તત્ત્વજ્ઞાન

ઓર્તેગા ય ગાસેત, યોઝ

ઓર્તેગા ય ગાસેત, યોઝ (જ. 9 મે 1883, મેડ્રિડ, સ્પેન; અ. 18 ઑક્ટોબર 1955, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ લેખક અને ચિંતક. જર્મનીમાં તત્વજ્ઞાનનો પાંચ વર્ષ અભ્યાસ. 1910-1936 સુધી મૅડ્રિડ યુનિવર્સિટીમાં અધ્યાત્મવાદ(metaphysics)ના અધ્યાપક. તે પ્રિમો દ રિવેરાની તાનાશાહીના વિરોધી હતા. સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન તેમણે સ્વયં દેશવટો ભોગવ્યો હતો. 1945માં તે સ્પેન…

વધુ વાંચો >

ઑસ્ટિન, જે. એલ.

ઑસ્ટિન, જે. એલ. (જ. 28 માર્ચ 1911, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1960, ઑક્સફર્ડ) : બ્રિટિશ ફિલસૂફ. 1933માં ‘ઑલ સોલ્સ કૉલેજ’માં ફેલો તરીકે નિયુક્ત થયેલા. 1935થી તેમણે મેગડેલેન કૉલેજમાં સેવા આપેલી. 1952થી 1960 સુધી નૈતિક તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું. ઑસ્ટિનનું મુખ્ય પ્રદાન ભાષાના તત્વજ્ઞાનમાં જોઈ…

વધુ વાંચો >

કપિલ મુનિ

કપિલ મુનિ : સાંખ્યદર્શનના આદ્ય પ્રણેતા. શ્વેતાશ્વેતરોપનિષદ-(5.2)માં કપિલને હિરણ્યગર્ભના અવતાર તરીકે નિર્દેશ્યા છે. મહાભારતના શાન્તિપર્વના મોક્ષધર્મ-ઉપપર્વમાં તેમને સાંખ્યના વક્તા ગણ્યા છે. શ્રીમદભગવદગીતા (10.26) તેમને સિદ્ધશ્રેષ્ઠ અને મુનિ તરીકે વર્ણવે છે. રામાયણના બાલકાણ્ડમાં કપિલ યોગીને વાસુદેવના અવતાર અને સગરના સાઠ હજાર પુત્રોને ભસ્મ કરનાર કહ્યા છે. ભાગવતપુરાણના કાપિલેયોપાખ્યાનમાં કપિલને વિષ્ણુના અવતાર…

વધુ વાંચો >

કર્મ

કર્મ : વૈદિક ક્રિયાકર્મ. કર્મ એટલે ક્રિયાવ્યાપાર, ચેષ્ટા. ધાતુના તિઙન્ત કે કૃદન્તનો અર્થ. ‘દેવદત્ત ફળ ખાય છે’ : એ વાક્યમાં ‘ખાય છે’ એટલે ખોરાક મુખમાંથી ગળે ઉતારવારૂપ વ્યાપાર કરે છે, તે કર્મ કહેવાય. ‘કર્મ’ એ નામશબ્દ છે અને કારક સંબંધે તે ક્રિયા સાથે જોડાયેલો હોય છે. ઉપરના વાક્યમાં ‘ફળ’ એ…

વધુ વાંચો >

કર્મ અને પુનર્જન્મ

કર્મ અને પુનર્જન્મ વ્યાકરણમાં ‘કર્મ’ શબ્દનો શું અર્થ છે તે સુવિદિત છે. સાત વિભક્તિઓમાંની એક કર્મવિભક્તિ છે. ક્રિયાપદો સકર્મક કે અકર્મક હોય છે. પરિભાષામાં ઊંડા ઊતરવું જરૂરી નથી. દાર્શનિક ક્ષેત્રમાં ‘કર્મ’નો અર્થ ક્રિયા થાય છે. ક્રિયાના મુખ્ય બે વિભાગ છે – પરિણમનક્રિયા અને ગતિક્રિયા. સાંખ્ય-યોગમાં અને જૈનદર્શનમાં પરિણમનક્રિયા(પરિણામ)નું વિસ્તૃત અને…

