કાયદાશાસ્ત્ર
સિંહા ભુવનેશ્વરપ્રસાદ
સિંહા, ભુવનેશ્વરપ્રસાદ (જ. 1 ફેબ્રુઆરી 1899; અ. ?) : ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ. પ્રારંભિક, માધ્યમિક અને કૉલેજશિક્ષણ પટણા ખાતે લીધું તેમજ 1919માં પટણા કૉલેજમાંથી સ્નાતક બન્યા ત્યારે તેઓ સર્વોચ્ચ ક્રમાંક-સ્થાન ધરાવતા હતા. 1921માં તેમણે અનુસ્નાતક પદવી મેળવી અને ત્યારબાદ કાયદાના સ્નાતક બન્યા. પટણાની વડી અદાલતથી પોતાની કારકિર્દીનો આરંભ કરી…
વધુ વાંચો >સીરવઈ એચ. એમ.
સીરવઈ એચ. એમ. (જ. 5 ડિસેમ્બર 1906, મુંબઈ; અ. 25 જાન્યુઆરી 1996, મુંબઈ) : ભારતના અગ્રણી ન્યાયવિદ, ભારતના પૂર્વ ઍટર્ની જનરલ તથા સૉલિસિટર જનરલ અને મહારાષ્ટ્રના પૂર્વ ઍડ્વોકેટ જનરલ. આખું નામ હોરમસજી માણેકજી સીરવઈ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. કુશાગ્ર બુદ્ધિ માટે જાણીતા. અંગ્રેજી સાહિત્ય અને ફિલૉસૉફીમાં ખાસ રુચિ. 1927માં તત્વજ્ઞાન વિષય…
વધુ વાંચો >સીરિલ જ્હૉન રેડક્લિફ
સીરિલ જ્હૉન રેડક્લિફ (જ. 30 માર્ચ, 1899 લીલાનચાન, વેલ્સ પ્રાંત, ઇંગ્લૅન્ડ; અ. 1 એપ્રિલ, 1977) : બ્રિટિશ ધારાશાસ્ત્રી અને ભારત-પાકિસ્તાનના સીમા નિર્ધારક. તેઓ હેલીબ્યુરી કૉલેજમાં સ્નાતક થઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં સેવા આપવા જોડાયા હતા, પરંતુ દૃષ્ટિની નબળાઈને કારણે મજૂરદળમાં તેમને સામેલ કર્યા હતા. યુદ્ધની સમાપ્તિ પછી 1921ના વર્ષમાં સ્કૉલર તરીકે ઑક્સફર્ડ…
વધુ વાંચો >સુખાધિકાર (Easement)
સુખાધિકાર (Easement) : મિલકત પરના અધિકારનો એક પ્રકાર. સ્થાવર મિલકતનો માલિક પોતાની મિલકત ભોગવવાનો કે વેચવાનો હક્ક ધરાવે છે; પણ અમુક સંજોગોમાં એ પારકી મિલકત પર પણ અમુક હક્ક ભોગવી શકે છે. એમાંના એક હક્કનો પ્રકાર છે સુખાધિકાર. ભારતમાં ઈ. સ. 1882માં સુખાધિકાર અધિનિયમ અમલમાં આવ્યો. કોઈ જમીનનો માલિક કે…
વધુ વાંચો >સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર)
સૂચનાપત્ર (કાયદાશાસ્ત્ર) : કોઈ પણ અગત્યની બાબત અંગે સામા પક્ષને ખબર આપવા માટેનું વૈધિક સાધન. તે માટે અંગ્રેજીમાં ‘નોટિસ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં તે માટે ઘણા વિકલ્પાર્થી શબ્દો છે; દા.ત., સૂચિત કરવું, ચેતવવું, નોટિસ આપવી, જાણકારી આપવી, સૂચના આપવી, ખબર આપવી, વિજ્ઞાપનયુક્ત ઘોષણા અથવા જાહેરાત કરવી, વિજ્ઞપ્તિ…
વધુ વાંચો >સૂચનાપત્ર (notice) (વાણિજ્ય)
