સ્થાપત્યકલા

નાર્થેક્સ

નાર્થેક્સ : ચર્ચની આગળની લાંબી સાંકડી પરસાળ. તેની રચના સ્તંભો વડે કરાતી. તેનો ઉપયોગ પ્રવેશમંડપ તરીકે પણ થતો. પહેલાંના સમયમાં શિક્ષાર્થી તથા પ્રાયશ્ચિત્ત કરવા આવનારને ત્યાં સુધી જ પ્રવેશ અપાતો. ચર્ચની અંદર જવાની તેમને મનાઈ હતી. ઘણી વાર નાર્થેક્સની સાથે એક અલિંદ પણ બનાવાતો. તેવા સંજોગોમાં નાર્થેક્સ, એક્સો-નાર્થેક્સ તરીકે ઓળખાતી.…

વધુ વાંચો >

નાહરગઢ કિલ્લો (અઢારમી સદી)

નાહરગઢ કિલ્લો (અઢારમી સદી) : રાજસ્થાનના કિલ્લાઓના સ્થાપત્યમાં સૌથી અર્વાચીન કહી શકાય તેવું સ્થાપત્ય ધરાવતો કિલ્લો. આ કિલ્લો જયપુરની વાયવ્ય હદ પર ટેકરી પર બંધાયેલો છે, જે ખાસ કરીને મહારાણીઓ માટેનો હતો. કિલ્લાની રચનામાં એક વિશાળ પટાંગણની ફરતે જુદાં જુદાં સાત મહાલયોની રચના કરવામાં આવી છે, જે દરેક સ્વતંત્ર રીતે…

વધુ વાંચો >

નાળમંડપ

નાળમંડપ : પગથિયાં, સીડી, મંદિરમાં પ્રવેશદ્વાર સાથે સંકળાયેલ મંડપને નાળમંડપ કહેવામાં આવે છે. મંદિરોના સ્થાપત્યમાં ગૂઢમંડપમાં પ્રવેશવા જ્યારે મંડપની ફરસની ઊંચાઈ આજુબાજુના જમીન, પ્રાંગણના સ્તરથી ઊંચે રખાતી ત્યારે પગથિયાંની ઉપર નાળમંડપ રચાતો. આનું આયોજન પણ ગૂઢમંડપના ભાગ રૂપે જ કરાતું. શિવમંદિરની સાથે નંદીના સ્થાનને ફરતો રચાતો મંડપ નંદીમંડપ તરીકે ઓળખાતો.…

વધુ વાંચો >

નાળુકેટ્ટુ ઘરો

નાળુકેટ્ટુ ઘરો : કેરળનાં ઘરો. તે સ્થાપત્યની દૃષ્ટિએ એક અત્યંત આગવી શૈલી ધરાવે છે. ઘરોની રચના તેની બાજુઓની સંખ્યા પ્રમાણે નામ ધારણ કરે છે. નાળુકેટ્ટુ એટલે ચાર બાજુવાળું ઘર. આવી જ રીતે એટ્ટુકેટ્ટુ એટલે આઠ બાજુવાળું ઘર. દરેક પાંખ(wing)માં જુદી જુદી સગવડોની રચના કરાયેલ હોય છે. વચ્ચે એક આંગણું હોય…

વધુ વાંચો >

નિમિયેર, ઑસ્કર

નિમિયેર, ઑસ્કર (જ. 15 ડિસેમ્બર 1907, રીયો–ડી–જાનેરો, બ્રાઝિલ, અ. 5 ડિસેમ્બર 2012, રિયો–ડી–જાનેરો, બ્રાઝિલ) : બ્રાઝિલના સ્થપતિ. તેમણે બ્રાઝિલના અર્વાચીન સ્થાપત્યના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો. પ્રારંભિક અભ્યાસ રિયો-ડી-જાનેરોમાં કરી 1934માં સ્થપતિની ઉપાધિ મેળવી. 1936માં તેમને લ કાર્બુઝયે સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. તેમણે…