વધુ વાંચો >

કર્મપ્રકૃતિ

કર્મપ્રકૃતિ : જૈન મત અનુસાર કર્મનું સ્વરૂપ. જૈન કર્મશાસ્ત્રમાં ‘કર્મ’ એટલે કે મનુષ્યની પ્રવૃત્તિના આઠ પ્રકારો છે : 1. જ્ઞાનાવરણ, 2. દર્શનાવરણ, 3. વેદનીય, 4. મોહનીય, 5. આયુ, 6. નામ, 7. ગોત્ર અને 8. અંતરાય. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે. એમને લીધે આત્માના ચાર મૂલ…

વધુ વાંચો >

કર્મયોગ (ભગવદગીતા)

કર્મયોગ (ભગવદગીતા) : સ્વધર્મને નક્કી કરવાની અને તેને બજાવતાં બંધનમુક્ત રહેવાની યુક્તિ કે કુશળતા. સ્વજનોનો નાશ કરવાનો હોવાથી ભયંકર લાગતા યુદ્ધકર્મથી નિવૃત્ત થવા ઇચ્છતા અર્જુનને ભગવદગીતામાં શ્રીકૃષ્ણે યુદ્ધકર્મમાં પ્રવૃત્ત થવાનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે ‘તું યોગમાં રહીને કર્મ કર.’ યોગની સમજૂતી આપતાં ત્યાં જણાવ્યું કે સિદ્ધિ અને અસિદ્ધિ –…

વધુ વાંચો >

કર્મસિદ્ધાન્ત

કર્મસિદ્ધાન્ત : કર્મનું ફળ ભોગવવું જ પડે છે એ તથ્યને આધારે નિષ્પન્ન થયેલો સિદ્ધાન્ત. કર્મ અને તેનું ફળ એ કાર્યકારણ-સંબંધ અટલ છે. આ કાર્યકારણ-સંબંધ તર્કાશ્રિત છે. ચાર્વાક સિવાયનાં સર્વ ભારતીય દર્શનો – અનાત્મવાદી બૌદ્ધદર્શન સુધ્ધાં – કર્મસિદ્ધાન્તને પોતપોતાની રીતે સ્વીકારે છે. અહીં કર્મ એટલે ‘ફલની આકાંક્ષાથી થતી ધર્માધર્માત્મક પ્રવૃત્તિ’. વિભિન્ન…

વધુ વાંચો >

કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન)

કર્મસિદ્ધાન્ત અને કર્મના પ્રકારો (જૈન) : સાધકના આત્મવિકાસમાં જે શક્તિને કારણે વિઘ્ન ઉપસ્થિત થાય છે તે. સંસારી આત્માઓની સુખ, દુ:ખ, સંપત્તિ, આપત્તિ અને ઊંચનીચ આદિ જે કોઈ વિભિન્ન અવસ્થાઓ ર્દષ્ટિગોચર થાય છે તે સર્વમાં કાલ તેમજ સ્વભાવ આદિની જેમ કર્મ પણ એક પ્રબલ કારણ છે. જૈનદર્શન જીવોની આ વિભિન્ન પરિણતિઓમાં…

વધુ વાંચો >

કલ્બ

કલ્બ : બૌદ્ધિક ક્રિયાઓના આધારરૂપ અંતઃકરણનો ભાગ. સૂફીઓ એક ઉચ્ચતર આત્માનો સ્વીકાર કરે છે અને તેના ત્રણ વિભાગ કરે છે : કલ્બ, રૂહ અને સિર્ર. કલ્બનો અંતઃકરણની બુદ્ધિ સાથે યોગ છે. સૂફીઓ અનુસાર કલ્બ સ્થૂળ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચે રહેલું છે. દૃશ્યમાન જગતમાં અભિવ્યક્ત થનારા પરમાત્માવિષયક જ્ઞાનને તે…

વધુ વાંચો >