થૉમસ પરમાર

ચાંપાનેર

ચાંપાનેર : ચાંપાનેર (ઉ.અ. 22° 29’, પૂ.રે. 73° 32’) પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં હાલોલથી 6 કિમી. દૂર પાવાગઢની તળેટીમાં આવેલું છે. ઐતિહાસિક પુરાવાઓને આધારે ચાંપાનેર-પાવાગઢનું સ્થળ બહુ પ્રાચીન હોવાનું જણાય છે. અહીંથી પ્રાગૈતિહાસિક કાળના મધ્યાશ્મ અને અન્ત્યાશ્મ યુગનાં ઓજારો પ્રાપ્ત થયાં છે. ચાંપાનેરના આદિ માનવનો જીવનકાળ સંભવત: લાખેક વર્ષ કરતાં…

વધુ વાંચો >

દાની, અહમદ હસન

દાની, અહમદ હસન (જ. જૂન 1920, બસના; અ. 26 જાન્યુઆરી 2009, ઇસ્લામાબાદ) : પાકિસ્તાનના બૌદ્ધિક પુરાતત્વવિદ, ઇતિહાસવિદ અને ભાષાશાસ્ત્રી, મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના પુરાતત્વ અને ઇતિહાસના અભ્યાસ પર તેમનું પ્રભુત્વ હતું. તેમણે પાકિસ્તાન અને બંગ્લાદેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પુરાતત્વનો અભ્યાસ દાખલ કરાવ્યો હતો. વિશેષત: તેઓ ઉત્તર પાકિસ્તાનમાં પૂર્વસિંધુસભ્યતા અને…

વધુ વાંચો >

દેલવાડાનાં મંદિરો

દેલવાડાનાં મંદિરો : સોલંકીકાલ દરમિયાન ગુજરાતના મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતા છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ…

વધુ વાંચો >

દેવની મોરી

દેવની મોરી : ગુજરાતમાં સૌથી પ્રાચીનતમ બૌદ્ધ અવશેષો. અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે દેવની મોરી નામના સ્થળેથી બૌદ્ધ વિહાર અને સ્તૂપના અવશેષો મળી આવ્યા છે. સ્થાનિક લોકોમાં ભોજ રાજાના ટેકરા તરીકે ઓળખાતા આ સ્થળેથી મોટા કદની ઈંટો અને માટીનાં વાસણોના અવશેષો મળી આવતાં 1960માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ-વિભાગ દ્વારા ત્યા…

વધુ વાંચો >

ફતેહપુર સિક્રી

ફતેહપુર સિક્રી : ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવેલું મુઘલ સમ્રાટ અકબરનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 27° 06´ ઉ. અ. અને 77° 40´ પૂ. રે. તે આગ્રાથી પશ્ચિમે 37 કિમી. દૂર તથા મથુરાથી દક્ષિણે રાજસ્થાન સરહદ નજીક ભરતપુરથી અગ્નિકોણમાં આવેલું છે. ત્યાં 1527માં બાબર અને રાણા સંગ્રામસિંહ વચ્ચે યુદ્ધ થયું હતું.…

વધુ વાંચો >

બાઈ હરિરની વાવ

બાઈ હરિરની વાવ : અમદાવાદમાં અસારવા વિસ્તારમાં આવેલી વાવ. અમદાવાદની વાવોમાં તે શિરમોર ગણાય છે. મહમૂદ બેગડા(1459–1511)ના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકોમાં ‘દાદા હરિની વાવ’ તરીકે ઓળખાય છે. મહમૂદ બેગડાના અંત:પુરની હરિર નામની બાઈએ તે બંધાવી હતી. લેખમાં વાવ બંધાવ્યાની તારીખ વિ. સં. 1556 પોષ સુદ 13 ને…

વધુ વાંચો >

બાવન જિનાલય

બાવન જિનાલય : બાવન દેરીઓ સહિતનું જૈન મંદિર. કેટલાંક જૈન મંદિરોમાં બાંધકામની વિશિષ્ટ પ્રકારની રચના જોવા મળે છે. મૂલપ્રાસાદ(મુખ્ય મંદિર)ની ચારેય બાજુ સ્તંભાવલિયુક્ત પડાળીમાં દેવકુલિકાઓ(નાની દેરીઓ)ની હારમાળા કરેલી હોય છે. સામાન્ય રીતે પડાળીમાં દેવકુલિકાઓની સંખ્યા બાવન હોય તો આવું મંદિર બાવન જિનાલય તરીકે ઓળખાય છે, પરંતુ વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં દેવકુલિકાઓની સંખ્યા…

વધુ વાંચો >

બીબીજી (પંદરમી સદી)

બીબીજી (પંદરમી સદી) : ઈરાનના નામાંકિત ઉરેઝી સૈયદ ખુદમીર બિન સૈયદ બડા બિન સૈયદ યાકૂબની માતા. તેઓ ગુજરાતના ઇતિહાસમાં ‘બીબીજી’ તરીકે જાણીતાં છે. સૈયદ ખુદમીર 12 વર્ષના હતા ત્યારે બીબીજી તેમને લઈને પાટણથી અમદાવાદ આવ્યાં. સૂફી જ્ઞાન મેળવવા માટે બીબીજીએ પોતાનો પુત્ર વટવાના પ્રસિદ્ધ સંત કુતુબે આલમસાહેબને સોંપ્યો. બીબીજી સંસ્કારી…

વધુ વાંચો >

બીબીજી કી મસ્જિદ

બીબીજી કી મસ્જિદ : અમદાવાદમાં રાજપુર-ગોમતીપુરના વિસ્તારમાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને (1451–1459) સૈયદ ખુદમીરની માતા બીબીજી માટે 1454માં બંધાવી હતી. લેખમાં મસ્જિદને જુમા મસ્જિદ તરીકે ઓળખાવી છે. તેનો નિર્માણકાલ ઈ. સ. 1454 છે. હાલ આ મસ્જિદ ગોમતીપુરની મિનારાવાળી મસ્જિદ તરીકે ઓળખાય છે. મસ્જિદના મકસૂરા(મુખભાગ)માં મુખ્ય કમાનની બંને…

વધુ વાંચો >

બીબી મુઘલી

બીબી મુઘલી : સિંધના નગરઠઠ્ઠાના રાજા જામ જૂણાની પુત્રી. તે ગુજરાતના સુલતાન મુહમ્મદશાહની બેગમ હતી. ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાની તે માતા થાય. સિંધના રાજા જામને બે પુત્રીઓ હતી – મીર્ઘી(મરકી)બીબી અને મુઘલીબીબી. જામ પોતાની આ પુત્રીઓનાં લગ્ન અનુક્રમે મુહમ્મદશાહ અને શાહઆલમ સાથે કરાવવા ઇચ્છતા હતા અને તે માટે તેમણે…

વધુ વાંચો >