વધુ વાંચો >

નિમ્ફેયમ

નિમ્ફેયમ : પ્રાચીન રોમન સ્થાપત્યમાં ફૂલઝાડ, ફુવારા તથા હોજના સમાવેશ માટે બનાવાતી ખાસ ઇમારત. તેને વિવિધ મૂર્તિઓ તથા કોતરણી વડે અલંકૃત કરાતી. ‘નિમ્ફેયમ’ શબ્દ ‘નિમ્ફ’ પરથી આવેલો છે, તે શબ્દ અપ્સરા, વનદેવતા કે વિદ્યાધર જેવી અર્ધદૈવી શક્તિઓ માટે વપરાય છે. તેમને માટે બનાવેલી ઇમારત તે નિમ્ફેયમ. રોમના લિસિયનિયનના બગીચાનું નિમ્ફેયમ…

વધુ વાંચો >

નીઓક્લાસિક સ્થાપત્ય

નીઓક્લાસિક સ્થાપત્ય : અઢારમી સદીમાં યુરોપમાં પ્રચલિત બનેલ પ્રાચીન ગ્રીસ અને રોમના શાસ્ત્રીય સ્થાપત્ય તેમજ સોળમી સદીના ઇટાલિયન રેનેસાંસ સ્થાપત્ય પર આધારિત સ્થાપત્યની સિદ્ધાંતનિષ્ઠ શૈલી. તેની શરૂઆત ગેબ્રિયલ તથા અન્ય સ્થપતિઓ દ્વારા કરાઈ અને બ્યુલી તથા લેડોઉક્સ જેવા સ્થપતિઓએ તે શૈલીમાં અંત સુધી કામ કરેલું. 1750માં સ્થાપત્યમાં રોમન તથા ગ્રીક…

વધુ વાંચો >

નીજો કિલ્લો, ક્યોટો

નીજો કિલ્લો, ક્યોટો : સત્તરમી સદીના જાપાની કાષ્ઠસ્થાપત્યનો લાક્ષણિક નમૂનો. જાપાનના મધ્યકાલીન સ્થાપત્યમાં પથ્થર અને લાકડામાંથી બનાવાયેલા કિલ્લા મહત્ત્વના છે. આમાંના ઘણાખરાનું હવે અસ્તિત્વ રહ્યું નથી; કારણ કે સત્તરમી સદી પછી આવા કિલ્લાનું બાંધકામ થયું ન હતું. કિલ્લાની અંદર પ્રણાલીગત આવાસો અને તેનું બાંધકામ અર્વાચીન યુગ સુધી પ્રચલિત રહ્યું છે.…

વધુ વાંચો >

નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો

નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો : આશરે 1657માં બંધાયેલ  જાપાનનું ધાર્મિક સ્થળ. તેનું આયોજન તત્કાલીન જાપાની શૈલીમાં પ્રચલિત સ્થાપત્યની પ્રણાલીઓને અનુરૂપ થયેલું છે. બગીચા અને મકાનની સંલગ્ન પરિસર તથા ચતુષ્કોણાકાર સાદડીના માપથી રચાયેલ ફરસ-વિસ્તાર આ આયોજનના મુખ્ય અંગ રૂપે છે. સ્વાગત-કક્ષ, પાદરીઓ માટે ખાનગી રહેણાક અને અલાયદું બાંધવામાં આવેલ મંદિર આમાં સમાવાયેલાં…

વધુ વાંચો >

નુરાઘે

નુરાઘે : ઇટાલીના સાર્ડિનિયા ટાપુ પર આવેલી પ્રાગૈતિહાસિક પથ્થરની ઇમારતો. આ ઇમારતો ઈસુ પૂર્વે 1900થી ઈસુ પૂર્વે 730 સુધીમાં ચણાઈ હતી. તેનું તળદર્શન વર્તુળાકાર હોય છે તથા તેમાં પથ્થરના ઉપરના થરો ક્રમશ: અંદરની તરફ નીકળતા રાખી ઉપર ગુંબજ બનાવાયો હોય. વર્તુળાકારની ઇમારતો સ્કૉટલૅન્ડ તથા આયર્લૅન્ડ, ઉપરાંત ભૂમધ્ય સાગરમાં આવેલા ઇટાલીના…

વધુ વાંચો >