ર. ના. મહેતા

કનોજ

કનોજ : ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાનું પ્રાચીન શહેર અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગંગાની ડાબી બાજુએ, ગ્રાંડ ટ્રન્ક માર્ગથી ત્રણ કિમી. અને કાનપુરથી 81 કિમી. દૂર 28o-1´ ઉ. અ. અને 77o-56´ પૂ. રે. ઉપર આવેલું છે. કુશસ્થળ, ગાધિપુર, કુશિક, કુસુમપુર જેવાં તેનાં બીજાં નામો છે. રામાયણની આખ્યાયિકા પ્રમાણે કુશે કનોજની સ્થાપના કરી હતી.…

વધુ વાંચો >

કપડવણજ

કપડવણજ : ખેડા જિલ્લાનો એક તાલુકો તથા નગર. કપડવણજ તાલુકાનું ક્ષેત્રફળ 985.7 ચો.કિમી. અને તેની વસ્તી આશરે 3,00,000 (2011).  જ્યારે કપડવણજની વસ્તી 49,308 (2011). શહેર 23o 01′ ઉ. અ. અને 73o 04′ પૂ. રે. ઉપર આવેલું છે. તેનું ક્ષેત્રફળ 19.22 ચોકિમી. છે. કપડવણજ તાલુકાની વાત્રક, મહોર અને વરાંસી નદીઓનાં કોતરોને…

વધુ વાંચો >

કામરેજ

કામરેજ : પ્રાચીન કર્મણિજ્જ અથવા કાર્મણેયનગર. આ નગર તાપી નદીના દક્ષિણ કિનારા પર, સૂરતથી પૂર્વમાં આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. કામરેજ એ પાઘડીપને આશરે એકાદ કિલોમીટર લંબાઈ ધરાવતું જૂનું નગર છે. તેની એક બાજુ કોટને નામે જાણીતો જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાંથી કામરેજના જૂના અવશેષો પ્રાપ્ત થાય છે તે…

વધુ વાંચો >

કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34′ 15” ઉ. અ.થી 30° 15′ 15” ઉ. અ. અને 76° 10′ 10” થી 77° 17′ 05” પૂ. રે. વચ્ચેનો 1,530 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અંબાલા જિલ્લો; પૂર્વમાં જિલ્લા સરહદ…

વધુ વાંચો >

કુંભારકામ

કુંભારકામ : અગ્નિમાં તપાવેલા ભીની માટીના વિવિધ ઘાટ ઉતારવાનું કામ. ભીની માટીના અનેક ઘાટ ઘડી શકાય છે. તેને અગ્નિમાં યોગ્ય રીતે તપાવવાથી તેમાં વિશિષ્ટ શક્તિ પેદા થઈને પાણીથી તે ઓગળી જતા નથી, તેમજ તે પથ્થર કે અન્ય પદાર્થોની માફક વાપરી શકાય છે. એ જ્ઞાન કુંભારકામનું મૂળ છે. આ જ્ઞાન પૃથ્વી…

વધુ વાંચો >

કૃત્રિમ જળાશયો

કૃત્રિમ જળાશયો : પાણીના કુદરતી સ્રોતથી દૂર આવેલા પ્રદેશમાં પાણીનો સંગ્રહ કરવા માટે તૈયાર કરેલાં જળાશયો. વરસાદનું પાણી સંગ્રહી રાખવાનાં તથા ભૂગર્ભપાણી મેળવવા માટેનાં જળાશયો વિશ્વવ્યાપી છે. કૃત્રિમ જળાશયોના પ્રથમ વિભાગમાં તળાવો, ટાંકાં અને નહેરોનો સમાવેશ થાય છે. ભારતમાં વરસાદનાં વહી જતાં પાણીના માર્ગમાં આડબંધ અર્થાત્ સેતુ બાંધીને તળાવો તૈયાર…

વધુ વાંચો >

કૃષિ

`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…

વધુ વાંચો >

કૃષ્ણદેવ

કૃષ્ણદેવ (જ. 24 ઑગસ્ટ 1914) : પુરાતત્વનિષ્ણાત. તે 1938માં પુરાતત્વ-સર્વેક્ષણમાં જોડાયા અને જાન્યુઆરી 1973માં તેના નિયામક તરીકે નિવૃત્ત થયા. ત્યારબાદ બિરલા એકૅડેમી ઑવ્ આર્ટ અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયન સ્ટડી, વારાણસીમાં તેમણે કામ કર્યું. કૃષ્ણદેવ પુરાવસ્તુનાં ઉત્ખનનો અગ્રોદા, કુમરાહાર, વૈશાલી આદિ સ્થળોએ કર્યાં છે. પરંતુ ભારતનાં દેવસ્થાનોના સ્થાપત્યના તે નિષ્ણાત…

વધુ વાંચો >

કૃષ્ણસ્વામી વી. ડી.

કૃષ્ણસ્વામી, વી. ડી. (જ. 18 જાન્યુઆરી 1905; અ. 15 જુલાઈ 1970) : ભારતના પ્રાગૈતિહાસિક અધ્યયનના એક અગ્રયાયી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રથમ પ્રાગિતિહાસજ્ઞ. તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનાં વિવિધ સ્થળોએ અધીક્ષક તરીકે કાર્ય કર્યું છે અને પ્રાગિતિહાસની શાખા વ્યવસ્થિત કરી છે. તે પુરાતત્વ-સર્વેક્ષણના મદદનીશ નિયામક હતા. નિવૃત્ત થયા બાદ તેમણે ઇન્ડિયન મ્યુઝિયમ,…

વધુ વાંચો >

કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ

કેલિકો મ્યુઝિયમ ઑવ્ ટેક્સ્ટાઇલ્સ : ભારતનાં મધ્યયુગીન ભાતીગળ કાપડ અને વસ્ત્રોનું અમદાવાદ ખાતે આવેલું મ્યુઝિયમ. ગિરાબહેન સારાભાઈના અથાક પ્રયત્નો વડે સર્જાયેલા દુર્લભ સંગ્રહમાંથી આ મ્યુઝિયમ સર્જાયું છે. ભારતનાં ટોચનાં મ્યુઝિયમોમાં તેનું સ્થાન છે. 1949માં જવાહરલાલ નહેરુએ તેનું ઉદઘાટન કરેલું. મૂળમાં કેલિકો મિલ્સના પરિસરમાં સ્થપાયેલું આ મ્યુઝિયમ હાલમાં શાહીબાગ વિસ્તારમાં જૂના…

વધુ વાંચો >