આયુર્વેદ

આચાર્ય, જાદવજી ત્રિકમજી

આચાર્ય, જાદવજી ત્રિકમજી (જ. 1882, પોરબંદર; અ. 1956, જામનગર) : આયુર્વેદના નિષ્ણાત વિદ્વાન. પિતા પોરબંદરના રાણાના રાજવૈદ્ય હતા. પ્રાથમિક શિક્ષણ પોરબંદરમાં. પછી મુંબઈમાં સંસ્કૃત વ્યાકરણ, દર્શન, આયુર્વેદ ઉપરાંત ફારસી, અરબીનો અભ્યાસ કર્યો હતો. હકીમ રામનારાયણજી પાસે યુનાની અને રાજસ્થાનના પંડિત ગૌરીશંકર પાસે આયુર્વેદપદ્ધતિની વિશેષ જાણકારી પ્રાપ્ત કરી હતી. વૈદક ઉપરાંત…

વધુ વાંચો >

આત્રેય પુનર્વસુ

આત્રેય પુનર્વસુ (ઈ. પૂ. 1500થી 1000) : આયુર્વેદના અત્યંત મહત્વના પ્રાચીન ગ્રંથ ‘ચરકસંહિતા’ના વક્તા. સંહિતાગ્રંથોમાં આત્રેય નામથી પુનર્વસુ આત્રેય, કૃષ્ણ આત્રેય અને ભિક્ષુક આત્રેય એમ ત્રણ ઋષિઓનો ઉલ્લેખ મળે છે. તેમાં પુનર્વસુ આત્રેય તે જ કૃષ્ણ આત્રેય એવું વિદ્વાનોનું માનવું છે. પુનર્વસુ આત્રેયનું બીજું એક નામ ‘ચંદ્રભાગી આત્રેય’ મળે છે…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આનંદભૈરવ રસ

આનંદભૈરવ રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ હિંગુલ, શુદ્ધ વછનાગ, કાળાં મરી, શુદ્ધ ટંકણખાર અને લીંડીપીપર સરખા પ્રમાણમાં લઈ ખરલમાં સારી રીતે ઘૂંટીને બારીક ચૂર્ણ બનાવી, લગભગ 0.125 ગ્રા.થી 0.25 ગ્રા.ના પ્રમાણમાં કડા છાલ તથા ઇન્દ્રયવના ચૂર્ણને મધમાં મેળવી તેની સાથે આપવાથી ત્રિદોષજનિત અતિસારના રોગમાં લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

આભાગુગ્ગુલુ

આભાગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધિ. બાવળની છાલ, હરડે, બહેડાં, આંબળાં, સૂંઠ, મરી, પીપર દરેક સમભાગે લઈ તે સર્વના વજનના પ્રમાણમાં શુદ્ધ ગૂગળ મેળવીને ચણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે. 2થી 4 ગોળી પાણી સાથે આપવાથી અસ્થિભંગમાં આરામ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

આમલકી રસાયન

આમલકી રસાયન : આયુર્વેદિક ઔષધ. સૂકાં આંબળાંના ચૂર્ણને ખરલમાં નાખી લીલાં આંબળાંના સ્વરસની 21 ભાવના આપીને સૂકવી ચાળીને બાટલીમાં ભરી લેવામાં આવે છે. આ આમલકી રસાયન 3થી 5 ગ્રામની માત્રામાં પાણી અગર મધ સાથે લેવાથી ક્ષય, રક્તપિત્ત, પ્રમેહ, દાહ વગેરે રોગોમાં ફાયદો થાય છે. તે સાજા માણસને માટે રસાયન છે.…

વધુ વાંચો >

આમવાત (આયુર્વેદ)

આમવાત (આયુર્વેદ) : એક પ્રકારનો સંધિરોગ (joint disease). આયુર્વેદ અનુસાર સંધિરોગોમાં સૌથી વધુ પ્રમાણ આમવાતનું હોય છે. આધુનિક તબીબી વિજ્ઞાન તેને રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ કહે છે; પણ આયુર્વેદના નિષ્ણાતો રૂમેટૉઇડ જ્વરનો પણ તેમાં સમાવેશ કરે છે. ‘આમ’ સાથે વાતદોષનો પ્રકોપ થતાં ‘આમવાત’ થાય છે. આમ એટલે આહારનો અપક્વ રસ. આમની ઉત્પત્તિ…

વધુ વાંચો >

આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન

આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન ભારતનું વૈદક અંગેનું અતિપ્રાચીન શાસ્ત્ર. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુતાદિ આચાર્યો આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માને છે. જ્ઞાનપરંપરામાં એમ મનાય છે કે સૌપ્રથમ બ્રહ્મદેવે આયુર્વેદનું સ્મરણ કર્યું. તેમણે તે દક્ષ પ્રજાપતિને આપ્યું અને તેમની પાસેથી પ્રાપ્ત કરીને અશ્વિનીકુમારો દેવોના ચિકિત્સક તરીકે…

વધુ વાંચો >

આરોચક (અરોચક, અરુચિ)

આરોચક (અરોચક, અરુચિ) : ખાવાપીવાની રુચિ ન થાય તે રોગ. વાત, પિત્ત અને કફને કોપાવનાર ખોરાક, શોક, ભય, અતિલોભ, ક્રોધ, અપથ્ય ભોજન વગેરે આ રોગનાં કારણો ગણાય છે. ભૂખ ન લાગવી અને મોઢામાં ખોરાકનો ખરો સ્વાદ ન જણાવો તે આ રોગનાં લક્ષણો છે. હિંગાષ્ટક ચૂર્ણ, ચિત્રકાદિ ચૂર્ણ, લવણ-ભાસ્કર ચૂર્ણ, અજમોદાદિ…

વધુ વાંચો >

આહાર (આયુર્વેદ)

આહાર (આયુર્વેદ) : સજીવો દ્વારા લેવાતો ખોરાક. ‘आहार्यते जिह्वया सह दंतैश्च अधः गलान्नीयते यः स आहारः । ’ જીભ અને દાંત દ્વારા ગળા નીચે લઈ જવામાં આવે છે તે આહાર(જલ્પકલ્પતરુ ટીકા-ગંગાધર). ચરકસૂત્ર અનુસાર વર્ણની પ્રસન્નતા, ઉત્તમ સ્વર, જીવન, પ્રતિભા, આરોગ્ય, સંતોષ, પુષ્ટિ, બળ, મેધા એ બધું જ આહારને અધીન છે.…

વધુ વાંચો >