રાજ્યશાસ્ત્ર
ડોઇજ, કાર્લ
ડોઇજ, કાર્લ : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અમેરિકી રાજ્યશાસ્ત્રી. તેમણે યેલ, હાવર્ડ અને ઇમોરી યુનિવર્સિટીઓમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. તે દરમિયાન તેમના સંશોધનકાર્યમાં તેમણે આંતરિક રાજકીય પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું આકલન કરી મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક પ્રદાન કર્યું. અનુભવમૂલક અને વ્યવહારવાદી રાજકીય વિશ્લેષણનો પાયો નાખવામાં તેઓ અગ્રેસર રહ્યા. ડોઈજે 1963માં ‘ધ નર્વ્ઝ…
વધુ વાંચો >ડોગરા, ગિરધારીલાલ
ડોગરા, ગિરધારીલાલ (જ. 13 જુલાઈ 1915, ભાઇયા, જમ્મુ) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા જમ્મુ-કાશ્મીર રાજ્યના અગ્રણી રાજનીતિજ્ઞ. ખેડૂત-કુટુંબમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ વતનમાં લીધું. સાંબાની માધ્યમિક શાળામાંથી મૅટ્રિક પાસ થયા પછી 1939માં અમૃતસરની હિંદુ કૉલેજમાંથી સ્નાતકની પદવી તથા 1942માં લાહોરની લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. કાયદાશાસ્ત્રના અભ્યાસ દરમિયાન રાજકીય પ્રવૃત્તિ પ્રત્યે…
વધુ વાંચો >ડોઝ યોજના
ડોઝ યોજના : પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં ફ્રાન્સ, બ્રિટન, યુ.એસ. વગેરે વિજેતા સાથી દેશોએ એના પર યુદ્ધદંડ તરીકે છ અબજ સાઠ કરોડ પાઉંડનું અતિ મોટું દેવું લાદ્યું હતું. પરંતુ જર્મની એ ભરી શકે તેમ ન હતું અને એ ભરવાની એની ઇચ્છા પણ ન હતી. જર્મની યુદ્ધવળતરના વાર્ષિક હપતા ભરવામાં…
વધુ વાંચો >ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા
ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1558–1561). ભારતમાં આવ્યો તે વખતે તેની વય 30 વર્ષની હતી. તે દમણના વિજેતા તરીકે પોર્ટુગલમાં ખ્યાતિ પામ્યો. આ સમયે ગુજરાતની મધ્યસ્થ સરકાર નબળી હતી અને દમણ સીદી સરદાર મીફતાહના હાથમાં હતું. ડૉમે દમણ પર કબજો જમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે…
વધુ વાંચો >ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો
ડૉમ, જોઆઓ દ કાસ્ટ્રો (જ. 7 ફેબ્રુઆરી 1500, લિસ્બન; અ. 6 જૂન 1548, ગોવા) : પોર્ટુગીઝોની ર્દષ્ટિએ ગોવાના ખ્યાતનામ ગવર્નરોમાં સૌથી છેલ્લો ગવર્નર (1545–1548). પોર્ટુગીઝોએ ગુજરાતના સુલતાન બહાદુરશાહ સાથે ડિસેમ્બર, 1534 અને સપ્ટેમ્બર, 1535ની સંધિ હેઠળ અનુક્રમે વસઈનો વિસ્તાર મેળવીને અને દીવમાં કિલ્લો બાંધીને ગુજરાતના દરિયાકિનારા પર પોતાનું સ્થાન મજબૂત…
વધુ વાંચો >ડોમિનિકન રિપબ્લિક
ડોમિનિકન રિપબ્લિક : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19° ઉ. અક્ષાંશ અને 70° 30´ પ. રેખાંશ પર આવેલું આ ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને (saona), ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની લંબાઈ 912…
વધુ વાંચો >ડોમિનિયન સ્ટેટસ
ડોમિનિયન સ્ટેટસ : બ્રિટિશ શાસન હેઠળના પ્રદેશોને આપવામાં આવેલો સાંસ્થાનિક દરજ્જો. 1939 પહેલાં બ્રિટિશ કૉમનવેલ્થ દેશોમાં કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, આયર તથા ન્યૂ-ફાઉન્ડલૅન્ડ ડોમિનિયન સ્ટેટસ (સાંસ્થાનિક દરજ્જો) ધરાવતાં હતાં. 1926માં ‘ઇમ્પીરિયલ કૉન્ફરન્સ’ની જાહેરાત અનુસાર બ્રિટન અને ડોમિનિયન સ્ટેટસ ધરાવતા દેશોને બ્રિટિશ સામ્રાજ્યની અંતર્ગત સ્વાયત્ત સમુદાયો તરીકે ગણવામાં આવ્યા હતા.…
વધુ વાંચો >ઢેબર, ઉછરંગરાય નવલશંકર
ઢેબર, ઉછરંગરાય નવલશંકર (જ. 21 સપ્ટેમ્બર 1905, ગંગાજળા, જામનગર; અ. 11 માર્ચ 1977, રાજકોટ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર. માતા ઊજમબા. નાગર જ્ઞાતિમાં જન્મેલ ઢેબરભાઈને માતાપિતા તરફથી સાત્વિકતા અને સેવાભાવનાનો વારસો મળ્યો હતો. ઢેબરભાઈએ 1922માં રાજકોટની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની સેન્ટ…
વધુ વાંચો >તટસ્થતા
તટસ્થતા : યુદ્ધમાં ન જોડાયેલ દેશ કે સરકારનો વૈધિક દરજ્જો. જે રાષ્ટ્ર યુદ્ધ કરનાર રાષ્ટ્રો જોડે યુદ્ધ કરતું ન હોય, અને તેમની વચ્ચેની શત્રુતામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લેતું ન હોય તે રાષ્ટ્ર તટસ્થ કહેવાય, પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાની ર્દષ્ટિએ આ તટસ્થતા વૈધિક દરજ્જો છે અને આંતરરાષ્ટ્રીય કાયદામાં તેની જોડે…
વધુ વાંચો >તપાસપંચ
તપાસપંચ (Inquiry commission) : જાહેર અગત્ય ધરાવતી અને આમજનતાને સ્પર્શતી મહત્ત્વની બાબતોની તપાસ કરવા માટે તથા જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓની વર્તણૂકની તપાસ કરવા માટે વખતોવખત નિમાતું પંચ. મુખ્ય હેતુ વહીવટમાં સ્વચ્છતા અને પ્રામાણિકતા જાળવવાનો તથા મંત્રીઓની વર્તણૂકમાં વધુમાં વધુ પારદર્શકતા લાવવાનો હોય છે. સને 1921 પહેલાં ઇંગ્લૅન્ડમાં કોઈ પણ બાબતની…
વધુ વાંચો >