બળદેવપ્રસાદ પનારા

સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy)

સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy) : બેહોશીનો એક રોગ. આયુર્વેદવિજ્ઞાનમાં ‘મૂર્ચ્છા રોગ’ની સાથે જ છેવટે ‘સંન્યાસ’ રોગનું વિવરણ આપેલું છે. મૂર્ચ્છા અને સંન્યાસ બંનેમાં દર્દી બેહોશ થઈ પડી રહે છે. પ્રાય: વ્યક્તિના મગજમાં લોહીની અછત સર્જાય ત્યારે મૂર્ચ્છા (બેભાન અવસ્થા) થાય છે. આ મૂર્ચ્છા થોડો સમય રહીને વિના ઉપચારે મટી જાય છે;…

વધુ વાંચો >

સાગ

સાગ દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tectona grandis Linn. F. (સં. દ્વારદારુ, સ્થિરસાર; હિં. સાગૌન, સાગબાન; મ. સાગ, સાયા; બં. શેગુન; ક. જાડી, સાગવાની, ટેગા, ત્યાગડમરા; તે. અદાવીટીકુ, પેડ્ડાટીકુ, ટીકુ; ત. ટેકકુમાર, ટેક્કુ; મલા. થેક્કુ, ટેક્કા; અં. ટીક) છે. ટેક્ટોના પ્રજાતિનું વિતરણ દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ…

વધુ વાંચો >

સાટોડી (પુનર્નવા)

સાટોડી (પુનર્નવા) : દ્વિદળી વર્ગમાં આવેલા નિકટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boerhavia diffusa Linn. (સં. પુનર્નવા; હિં. વિષખપરા, સાંઠ, ગહદપૂર્ણા; મ. પુનર્નવા, ઘેટુળી, રક્તવાસુ; બં. શ્વેતપુણ્યા; ક. બિળેબેલ્લડકિલુ, સનાડિડા; તે. તેલ્લાઅટાલામામિડી; ત. મુક્કિરાટે; મલ. તાલુતામ્; તામિળામા; અં. સ્પ્રેડિંગ હોગવીડ) છે. સાટોડીની બીજી ત્રણ જાતિઓ આપવામાં આવી છે :…

વધુ વાંચો >

સાલમ

સાલમ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Orchis latifolia Linn. (સં. મુંજાતક, સુધામૂલી, સાલીમ કંદ; હિં. સાલમ, સાલમ પંજા, સાલમમિશ્રી; અં. સાલેપ) છે. સાલમ તરીકે ઓળખાવાતી ઑર્કિડેસી અન્ય વનસ્પતિઓમાં O. laxiflora (લસણિયો સાલમ), O. muscula (બાદશાહી સાલમ) અને Eulophia campestris(લાહોરી સાલમ)નો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

સાલવણ (શાલપર્ણી, સમેરવો)

સાલવણ (શાલપર્ણી, સમેરવો) : દ્વિદળી વર્ગમાં આવેલા લેગ્યુમિનોઝી (ફેબેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Desmodium gangeticum DC. (સં. શાલપર્ણી, ત્રિપર્ણી; હિં. સરિવન, શાલપર્ણી; મ. સાલવણ, રાનગાંજા; બં. સાલપાની; તે. ગીતાનારામ; ત. પુલ્લડી; મલ. પુલ્લાટી) છે. તેની ઊભી (D. gangeti cum) અને બેઠી (D. diffusum) – એવી બે જાત થાય…

વધુ વાંચો >

સિદ્ધયોગ સંગ્રહ

સિદ્ધયોગ સંગ્રહ : આયુર્વેદવિજ્ઞાનનો એક મહત્ત્વનો ગ્રંથ. ભારતમાં તેરમાથી અઢારમા શતક દરમિયાન આયુર્વેદવિજ્ઞાન રચાયેલા અનેક સંગ્રહગ્રંથોમાંનો તે એક મહત્ત્વનો ગ્રંથ છે. આ ગ્રંથના રચયિતા છે આચાર્ય વૃન્દ. વૃન્દે પોતાના આ ગ્રંથમાં વિષયોનો અનુક્રમ ‘માધવ-નિદાન’ ગ્રંથ મુજબ રાખેલ છે. બીજી દૃષ્ટિએ વૃન્દનો આ ગ્રંથ તિસટાચાર્યના ‘ચિકિત્સાકલિકા’ નામના સુપ્રસિદ્ધ ગ્રંથના ધોરણે, પરંતુ…

વધુ વાંચો >

સિંકોના

સિંકોના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સદાહરિત ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે; જેમનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે અને ભારત, ઇંડોનેશિયા, શ્રીલંકા અને આફ્રિકામાં છાલ માટે ઉગાડવામાં આવે છે. છાલ ક્વિનીન અને અન્ય પ્રતિમલેરીય ઔષધોનો સ્રોત છે. લગભગ 7 જાતિઓ અને તેમના સંકરોનો વ્યાપારિક વાવેતર માટે…

વધુ વાંચો >

સિંહનાદ ગૂગળ

સિંહનાદ ગૂગળ : આયુર્વેદનું એક ઔષધ. આયુર્વેદવિજ્ઞાનમાં વિવિધ જાતનાં દર્દો માટે વિવિધ સ્વરૂપની દવાઓની યોજના છે. તેમાંની કેટલીક દવાઓ ‘ગૂગળ’ને મુખ્ય રાખીને બને છે. આ ગૂગળ આયુર્વેદના મતે વાત-કફદોષ તથા વૃદ્ધાવસ્થાનાશક ઉત્તમ રસાયન-ઔષધિ છે. તે ખાંસી, કૃમિ, વાતોદર, પ્લીહા (બરોળ) જેવા વાયુ કે કફપ્રધાન દર્દો, સોજા અને હરસનો નાશ કરનાર…

વધુ વાંચો >

સૂર્યમુખી

સૂર્યમુખી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Helianthus annuus Linn. (સં. આદિત્યભક્તા; હિં., બં., ગુ. સૂરજમુખી; મ. સૂર્યફૂલ; અં. સનફ્લાવર.) છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ઉન્નત, રોમિલ, બરછટ, 0.64.5 મી. ઊંચું પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, લાંબા દંડવાળાં, પહોળાં અંડાકાર કે હૃદયાકાર,…

વધુ વાંચો >

સોઢલ (વૈદ્ય)

સોઢલ (વૈદ્ય) : ગુજરાતમાં 12મા શતકમાં થઈ ગયેલા પ્રસિદ્ધ વૈદ્ય. તેઓ વૈદક ઉપરાંત જ્યોતિષવિદ્યાના પણ પંડિત હતા. તેમણે ‘ગુણ-સંગ્રહ’ નામે એક નિઘંટુ (વનસ્પતિશાસ્ત્રનો કોશ) તથા ‘ગદનિગ્રહ’ નામે એક ચિકિત્સાગ્રંથ લખેલ છે. વૈદ્ય સોઢલે પોતે રચેલા નિઘંટુના અંતે પોતાનો પરિચય આપતાં લખ્યું છે કે પોતે વત્સગોત્રના રાયકવાળ બ્રાહ્મણ વૈદ્ય નન્દનના પુત્ર…

વધુ વાંચો >