Allopathy

મહેતા, સિદ્ધાર્થ

મહેતા, સિદ્ધાર્થ (ડૉ.) (જ. 4 ડિસેમ્બર 1947) : પ્રખ્યાત દંતચિકિત્સક. તેઓએ કિંગ જ્યૉર્જ ડેન્ટલ કૉલેજ, લખનઉથી દંતચિકિત્સકની પદવી પ્રાપ્ત કરી અને ઑર્થોડોન્શિયામાં વિશેષજ્ઞતા મેળવી. તેઓએ નવી દિલ્હીસ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)માં થોડો સમય કાર્ય કર્યું. ત્યાર બાદ તેઓએ ક્લૈફ્ટ પેલેટ પ્રૉબ્લેમ્સનું નિદાન કરવા માટે અમેરિકામાં વિશેષજ્ઞના રૂપમાં કામ કર્યું. તેઓએ…

વધુ વાંચો >

મળમય સંયોગનળી

મળમય સંયોગનળી (faecal fistula) : આંતરડા પરની શસ્ત્રક્રિયા કે ઈજા પછી પેટની દીવાલમાં થયેલાં કૃત્રિમ છિદ્ર, જેમાંથી આંતરડામાંનો મળ દૂષિત પ્રવાહી રૂપે બહાર આવે છે. તે સમયે આંતરડાના પોલાણ અને ચામડી પરના છિદ્રની વચ્ચે એક સંયોગનળી (fistula) વડે જોડાણ થયેલું હોય છે. આવી સંયોગનળીને ત્વચાંત્રીય સંયોગનળી (enterocutaneous fistula) અથવા મળમય…

વધુ વાંચો >

માટી ખાવી

માટી ખાવી (Pica) : શરીરના પોષણતત્વ(લોહ, iron)ની ઊણપ (ખામી) હોય ત્યારે થતાં અખાદ્ય અને અપોષક પદાર્થો ખાવાની અદમ્ય રુચિ અને વર્તન. તેને મૃદભક્ષણ પણ કહે છે. શરીરમાં લોહ(iron)ની ઊણપ થાય ત્યારે વ્યક્તિ માટી (મૃત્તિકાભક્ષણ, geophagia), બરફ (હિમભક્ષણ, pagophagia), કપડાંને આર કરવા માટે વપરાતો સ્ટાર્ચ (શર્કરાભક્ષણ, amylophagia), રાખ, ધૂળ, કૉફીની ભૂકી,…

વધુ વાંચો >

માનચંદા, સુભાષ ચન્દ્ર

માનચંદા, સુભાષ ચન્દ્ર (ડૉ.) (જ. 13 સપ્ટેમ્બર 1940) : વિખ્યાત હૃદયરોગ વિશેષજ્ઞ તથા ઉચ્ચ કોટિના સંશોધન વૈજ્ઞાનિક. ડૉ. સુભાષ ચન્દ્ર માનચંદા વર્તમાનમાં હૃદયવિજ્ઞાન વિભાગ, મેટ્રો હૃદય સંસ્થાન, દિલ્હીના અધ્યક્ષ છે. ડૉ. માનચંદાએ ઊંચાઈ પર આવેલાં સ્થળો પર થતી હૃદય સંબંધિત સમસ્યાઓ પર મહત્ત્વપૂર્ણ પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. તેઓને વ્યાવસાયિક શિક્ષણ…

વધુ વાંચો >

માર્શલ, બેરી

માર્શલ, બેરી (જ. 30 સપ્ટેમ્બર 1951, કૅલ્ગૂર્લી, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા) : 2005ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઑસ્ટ્રેલિયન સંશોધક. તેમણે 1974માં યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તેમણે 1977–84 સુધી રૉયલ પર્થ હૉસ્પિટલમાં સેવા આપી અને પછી યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા નૅડલૅન્ડ્સમાં આયુર્વિજ્ઞાનનું શિક્ષણકાર્ય કર્યું. 1981માં જઠરાંત્રવિજ્ઞાન (gastroenterology) વિભાગમાં કામ કરતા…

