થૉમસ પરમાર
એરણ
એરણ : મધ્યપ્રદેશમાં સાગર જિલ્લામાં બીના નદીને કાંઠે આવેલું ઐતિહાસિક સ્થળ. એનું પ્રાચીન નામ ‘એરિકિણ’ કે ‘ઐરિકિણ’ હતું. અહીંથી તામ્રપાષાણ કાળથી માંડીને 18મી સદી સુધીના પુરાવશેષો પ્રાપ્ત થયા છે. 1960-61માં અહીં સાગર યુનિવર્સિટી દ્વારા પ્રો. કે. ડી. બાજપાઈના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાંથી પ્રાપ્ત અવશેષોને આધારે આ નગરના…
વધુ વાંચો >એલિફન્ટા
એલિફન્ટા : મુંબઈથી 8 કિમી. દૂર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ. ત્યાં આવેલી શૈવ ગુફાઓ અને તેમાંનાં શિલ્પોને કારણે, વિશેષ તો ત્રિમુખધારી મહેશની મૂર્તિને લીધે પ્રસિદ્ધ છે. ગેટ વે ઑવ્ ઇન્ડિયાએથી સ્ટીમલૉન્ચ દ્વારા ત્યાં જવાની વ્યવસ્થા છે. આ ટાપુ 5.2 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું સ્થાનિક નામ ઘારાપુરી છે. આ નામ…
વધુ વાંચો >ઑબલિસ્ક
ઑબલિસ્ક : સૂર્યના પ્રતીક તરીકે ઇજિપ્તમાં બાંધવામાં આવતો સ્તંભ. તે ગ્રૅનાઇટ પથ્થરની એક જ શિલામાંથી બાંધવામાં આવતો એકાશ્મક સ્તંભ (monolithic pillar) છે. ઉપર જતાં ક્રમશ: તેની પહોળાઈ ઘટતી જતી. તેનો આકાર સમચોરસ કે લંબચોરસ રાખવામાં આવતો. પિરામિડ આકારની તેની ટોચ સોનાના ઢોળવાળી બનાવાતી. સ્તંભ પર સામાન્ય રીતે હાયરૉગ્લિફિક લિપિમાં લેખ…
વધુ વાંચો >ઓરિસાનું સ્થાપત્ય
ઓરિસાનું સ્થાપત્ય : ઓરિસામાં શૈલાત્મક (rock-cut) અને ઇમારતી (structural) – બંને પ્રકારનું સ્થાપત્ય આવેલું છે. શૈલાત્મક સ્થાપત્ય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદીનું છે અને તે જૈન ગુફાઓને સ્વરૂપે છે. ઇમારતી પ્રકારના સ્થાપત્યમાં મંદિરોનો સમાવેશ થાય છે. તેમનો સમય ઈ. સ. 800-1250નો છે. કટકની પાસે આવેલી ગુફાઓ શૈલાત્મક…
વધુ વાંચો >ઑર્ડર
ઑર્ડર : પશ્ચિમના શિષ્ટ સ્થાપત્યમાં સ્તંભોની વિવિધ રચના માટે વપરાતો શબ્દ. સામાન્ય રીતે સ્તંભ કુંભી (base), સ્તંભદંડ (shaft) અને શિરાવટી(capital)નો બનેલો હોય છે. તે સુશોભિત અને પ્રમાણસર હોય છે. સ્તંભોની આ શૈલી ડૉરિક, ટસ્કન, આયોનિક, કોરિન્થિયન અથવા કૉમ્પોઝિટ છે. આ સર્વમાં ટસ્કન શૈલીના સ્તંભો સર્વથી સાદા છે અને તે સંભવત:…
વધુ વાંચો >કક્ષાસન
કક્ષાસન : મંદિર-સ્થાપત્યનો એક ભાગ. કક્ષાસન ચંદ્રાવલોકન તરીકે પણ ઓળખાય છે. બેસવા માટેની ઊંચી કલાત્મક પથ્થરની બેઠકને કક્ષાસન કહે છે. કેટલાંક મંદિરના મંડપમાં કે શૃંગાર-ચોકીમાં, તો ક્યારેક બંનેમાં કક્ષાસનની રચના જોવા મળે છે. મંડપ કે શૃંગાર-ચોકીના પડખેના સ્તંભોને અડીને કક્ષાસન બાંધેલું હોય છે. બેઠકને અડીને ગોઠવેલી ઢળતી પથ્થરની નાની દીવાલ…
વધુ વાંચો >કબર
કબર : શબને દફનાવ્યા બાદ તે સ્થાને તેની પર કરવામાં આવતું સ્મારક. તે બાંધકામની ર્દષ્ટિએ કાચું કે પાકું પણ હોઈ શકે. જે માનવ-સમાજમાં શબને દફનાવવાનો રિવાજ છે ત્યાં કબર પ્રકારનું આ સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું છે. ઇજિપ્તના પિરામિડો એક રીતે જોઈએ તો કબરો જ છે. કારણ કે તે શબને માટે બાંધવામાં…
વધુ વાંચો >કુંભલગઢનો કિલ્લો
કુંભલગઢનો કિલ્લો : રાજસ્થાનનો પ્રસિદ્ધ કિલ્લો. કુંભલગઢ રાજસ્થાનમાં ઉદેપુરની વાયવ્યે 80 કિમી. દૂર અરવલ્લીની ટેકરીઓમાં આવેલો છે. તેના વ્યૂહાત્મક સ્થાનને લીધે રાજસ્થાનના કિલ્લાઓમાં તે બીજા ક્રમે આવે છે. રાણા કુંભાએ 1443–1458 દરમિયાન પ્રસિદ્ધ સ્થપતિ મંડનની દેખરેખ નીચે તે બંધાવ્યો હતો. માળવા અને ગુજરાતના સુલતાનોએ તેને જીતવા અનેક પ્રયત્નો કર્યા હતા;…
વધુ વાંચો >કેરળનું સ્થાપત્ય
કેરળનું સ્થાપત્ય : દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવેલો કેરળ એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે પ્રસિદ્ધ છે. મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કરીને બનાવેલાં ત્યાનાં મકાનોનાં છાપરાં સીધા ઢોળાવવાળાં હોય છે. પંદરમી સદીમાં બાંધેલાં આવાં મકાનો હજુ સારી સ્થિતિમાં જોવા મળે છે. કેરળમાં ગુફાઓ, મંદિરો, દેવળો, સિનેગોગ, મસ્જિદો, મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.…
વધુ વાંચો >કૈલાસનાથ મંદિર – કાંચી
કૈલાસનાથ મંદિર, કાંચી : પલ્લવશૈલીનું જાણીતું મંદિર. આ મંદિરનું અન્ય નામ ‘રાજસિંહેશ્ર્વગૃહમ્’ છે. પલ્લવ રાજા રાજસિંહે 700માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને તેના પુત્ર મહેન્દ્રવર્મા ત્રીજાએ પૂરું કરાવ્યું હતું. મુખ્ય મંદિર અને પ્રાકાર (કોટ) રાજસિંહે બંધાવેલાં; બાકીનો ભાગ તથા પ્રાંગણની આગળ આવેલું ગજપૃષ્ઠમંદિર મહેન્દ્રવર્માએ બંધાવેલાં. પલ્લવ શૈલીનાં સર્વ લક્ષણો…
વધુ વાંચો >