સ્થાપત્યકલા

સ્ટકો

સ્ટકો : શિલ્પો બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. પથ્થર અથવા માટી પર ચૂના વગેરેનું પ્લાસ્ટર કરી તેમાં મૂર્તિઓ કોતરી કાઢવામાં આવે તેને સ્ટકો (Stucco) કહે છે. આ પ્રકારની મૂર્તિઓને ‘પ્રસ્તર’ મૂર્તિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટકો શબ્દ ઇટાલિયનમાંથી અંગ્રેજીમાં 18મી સદીમાં પ્રચલિત થયો. વાસ્તવમાં સ્ટકોની પદ્ધતિ પ્રાચીન રોમનોએ છતના અલંકરણ…

વધુ વાંચો >

સ્તંભાકાર સંરચના

સ્તંભાકાર સંરચના : જુઓ સાંધા.

વધુ વાંચો >

સ્તૂપ

સ્તૂપ : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. ભગવાન બુદ્ધ કે તેમના શિષ્યો કે બૌદ્ધ ધર્મના આગળપડતા ધર્મોપદેશકોના કોઈ એક અવશેષ(જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ, કોલસા વગેરે)ના સંરક્ષણ માટે બૌદ્ધો સ્મૃતિગૃહો બાંધતા. અવશેષોને ધાતુપાત્રમાં સંગ્રહી, પાત્રને પથ્થરના દાબડા(મંજૂષા કે સમુદગક)માં મૂકી, લેખ સાથે દાટવામાં આવતા અને તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું…

વધુ વાંચો >

સ્તૂપ બોરોબુદુર

સ્તૂપ બોરોબુદુર : જુઓ બોરોબુદુર.

વધુ વાંચો >

સ્તૂપ સાંચી

સ્તૂપ સાંચી : જુઓ સાંચીનો સ્તૂપ.

વધુ વાંચો >

સ્તોઆ

સ્તોઆ : પ્રવેશચોકી અથવા છત સાથેની સ્તંભાવલિ. ઉત્તમ સ્તોઆનું ઉદાહરણ એથેન્સ મુકામે એટ્ટાલોસ(ઈ. પૂ. બીજી સદી)નું છે. મ્યુઝિયમ તરીકે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગ્રીક સ્થાપત્યમાં અલાયદી સ્તંભાવલિને પણ સ્તોઆ કહે છે. બાયઝેન્ટિયમ સ્થાપત્યમાં ગૂઢમંડપ(covered hall)ને સ્તોઆ કહે છે. તેની છત સ્તંભોની એક અથવા બે હાર વડે ટેકવેલી હોય છે.…

વધુ વાંચો >

સ્થપતિ

સ્થપતિ : મુખ્ય વાસ્તુશાસ્ત્રજ્ઞ. ભારતીય વાસ્તુશાસ્ત્ર અથવા વાસ્તુકલામાં સ્થપતિનું સ્થાન ઘણું મહત્ત્વનું માનવામાં આવ્યું છે. ‘માનસાર’ જેવા ગ્રંથો તેને વિશ્વકર્માનો પુત્ર માને છે. સ્થાપનાનો તે અધિપતિ હોવાથી તેને સ્થપતિ કહેવામાં આવે છે. ભોજે પોતાના ‘સમરાંગણ સૂત્રધાર’ના ‘સ્થપતિ-લક્ષણમ્’ નામના 44મા અધ્યાયમાં સ્થપતિની યોગ્યતા વર્ણવી છે. જે વ્યક્તિ શાસ્ત્ર, કર્મ-કૌશલ, પ્રજ્ઞા તથા…

વધુ વાંચો >

સ્થાપત્યકલા

સ્થાપત્યકલા લલિતકલાઓના વર્ગમાંની એક રૂપપ્રદ કલા. ચિત્રકલા અને શિલ્પકલાની જેમ સ્થાપત્યકલા રૂપપ્રદ કલા છે. સ્થાપત્યની વ્યાખ્યા આપતાં સર સીડની કોલવીન જણાવે છે : ‘સ્થાપત્ય ઘાટ આપવાની કલા છે. એનું કાર્ય ક્રમબદ્ધ અને વિભૂષિત પિંડોના સંયોજનથી લાગણી વ્યક્ત અને ઉત્તેજિત કરવાનું છે.’ લાગણીનો સ્પર્શ ધરાવતી ઇમારતને સ્થાપત્ય કહી શકાય. સંસ્કૃતમાં સ્થાપત્ય…

વધુ વાંચો >

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય

સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય : શ્રી સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા વિવિધ સ્થળોએ સ્થાપેલાં શાસ્ત્રીય સ્વરૂપનાં મહા મંદિરો અને તેનું સંપ્રદાયમાં આ જ દિન સુધીનું અનુસંધાન. ભક્તોની રક્ષા કરવા અને એકાંતિક ધર્મની સ્થાપના કરવા અવતાર ધારણ…

વધુ વાંચો >

હઠીસિંહનાં દેરાં

હઠીસિંહનાં દેરાં : અમદાવાદનું પ્રસિદ્ધ જૈનમંદિર. અમદાવાદમાં દિલ્હી દરવાજાની બહાર શાહીબાગના રસ્તે તે આવેલું છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાનને સમર્પિત આ મંદિર શેઠ હઠીસિંહે વિ. સં. 1901(ઈ. સ. 1845)માં બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ તેમના એકાએક અવસાનને કારણે તેમનાં પત્ની શેઠાણી હરકુંવરે વિ. સં. 1903(ઈ. સ. 1847)માં તેનું બાંધકામ પૂરું કરાવ્યું.…

વધુ વાંચો >