સૂચનાપત્ર (notice) (વાણિજ્ય) : તથ્ય/હકીકતની જાણ ધરાવતી વ્યક્તિ દ્વારા તે અંગેનો સંદેશો વૈધિક રીતે અન્ય સંબંધિત વ્યક્તિને જણાવવા માટે લખવામાં આવતો પત્ર. કોઈ પણ સંબંધિત વ્યક્તિ જેને તથ્ય/હકીકત અંગેનો સંદેશો મોકલવાનો હોય તે વ્યક્તિ ત્રણ પ્રકારના સંજોગોમાં આ પ્રકારના તથ્ય/હકીકત અંગે માહિતગાર છે જ, – તેમ કાનૂન દ્વારા માનવામાં આવે…
વધુ વાંચો >સેઠ લીલા
સેઠ, લીલા (જ. 20 ઑક્ટોબર 1930, કોલકાતા) : કાનૂની ક્ષેત્રે ઉજ્જ્વળ કારકિર્દી ધરાવનાર, વડી અદાલતોમાં પ્રથમ મહિલા ન્યાયમૂર્તિનું સ્થાન હાંસલ કરનાર તેજસ્વી નારી. તેમનાં પ્રારંભિક વર્ષો આશ્રયવિહીનતાને કારણે (homelessness) સંઘર્ષનાં હતાં. દાર્જિલિંગની કૉન્વેન્ટ સ્કૂલમાં શાલેય શિક્ષણ મેળવી તેઓ કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં અને 1954માં પ્રેમનાથ સેઠ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. પતિ…
વધુ વાંચો >સેતલવાડ ચિમનલાલ હરિલાલ (સર)
સેતલવાડ, ચિમનલાલ હરિલાલ (સર) (જ. 1866, ભરૂચ, ગુજરાત; અ. 1947, મુંબઈ) : ભારતના પ્રખર ધારાશાસ્ત્રી, મુંબઈ ઇલાકાના પૂર્વ ઍડ્વોકેટ જનરલ અને મુંબઈ વડી અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ. કાયદાના ક્ષેત્રમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી તેની પ્રેરણા તેમણે તેમના પિતા પાસેથી પ્રાપ્ત કરી હતી જે પોતે તેમના જમાનાના જાણીતા ધારાશાસ્ત્રી હતા. ચિમનલાલનું પ્રાથમિક…
વધુ વાંચો >સેતલવાડ મોતીલાલ ચિમનલાલ
સેતલવાડ, મોતીલાલ ચિમનલાલ (જ. 12 નવેમ્બર 1884, અમદાવાદ; અ. ઑગસ્ટ 1974, મુંબઈ) : ભારતના અગ્રણી ધારાશાસ્ત્રી, પ્રથમ પંક્તિના ન્યાયવિદ અને સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની જનરલ. કાયદા અને વકીલાત સાથે ઘનિષ્ઠ અને પરંપરાગત સંબંધ ધરાવતા પરિવારમાં જન્મ. તેમના પ્રપિતામહ અંબાશંકર શરૂઆતમાં મુંબઈમાં સદર દીવાની અદાલતના શિરસ્તેદાર અને નિવૃત્તિ ટાણે અમદાવાદમાં મુખ્ય…
વધુ વાંચો >સેનવર્મા એસ. પી.
સેનવર્મા, એસ. પી. (જ. 1 ફેબ્રુઆરી 1909, બારીસાલ, બાંગ્લાદેશ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી અને કાયદાપંચના સભ્ય. પિતા અમૃતલાલ અને માતા સોનાલક્ષ્મી દેવી. પત્ની આરતી સેનવર્મા. કોલકાતા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ કાયદાના અનુસ્નાતક (એલએલ.એમ.) થયા. 1942માં પશ્ચિમ બંગાળ સરકારની ન્યાયિક સેવામાં જોડાયા. તે પછી સ્વતંત્ર ભારત સરકારમાં કાયદા-મંત્રાલયમાં વિશેષ સચિવ…
વધુ વાંચો >