મધુસૂદન બક્ષી

સત્ય

સત્ય ભારતીય તત્વજ્ઞાનના સંદર્ભમાં દેશકાલાતીત અસ્તિત્વ ધરાવતું તત્વ. ઋગ્વેદના દશમા મંડળના સૂક્ત 129ના નાસદીય સૂક્તમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ વિશે વિવિધ મતો નિરૂપાયા છે. આ સૃદૃષ્ટિ સત્માંથી કે અસત્માંથી ઉત્પન્ન થઈ છે એ પ્રશ્ન આરંભે ચર્ચતાં સૂક્તમંત્ર કહે છે કે સૃદૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં સત્ કે અસત્ કશું જ ન હતું, પણ કાંઈક…

વધુ વાંચો >

સંદેહવાદ (સંશયવાદ)

સંદેહવાદ (સંશયવાદ) : જ્ઞાનની શક્યતા કે નિશ્ચિતતા કે બંને વિશે કાયમી કે અલ્પસ્થાયી સંદેહ વ્યક્ત કરતો તત્ત્વજ્ઞાનનો મત. બીજી સદીના ચિન્તક સેક્સટસ એમ્પિરિક્સ મુજબ, સંદેહવાદી ચિન્તક (sceptic) મૂળ તો સમીક્ષક છે, સત્યશોધક છે, જિજ્ઞાસુ છે. સમીક્ષા પછી, શોધતપાસ પછી પણ તેને જો સમજાય કે તત્ત્વજ્ઞાનમાં પ્રવર્તતા જુદા જુદા મતમાંથી કોઈ…

વધુ વાંચો >

સાધનવાદ

સાધનવાદ : બ્રિટિશ ચિંતક ઍલેક્ઝાન્ડર બર્ડના પુસ્તક ‘ધ ફિલૉસૉફી ઑવ્ સાયન્સ (1998, 2002) મુજબ, પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો (theories) કેવળ ઘટનાઓની આગાહી (પૂર્વકથન-prediction) કરવા માટેનાં સાધનો જ છે તેવો મત (Instrumentalism). સાધનવાદ પ્રમાણે પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો ન તો જગતની ઘટનાઓની સમજૂતી આપે છે કે ન તો તેવા…

વધુ વાંચો >

સાન્તાયન જ્યૉર્જ

સાન્તાયન, જ્યૉર્જ (Santayana) (જ. 16 ડિસેમ્બર 1863, મૅડ્રિડ, સ્પેન; અ. 26 સપ્ટેમ્બર 1952, રૉમ, ઇટાલી) : અમેરિકાના તત્વચિન્તક, કવિ, નવલકથાકાર, સાહિત્યકલાવિવેચક. મૂળ નામ જૉર્જ રુઇઝ દ સાન્તાયન ય બોરેસ. જ્યૉર્જ સાન્તાયન સાન્તાયન જન્મથી આઠ વર્ષ સુધી સ્પેનમાં રહ્યા. પછીનાં ચાલીસ વર્ષ બૉસ્ટન, અમેરિકામાં રહ્યા અને છેલ્લાં ચાલીસ વર્ષ તેમણે યુરોપના…

વધુ વાંચો >

સાર્ત્ર જ્યાઁ પૉલ

સાર્ત્ર, જ્યાઁ પૉલ (જ. 1905, પૅરિસ; અ. 1980, પૅરિસ, ફ્રાન્સ) : વીસમી સદીના મહાન ફ્રેન્ચ સર્જક અને તત્ત્વચિન્તક. તેઓ ફ્રેન્ચ અસ્તિત્વવાદના સ્થાપક હતા. તેમનો અસ્તિત્વવાદ (existentialism) નિરીશ્વરવાદી (atheistic) હતો. સાર્ત્રના પિતા જ્યાઁ બાપ્ટિસ્ટ ફ્રેન્ચ નૌકાદળમાં કામ કરતા હતા. સાર્ત્રનાં માતા એન મેરીચાર્લ્સ શ્વાઇત્ઝરનાં પુત્રી હતાં. ચાર્લ્સ શ્વાઇત્ઝર વિખ્યાત જર્મન મિશનરી…

વધુ વાંચો >

સિજવિક હેન્રી

સિજવિક, હેન્રી (જ. 31 મે 1838, સ્કિપટૉન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1900) : જ્હૉન સ્ટૂઅર્ટ મિલ અને જેરિ બેન્થમની જેમ જ પાશ્ર્ચાત્ય (ઇંગ્લિશ) નીતિશાસ્ત્રમાં સુખવાદી ઉપયોગિતાવાદ-(hedonistic utilitarianism)માં ખૂબ જ મહત્ત્વનું યોગદાન કરનાર વિદ્વાન. સિજવિકે કૅમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 1869થી 1900 સુધી કેમ્બ્રિજમાં જ અધ્યાપનકાર્ય કર્યું…

વધુ વાંચો >

સૉફિસ્ટ-ચિન્તકો (sophists)

સૉફિસ્ટ-ચિન્તકો (sophists) : પ્રાચીન ગ્રીસમાં વ્યાકરણ, વાગ્મિતા તેમજ કાયદાશાસ્ત્રના ક્ષેત્રે શિક્ષણ આપનારા તદ્વિદો. ‘સૉફિસ્ટ’ શબ્દ ‘સૉફિયા’ પરથી આવેલો છે. ‘Sophia’ એ ગ્રીક શબ્દનો અર્થ છે – ‘wisdom’ (‘વિઝ્ડમ’ – ડહાપણ, શાણપણ, પ્રજ્ઞા, વિદ્વત્તા). સૉક્રેટિસે (470–399 B.C.) પૂર્વના જે શિક્ષકો યુવાન ઍથેન્સવાસીઓને દલીલ કરવાની કળા, પ્રભાવક રીતે બોલવાની કળા (rhetoric) ફી…

વધુ વાંચો >

સ્ટૉઇકવાદ

સ્ટૉઇકવાદ : પ્રાચીન ગ્રીસ અને રોમનયુગમાં પ્રચલિત થયેલો તત્વચિંતનનો એક સંપ્રદાય. ગ્રીક શબ્દ ‘Stoa’, બહારથી ખુલ્લો પૉર્ચ હોય તેવી પણ અનેક સ્તંભોની હારમાળાવાળી કેટલીક જાહેર ઇમારતો માટે પ્રયોજાતો હતો. એથેન્સના આવા એક ‘Stoa’માં કાઇટિયમ(Citium)ના ઝેનો (Zeno : 333–264 BC) વ્યાખ્યાનો આપતા હતા; તેથી જ, ઝેનોની અને તેમના અનુયાયીઓની તાત્વિક વિચારસરણીને…

વધુ વાંચો >

સ્પેન્સર હર્બર્ટ

સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત…

વધુ વાંચો >

હરમિન્યુટિક્સ

હરમિન્યુટિક્સ : અર્થઘટન અંગેનો વિચાર. Hermeneutics એ અંગ્રેજી શબ્દ મૂળ તો ગ્રીક ભાષામાં પ્રયોજાતા ક્રિયાપદ hermeneuin (એટલે કે કશુંક કહેવું, કશુંક સમજાવવું) અને ગ્રીક ભાષામાં પ્રયોજાતા નામ hermenia (એટલે કે સ્પષ્ટીકરણ, explanation) સાથે સંકળાયેલો છે. ગ્રીક ભાષાના આ શબ્દો મૂળ તો ગ્રીક દેવ હર્મિસ (Hermes) સાથે જોડાયેલા છે. વાણી અને…

વધુ વાંચો >