Geography
સરયૂ
સરયૂ : ઉત્તર (અવધ) પ્રદેશની એક પુરાણપ્રસિદ્ધ પવિત્ર નદી. ઋગ્વેદ અનુસાર તેના શાંત ને પવિત્ર કિનારે ઋષિઓ તપ-સાધના અને તત્ત્વચિંતન-યજ્ઞાદિ ધાર્મિક અનુષ્ઠાન કરતા હતા. મહાભારત અનુસાર હિમાલયના સ્વર્ણશિખરમાંથી ઉદ્ભવેલી ગંગાની સાત ધારાઓમાંની તે એક છે. વસિષ્ઠ ઋષિ કૈલાસ તરફ જતી ગંગાને માનસરોવરમાં લઈ આવ્યા ત્યારે અહીં આવતાં એમણે સરોવર(માન)ને તોડી…
વધુ વાંચો >સરસ્વતી (નદી)
સરસ્વતી (નદી) આર્યાવર્તમાં ક્યારેક અસ્તિત્વ ધરાવતી, પરંતુ તે પછીના કાળમાં લુપ્ત થઈ ગયેલી નદી. આજે દંતકથા બની રહેલી, પરંતુ ઋગ્વેદમાં, પ્રાચીન પૌરાણિક ગ્રંથોમાં તેમજ મહાભારતમાં જેના ભરપૂર ઉલ્લેખો મળે છે તે વિપુલ જળરાશિ ધરાવતી સરસ્વતી નદી ભૂતકાળમાં કોઈ એક કાળે વાયવ્ય ભારતમાં વહેતી હતી. તે હિમાલયની કોઈક હિમનદીમાંથી નીકળીને આજના…
વધુ વાંચો >સરાઇકેલા
સરાઇકેલા : ઝારખંડ રાજ્યના સિંઘભૂમ જિલ્લામાં આવેલું નગર. ભૌ. સ્થાન : 22o 43’ ઉ. અ. અને 85o 57’ પૂ. રે.. તે જમશેદપુરથી નૈર્ઋત્ય તરફ અને ચાઈબાસાથી ઈશાન તરફ લગભગ સરખા અંતરે આવેલું છે. આ નગર સુવર્ણરેખા નદીની શાખાનદીને કાંઠે વસેલું છે. અહીંનું ભૂપૃષ્ઠ અસમતળ છે. અહીં ચાંદીનાં ઘરેણાં બનાવવાનો ગૃહઉદ્યોગ…
વધુ વાંચો >સરાઈ
સરાઈ : આ નામે ઓળખાતું મધ્યકાલીન મુસાફરખાનું. મુસાફરો એમાં રાતવાસો કરવા આવતા. આવી સરાઈઓ અમદાવાદ, સૂરત, દિલ્હી વગેરે સ્થળોએ આવેલી છે. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરની પાસે આઝમ સરાઈ આવેલી છે. હાલ આ મકાન સરકારી પુસ્તક વેચાણ કેન્દ્ર તરીકે વપરાય છે. તેનું બાંધકામ ગુજરાતના સૂબા આઝમખાને ઈ. સ. 1637માં કરાવ્યું હતું. તેનું…
વધુ વાંચો >સરોવરો
સરોવરો : કુદરતી જળાશયો. બધી બાજુએથી ભૂમિ દ્વારા ઘેરાયેલો જળરાશિ. ભૂપૃષ્ઠ પર કુદરતી રીતે તૈયાર થયેલા નાનામોટા પરિમાણવાળા ગર્ત કે ખાડામાં મીઠા કે ખારા પાણીથી ભરાયેલા જળરાશિને સરોવર કહે છે. મોટેભાગે તો તે બધી બાજુએથી બંધિયાર હોય છે, પરંતુ કેટલાંક સરોવરોમાં ઝરણાં કે નદી દ્વારા જળઉમેરણ થતું રહે છે, તો…
વધુ વાંચો >સર્પાકાર વહન (meandering)
સર્પાકાર વહન (meandering) : નદીના જળવહનમાર્ગમાં કુદરતી સંજોગ હેઠળ વિકાસ પામતો કોઈ પણ પ્રકારનો વળાંક. તે ગોળાકાર, લંબગોળાકાર, ઓછોવત્તો અર્ધગોળાકાર કે ઓછોવત્તો કોણાકાર હોઈ શકે. નદીના આ પ્રકારના વહનને સર્પાકાર વહન કહે છે. નદીના વહનમાર્ગમાં જોવા મળતો આ પ્રકારનો વળાંક પાણીનો પથ, વહનવેગ, નદીપટનો ઢાળ, તળખડકનો પ્રકાર, પાણી સાથે વહન…
વધુ વાંચો >સર્બિયા
સર્બિયા : યુગોસ્લાવિયાનાં છ પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 44° 00^ ઉ. અ. અને 21° 00^ પૂ. રે.ની આજુબાજુનો આશરે 88,360 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણે ગ્રીસ, તથા પશ્ચિમે આલ્બેનિયા અને યુગોસ્લાવિયા આવેલાં છે. તે પૂર્વ યુગોસ્લાવિયામાં આવેલું…
વધુ વાંચો >સલાયા
સલાયા : જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું નગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 69° 35´ પૂ. રે.. તે તાલુકામથક ખંભાળિયાથી વાયવ્યમાં આશરે 10 કિમી. દૂર આવેલું છે. સૌરાષ્ટ્રના મુખ્ય ભૂમિભાગના ઉત્તર કાંઠા નજીક પરવાળાંની ખડકશૃંખલા આવેલી છે. મુઘલ શાસન દરમિયાન આ કુદરતી બંદરનો ઉલ્લેખ…
વધુ વાંચો >સલ્દાન્હા
સલ્દાન્હા : દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 33° 00´ દ. અ. અને 17° 56´ પૂ. રે.. તે ટેબલના ઉપસાગરના વાયવ્યમાં 90 કિમી.ને અંતરે આવેલું, દક્ષિણ આફ્રિકાના આખાય કાંઠા પરનું એક ઉત્તમ કક્ષાનું બારું છે. સલ્દાન્હા આ વિસ્તારનું મુખ્ય મત્સ્યમથક છે. આ શહેરમાં પ્રક્રમિત માછલીઓને પૅક કરવાના…
વધુ વાંચો >