આયુર્વિજ્ઞાન
વ્યામોહવત્ વિકારો
વ્યામોહવત્ વિકારો : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.
વધુ વાંચો >વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy)
વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) : રોગ કે અપંગતાનું નિદાન અને કુદરતી કે ભૌતિક પદ્ધતિએ ઉપચાર કરવાની વિદ્યા. તેને ભૌતિક ચિકિત્સા (physical therapy) અથવા physiatrics પણ કહે છે. અને તે ગ્રીક શબ્દ ‘physis’ (એટલે કે કુદરત, nature) પરથી બનેલો પારિભાષિક શબ્દ છે. તેમાં સારવાર માટે વિદ્યુત, જલ કે વાયુ વડે કરાતી વીજચિકિત્સા…
વધુ વાંચો >વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)
વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ…
વધુ વાંચો >વ્રણ (ulcer) (આયુર્વિજ્ઞાન)
વ્રણ (ulcer) (આયુર્વિજ્ઞાન) : ચામડી કે શ્લેષ્મકલા(mucous membrane)માં છેદ. તેને ચાંદું પણ કહે છે. શરીરના બહારના ભાગનું આવરણ ચામડી છે જ્યારે તેના અવયવોનાં પોલાણોની અંદરના આવરણને શ્લેષ્મકલા કહે છે. આ બંનેના સપાટી પરના સ્તરને અધિચ્છદ (epithelium) કહે છે. તેમાં તૂટ ઉદ્ભવે, છેદ કે ઘાવ પડે ત્યારે તેને ચાંદું અથવા વ્રણ…
વધુ વાંચો >વ્હિપલ, જ્યૉર્જ હૉયટ (George Hoyt Whipple)
વ્હિપલ, જ્યૉર્જ હૉયટ (George Hoyt Whipple) (જ. 28 ઑગસ્ટ 1878, ઍશલૅન્ડ, ન્યૂહૅમ્પશાયર, યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1976) : સન 1934ના દેહધર્મવિદ્યા કે તબીબીવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેઓ સાથે જ્યૉર્જ આર. મિનોટ અને વિલિયમ પી. મર્ફિને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. વિપ્રણાશી પાંડુતા(pernicious anaemia)ના રોગમાં યકૃત વડે સારવાર કરવાથી ફાયદો…
વધુ વાંચો >શમ્વે, નૉર્મન એડવર્ડ
શમ્વે, નૉર્મન એડવર્ડ (જ. 9 ફેબ્રુઆરી 1923, કાલામાઝૂ, મિશિગન; અ. 10 ફેબ્રુઆરી 2006, પૅલો ઍલ્ટો, કૅલિફૉર્નિયા) : અમેરિકન શલ્યચિકિત્સક. તેઓ હૃદય પ્રતિરોપણ(transplantation)માં અગ્રણી શલ્યચિકિત્સક હતા. તેમણે સ્ટેન્ફર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર, યુ.એસ.માં સૌપ્રથમ વાર સફળ રીતે માનવહૃદય-પ્રતિરોપણ જાન્યુઆરી 6, 1968ના રોજ કર્યું હતું. શમ્વેએ 1949માં એમ.ડી.ની ઉપાધિ વાન્ડર-બિલ્ટ યુનિવર્સિટી, નેશવિલ, ટેનિસીમાંથી…
વધુ વાંચો >શરદી (common cold)
શરદી (common cold) : ઉપરના શ્વસનમાર્ગનો સ્વત:સીમિત (self-limited) વિષાણુજન્ય ચેપ. તે નાક, ગળું અને નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણો(અસ્થિવિવર, sinus)માં થતો અને પોતાની જાતે શમતો વિષાણુથી થતો વિકાર છે. પુખ્તવયે દર વર્ષે 2થી 4 વખત અને બાળકોમાં 6થી 8 વખત તે થાય છે. તેના કારણરૂપ મુખ્ય વિષાણુઓ છે. નાસાવિષાણુ (rhinovirus, 40…
વધુ વાંચો >શલ્યસ્થાનાંતરતા (embolism)
શલ્યસ્થાનાંતરતા (embolism) : લોહીનો ગઠ્ઠો, હૃદયના વાલ્વ પર થતા કપાટમસા (vegetations), હવાનો પરપોટો, મેદ(ચરબી)નો ગઠ્ઠો કે અન્ય બાહ્ય પદાર્થ લોહી વાટે વહીને કોઈ નસમાં લોહીનું વહન અટકાવી દે તે સ્થિતિ. જે દ્રવ્યનું લોહી વાટે આવી રીતે સ્થાનાંતરણ થતું હોય તેને શલ્યકંદુક અથવા શલ્ય (embolus) કહે છે. જો ચેપી દ્રવ્યનું વહન…
વધુ વાંચો >શલ્યસ્થાનાંતરતા, ફેફસી
શલ્યસ્થાનાંતરતા, ફેફસી : જુઓ શલ્યસ્થાનાંતરતા.
વધુ વાંચો >શવકાઠિન્ય (rigor mortis)
શવકાઠિન્ય (rigor mortis) : મૃત્યુ પછી શરીરના સ્નાયુઓમાં આવતી કાયમી ધોરણની અક્કડતા. મૃત્યુ પછી શરીરની સ્નાયુપેશીમાં ક્રમશ: 3 તબક્કામાં ફેરફાર થાય છે : (અ) પ્રાથમિક શિથિલન, (આ) શવકાઠિન્ય (અક્કડતા) અને (ઇ) દ્વૈતીયિક શિથિલન. મૃત્યુ પછી શરીરના બધા સ્નાયુઓ શિથિલ થવા માંડે છે પરંતુ જે સ્નાયુઓ મૃત્યુ સમયે સંકોચાયેલા હોય છે…
વધુ વાંચો >