Religious mythology

દશરથ રાજા

દશરથ રાજા : પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા. સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ‘ઇક્ષ્વાકુ વંશ’ પ્રચલિત થયો. તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો, જેણે અયોધ્યામાં શાસન કર્યું. આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુનો…

વધુ વાંચો >

દસ આદેશ

દસ આદેશ : યહૂદી પ્રજાને ઈસુ ભગવાને આપેલા ધર્માચરણના દસ આદેશો. અંગ્રેજીમાં તેને ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ કહે છે. બાઇબલમાં વર્ણવાયેલી ઇઝરાયલી પ્રજાની કથાને આધારે જાણવા મળે છે કે તે પ્રજા આજના ઇજિપ્તમાં લગભગ ચાર સો વર્ષથી વસવાટ કરે છે. ઇજિપ્તમાંનો એનો અંતિમ કાળ વેઠવૈતરું કરવામાં અને ત્યાંના રાજા અને પ્રજાને હાથે…

વધુ વાંચો >

દસવેયાલિય

દસવેયાલિય (દશવૈકાલિક) : જૈનોના 45 આગમોમાંનાં ચાર મૂળ સૂત્રોમાંનું એક. તેના નિર્માતા શ્રીશય્યંભવાચાર્ય છે જેઓ બ્રાહ્મણ જાતિના પ્રખર વિદ્વાન અને પાછળથી જૈન થયેલા સાધુ હતા. પુત્ર મનક જે શિષ્ય હતો તેનું અલ્પ આયુ જાણી તેના બોધ માટે આજથી લગભગ 2400 વર્ષ પૂર્વે આની રચના કરી હતી. મહાવીરનિર્વાણ પછી 75થી 98…

વધુ વાંચો >

દાતા, ગંજબખ્શ હુજવેરી

દાતા, ગંજબખ્શ હુજવેરી (જ. –; અ. 1064, લાહોર) : સૂફી સંત. શેખ ગંજબખ્શ હુજવેરી હજરત શેખ પીરઅલી હુજવેરી તરીકે પ્રખ્યાત છે. તેમના પિતાનું નામ ઉસ્માન બિન અબી અબલ જલાબિલ ગઝનવી હતું અને તેઓ ગઝનાના રહેવાસી હતા. ગંજબખ્શ શેખ અબુલફઝલ બિન હસન અલ ખતલી અને શેખ શિબ્લી(રહેમતુલ્લાહ)ના મુરીદ એટલે કે શિષ્ય…

વધુ વાંચો >

દાદૂ દયાલ

દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ.  નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે…

વધુ વાંચો >

દાદૂપંથ

દાદૂપંથ : સંત દાદૂદયાળે સ્થાપેલો સંપ્રદાય. દાદૂ અકબર અને તુલસીદાસજીના સમકાલીન હતા. શરૂઆતમાં તેઓ કબીરપંથના અનુગામી હતા, પરંતુ પાછળથી તેમણે અલગ પંથ સ્થાપ્યો. તેમનો ઉપદેશ ‘શબદ’ અને ‘બાની’માં સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના ઉપદેશમાં કબીર જેવી આક્રમક તીવ્રતાને…

વધુ વાંચો >

દાશરાજ્ઞ

દાશરાજ્ઞ : ઋગ્વેદ(7–33–2 અને 5, 7–83–8)માં અને અથર્વવેદ- (10–128–32)માં ‘દાશરાજ્ઞ’ શબ્દ જોવા મળે છે તે દિવોદાસના પૌત્ર સુદાસના દસ રાજવીઓ સાથે થયેલા યુદ્ધનો વાચક છે. સુદાસ સામે યુદ્ધ માટે આવેલા આ દસ રાજવીઓ કોણ કોણ હતા એ વિશે સ્પષ્ટતા  ઋક્સંહિતામાં ક્યાંય જોવા મળતી નથી. તુર્વશોનો રાજવી દસ રાજવીમાંનો એક હતો.…

વધુ વાંચો >

દિક્પાલ

દિક્પાલ : દિશાનો રક્ષક. ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં છ દિશા અને તેના અધિપતિનો ઉલ્લેખ છે. આ અધિપતિમાં દેવત્વનું આરોપણ કરીને એનું અર્ચન શરૂ થયું. વાસ્તુશાસ્ત્રમાં દિક્પાલને દેવ ગણીને દેવાલયના મંડોવરમાં દિક્પાલની સેવ્યપ્રતિમા મૂકવાની પ્રથા આરંભાઈ જે પ્રકારાન્તરે આજે પણ અસ્તિત્વમાં છે. રામાયણ, મહાભારતમાં ચાર દિક્પાલોનો ઉલ્લેખ મળે છે. પાલિસાહિત્યમાં દિક્પાલ ‘મહારાજ’નું નામાભિધાન…

વધુ વાંચો >

દિગંબર જૈન સંપ્રદાય

દિગંબર જૈન સંપ્રદાય : જૈન ધર્મનો એક સંપ્રદાય. જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છે : (1) દિગંબર અને (2) શ્વેતાંબર. જૈન ધર્મના 24 તીર્થંકરોને બંને સ્વીકારે છે અને બંનેમાં ભક્તિ કે ઉપાસનામાં કશો ભેદ નથી; પરંતુ મુખ્ય ભેદ તેમનાં નામોમાંથી જ સ્પષ્ટ થાય છે. દિશારૂપી વસ્ત્ર પહેરનારા સાધુઓવાળો એ દિગંબર…

વધુ વાંચો >

દીક્ષા

દીક્ષા : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્યને જ્ઞાન વગેરેનું ઉપાર્જન, સદાચારી જીવનવ્યવહાર, લોકહિતની પ્રતિજ્ઞા અને અંતે પાપનિવારણ દ્વારા મોક્ષ માટે અધિકારી કરવા થતો વિધિ. ધર્મશાસ્ત્ર અનુસાર સોળ સંસ્કારોમાં ગણાવાયેલા, બાળકને બીજો જન્મ આપનારા તથા ગુરુ પાસેથી શિક્ષણ મેળવવા માટે લાયક બનાવનારા ઉપનયન-સંસ્કારને પણ દીક્ષા કહેવામાં આવે છે. મીમાંસાશાસ્ત્ર અનુસાર દીક્ષણીયા નામની…

વધુ વાંચો >