વધુ વાંચો >

માલ્પીઘી, માર્સેલો

માલ્પીઘી, માર્સેલો (જ. 1628, ઇટાલી; અ. 1694, રોમ, ઇટાલી) : સૂક્ષ્મદર્શક વડે સૌપ્રથમ વનસ્પતિ તેમજ શારીરિક રચનાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરનાર જીવવિજ્ઞાની. તેઓ જન્મ્યા એ અરસામાં સંયુક્ત સૂક્ષ્મદર્શક(compound microscope)ની શોધ થઈ હતી, જેમાં પ્રતિબિંબોના આવર્ધન માટે બે આવર્ધક લેન્સોની ગોઠવણ થયેલી હતી. એ ગોઠવણથી સૂક્ષ્મદર્શકની ગુણનક્ષમતા વધતી હોય છે. માલ્પીઘીએ તેનો…

વધુ વાંચો >

મિથાઈલ ડોપા

મિથાઈલ ડોપા : લોહીનું વધેલું દબાણ ઘટાડતી દવા. તેનું રાસાયણિક નામ છે આલ્ફા-મિથાઈલ–3, 4–ડાયહાઇડ્રૉક્સિ-ફિનાઇલએલેનિન. તે કેન્દ્રીય ચેતાતંત્ર પર અસર કરીને લોહીનું દબાણ ઘટાડે છે. તેથી તેને કેન્દ્રીય પ્રતિ-અતિરુધિરદાબી (central antihypertensive) ઔષધ કહે છે. સન 1963માં તેનો એક ઔષધ તરીકે સ્વીકાર થયો. તે મગજમાં થતા ચયાપચય(metabolism)ને કારણે આલ્ફા-મિથાઈલ નૉરએપિનેફિન-રૂપે ફેરવાય છે.…

વધુ વાંચો >

મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ

મિનૉટ, જ્યૉર્જ રિચાર્ડ્ઝ (જ. 2 ડિસેમ્બર 1885, બૉસ્ટન, યુ.એસ.; અ. 25 ફેબ્રુઆરી 1950, બ્રુક્લિન) : અમેરિકન દેહધર્મવિદ(physiologist). તેમણે લોહીમાં હીમોગ્લોબિનની ઊણપથી ઉદભવતી પાંડુતા (anaemia) નામની તકલીફમાં યકૃત-(liver)માંથી મેળવાતું યકૃતાર્ક (extract of liver) નામનું દ્રવ્ય ઉપયોગી ઔષધ છે એવું પ્રતિપાદિત કર્યું. તે માટે સન 1934નું દેહધાર્મિકવિદ્યા અંગેનું નોબેલ પારિતોષિક એમને એનાયત…

વધુ વાંચો >

મિલ્સ્ટાઇન સીઝર

મિલ્સ્ટાઇન સીઝર (જ. 8 ઑક્ટોબર 1927, બાહિયા બ્લાન્કા, આર્જેન્ટિના; અ. 24 માર્ચ 2002, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : 1984ના તબીબી અને દેહધાર્મિકવિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમની સાથે સહવિજેતાઓ હતા નીલ્સ કાજ જેર્ને અને જ્યૉર્જ જે. એફ. કોહલર. શરીરના રોગપ્રતિકારતંત્રને પ્રતિરક્ષાતંત્ર (immune system) કહે છે. આ પ્રતિરક્ષાતંત્ર રોગકારક ઘટકમાંનાં રસાયણોને પ્રતિજન(antigen) તરીકે…

વધુ વાંચો >

મીડાવર, પીટર બ્રિયાન (સર)

મીડાવર, પીટર બ્રિયાન (સર) (જ. 28 ફેબ્રુઆરી 1915, રિયો ડી જાનેરો; અ. 2 ઑક્ટોબર 1987) : રોગપ્રતિકારક્ષમતા(પ્રતિરક્ષા, immunity)ની સંપ્રાપ્ત સહ્યતા શોધી કાઢવા બદલ સન 1960ના તબીબી અને દેહધર્મવિદ્યા માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા સર ફ્રૅન્ક એમ. બર્નેટ (Barnet). બ્રાઝિલમાં જન્મેલા અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા મીડાવરે બ્રિટનમાં પ્રતિરક્ષાવિદ્યા(immunology)ના અભ્યાસનો…

વધુ વાંચો >