાથી યુક્ત’ અને તેનું સ્ત્રીલિંગરૂપ ‘સરસ્વતી’ થાય છે, જેનો અર્થ છે વિદ્યાવાળી એટલે…
વધુ વાંચો >સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન)
સરસ્વતી (બૌદ્ધ મૂર્તિવિધાન) : બૌદ્ધ ધર્મમાં અપનાવાયેલ જ્ઞાન અને વિદ્યાકલાની દેવી સરસ્વતીનાં પૂજન માટે પ્રચલિત વિવિધ મૂર્તિસ્વરૂપ. બૌદ્ધ ધર્મના તાંત્રિક સંપ્રદાયોમાં તેનું મહત્વ વિશેષ છે. બૌદ્ધ ધર્મમાં આ દેવી એક મુખવાળી અને દ્વિભુજ તેમજ ત્રણ મુખ અને ષડ્ભુજાવાળી હોવાનું પણ વર્ણન મળે છે. તે જ્ઞાનદાતા દેવી હોવાથી મંજુશ્રી અને પ્રજ્ઞાપારમિતાની…
વધુ વાંચો >સરસ્વતીપુરાણ
સરસ્વતીપુરાણ : પૌરાણિક રીત પ્રમાણે લખાયેલું ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર. સત્યપુર(સાંચોર)ના પંડિત દામોદરે, એના પુત્રે કે એના શિષ્યે તે લખ્યું હોવાનું અનુમાન છે. તેમાં સિદ્ધરાજના જન્મસમયે થયેલ આકાશવાણી દ્વારા તેના જીવનનો નિચોડ આપ્યો છે. તેના જીવનનાં મુખ્ય કાર્યો જણાવતાં લેખક કહે છે કે, ‘‘આ કુમાર સર્વજિત થશે અને સર્વ…
વધુ વાંચો >સર્વધર્મસમભાવ
સર્વધર્મસમભાવ : વિવિધ ધર્મોને સમાન ગણી તેમાંનાં શ્રેષ્ઠ તત્ત્વોના સમન્વયથી ઉદ્ભવતી વિભાવના, જેની રાજકીય અભિવ્યક્તિ બિનસાંપ્રદાયિકતાના રૂપમાં ભારતીય બંધારણે માન્ય રાખી છે. ગાંધીજીના એકાદશ વ્રતોમાંનું એક વ્રત, સમન્વય : ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ ધ્યેય. આર્યોએ ભારતવર્ષમાં આવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું, ત્યારે આ દેશમાં કેટલીક જાતિઓ રહેતી હતી. આર્યોના આગમન બાદ નિગ્રોથી…
વધુ વાંચો >સર્વાસ્તિવાદ
સર્વાસ્તિવાદ : બૌદ્ધ ધર્મનો સાંપ્રદાયિક સિદ્ધાન્ત. બુદ્ધનિર્વાણ પછી લગભગ 140 વર્ષે બુદ્ધસંઘના બે ભાગ પડી ગયા મહાસાંઘિક અને સ્થવિરવાદ. મહાસાંઘિક ઉદારપંથીઓનું જૂથ હતું અને સ્થવિરવાદ અનુદારપંથીઓનું. આ સંઘભેદ પછી 100થી 130 વર્ષમાં સ્થવિરવાદની અનેક ઉપશાખાઓ થઈ. તેમાંની એક સર્વાસ્તિવાદ છે. મથુરા અને ઉત્તરાપથ – વિશેષત: કાશ્મીર અને ગાંધાર – તેનાં…
વધુ વાંચો >સર્વેશ્વરવાદ
સર્વેશ્વરવાદ : જે છે તે બધું જ ઈશ્વર છે એવો એક દાર્શનિક મત. સર્વ એટલે જગત. અર્થાત્ જગત એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ જગત છે. આ મતે જગત અને ઈશ્વર વચ્ચે અભેદ છે. આ મત પ્રમાણે ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું છે, અને તેથી તે ઈશ્વરમય છે. ગૌડપાદાચાર્યે…
વધુ વાંચો >