સ્થાપત્યકલા

રોજો

રોજો : જુઓ મકબરો.

વધુ વાંચો >

રોડાનાં મંદિર

રોડાનાં મંદિર : સાબરકાંઠા જિલ્લાના રોડા ગામે આવેલાં મંદિરોનો સમૂહ. રોડા(તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા)માં મૈત્રક કાલનાં સાત મંદિરોનો સમૂહ આવેલો છે. એમાંના મંદિર નં. 4ની હાલ જગતી જ મોજૂદ રહી છે. આ મંદિરો પૈકી મંદિર નં. 7 સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. એ ચોરસ કે લંબચોરસ ગર્ભગૃહ અને એવા…

વધુ વાંચો >

રોમન કલા

રોમન કલા : પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય-કળાનું પ્રવર્તન. પ્રાચીન રોમનોએ ગ્રીસ જીત્યું, પરંતુ કલા અને સૌંદર્યશાસ્ત્ર-(aesthetics)ના ક્ષેત્રે સમરાંગણના વિજેતાઓએ હારેલા ગ્રીકો આગળ ભાવપૂર્વક માથાં નમાવ્યાં. ગ્રીસની શાખ સંસ્કારક્ષેત્રે એટલી વ્યાપક હતી કે રોમન સેનાપતિઓ ગ્રીસ જીતી લેવા ઉત્સાહભેર યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેઓ ગ્રીક કલાકૃતિઓ લૂંટવામાં…

વધુ વાંચો >

રોમન સ્થાપત્ય

રોમન સ્થાપત્ય : રોમન સ્થાપત્યમાં રોમન સામ્રાજ્યના વૈભવ અને ઠાઠમાઠનાં ભવ્ય દર્શન થાય છે. વિશાળ મંદિરો, માર્ગો, સ્નાનાગાર, ઍમ્ફી થિયેટર, કબરો, વિજય-સ્તંભો (કીર્તિ-સ્તંભો) વગેરેનો સમાવેશ રોમન સ્થાપત્યમાં થાય છે. રોમન સ્થાપત્યનો ફેલાવો સમગ્ર યુરોપમાં થયો અને યુરોપના સ્થાપત્યનો તે મુખ્ય આધાર બન્યું. આઠમી સદીમાં અનેક મોટાં મંદિરો બંધાયાં. આ સમયની…

વધુ વાંચો >

રોમનેસ્ક કલા અને સ્થાપત્ય

રોમનેસ્ક કલા અને સ્થાપત્ય : રોમનેસ્ક કલાનો ઉદભવ કેરોલિન્જિયન યુગ દરમિયાન સમ્રાટ શાર્લમૅનના સમય(768–814)માં થયો હતો. લગભગ એક હજાર વર્ષ પછી સમગ્ર રોમન સામ્રાજ્યમાં  ઇટાલી, જર્મની, સ્પેન, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સમાં બાંધકામની પ્રવૃત્તિ મોટા પાયે શરૂ થઈ હતી. વિશેષત: ફ્રાન્સમાં આનો પ્રારંભ થયો હતો. અગિયારમીબારમી સદી દરમિયાનના યુરોપની સ્થાપત્યશૈલી રોમનેસ્ક શૈલી તરીકે…

વધુ વાંચો >

લક્ષ્મણમંદિર, સિરપુર

લક્ષ્મણમંદિર, સિરપુર : મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલું ગુપ્તકાલીન મંદિર. ગુપ્તકાલીન ઈંટેરી મંદિરોના સમૂહમાં સિરપુરનું લક્ષ્મણમંદિર ઘણું વિકસિત સ્વરૂપ ધરાવે છે. આ મંદિર ભીતરગાંવના ઈંટેરી મંદિરની રચનાને સામાન્ય રીતે મળતું આવે છે. લગભગ સાતમી સદીની શરૂઆતમાં તેનું બાંધકામ થયેલું જણાય છે. આ મંદિરના ભગ્નાવશેષોમાંથી માત્ર તેનું ગર્ભગૃહ અને મંડપના ભાગ જળવાઈ…

વધુ વાંચો >

લખપતજીની છતરડી

લખપતજીની છતરડી : અઢારમી સદીના કચ્છનું અગ્રગણ્ય સ્થાપત્ય. કચ્છના રાજા રાવશ્રી લખપતજી(1752–1761)ની છતરડી ભુજના મહાદેવ નાકા બહાર આવેલી છે. લખપતજીના અવસાન બાદ વિ. સં. 1838માં રાવશ્રી રાયઘણજી બીજાના સમયમાં તે બાંધવામાં આવી હતી. કચ્છના રાજપરિવારના સભ્યોનાં ઘૂમટાકાર સ્મારકો ‘છતરડી’ તરીકે ઓળખાય છે. લખપતજીની આ છતરડી ‘છેલ છતરડી’ના નામથી ઓળખાતી હતી.…

વધુ વાંચો >

લટ્યન્ઝ એડવિન (સર)

લટ્યન્ઝ એડવિન (સર) (જ. 1869; અ. 1944) : વીસમી સદીનો જાણીતો બ્રિટિશ સ્થપતિ. તેણે થોડો સમય જ્યૉર્જ ઍન્ડ પેટો સાથે કામ કર્યું. તે પછી 1889માં તેણે સ્વતંત્ર રીતે પોતાની પ્રૅક્ટિસ શરૂ કરી. 1896માં તેણે ગેટ્રુડ જેકિલ માટે મુન્સેડ વુડની ડિઝાઇન કરી હતી. ગેટ્રુડ ગાર્ડન ડિઝાઇનર હતો અને તેણે લટ્યન્ઝના ઘડતરમાં…

વધુ વાંચો >

લદો, ક્લાઉદે નિકોલસ

લદો, ક્લાઉદે નિકોલસ (જ. 1736; અ. 18૦6) : ફ્રાન્સના સ્થપતિ. તેમણે લુઈ 15માના ફૅશનેબલ સ્થપતિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. માદામ દુ બેરિએ તેમને પ્રોત્સાહન આપ્યું. તેમણે ફ્રાન્સમાં નવ્યપ્રશિષ્ટતાવાદને વિકસાવ્યો. તેમના સમકાલીનોમાં માત્ર બુલિ જ તેની કલ્પના અને મૌલિકતાની દૃષ્ટિએ સમકક્ષ હતો, પરંતુ બુલિની ડિઝાઇનો માત્ર કાગળ પર જ રહી. અતિશય…

વધુ વાંચો >

લાડખાન મંદિર

લાડખાન મંદિર : કર્ણાટક રાજ્યના વીજાપુર જિલ્લામાં આવેલા ઐહોલમાં ચાલુક્ય શૈલીનાં લગભગ 70 જેટલાં મંદિરો પૈકીનું સૌથી પ્રાચીન મંદિર. તેનો વિસ્તાર 15 સમચોરસ મીટર છે. જીર્ણોદ્ધારને લીધે તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. પૂર્વાભિમુખ આ મંદિરને ફરતો પ્રાકાર (કોટ) છે. મંદિર ગર્ભગૃહ અને સભામંડપનું બનેલું છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે.…

વધુ વાંચો >