સંગીતકલા

વ્યાસ, ગૌરાંગ

વ્યાસ, ગૌરાંગ (જ. 24 નવેમ્બર, 1938) : ગુજરાતી ચલચિત્રસંગીત તથા સુગમસંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર. સંગીતના ક્ષેત્રમાં પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી છે. પિતાનું નામ અવિનાશ અને માતાનું નામ વસુમતી. ગળથૂથીમાંથી સંગીતના સંસ્કાર પ્રાપ્ત કરેલ ગૌરાંગ પાંચ વર્ષની વયે હાર્મોનિયમ…

વધુ વાંચો >

વ્યાસ, નારાયણરાવ (પંડિત)

વ્યાસ, નારાયણરાવ (પંડિત) (જ. 4 એપ્રિલ 1902, કોલ્હાપુર; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક તથા કલાગુરુ. પિતા પંડિત શ્રીગણેશ સિતાર અને હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હતા; જેમની પાસેથી બાલ્યાવસ્થામાં જ નારાયણરાવને (અને તેમના મોટા ભાઈ શંકરરાવને) શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમણે…

વધુ વાંચો >

વ્યાસ, રત્નાકર

વ્યાસ, રત્નાકર (જ. 2 જુલાઈ 1930, મુંબઈ; અ. 2003, મુંબઈ) : ભારતના જાણીતા સરોદવાદક. તેમના પિતા પંડિત શંકરરાવ વ્યાસ (1898-1956) સંગીતક્ષેત્રના શાસ્ત્રકાર તથા તેમના કાકા પંડિત નારાયણરાવ વ્યાસ (1902-19) ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વીસમી સદીના દિગ્ગજ ગાયકોમાં અગ્રણી ગણાતા હતા. રત્નાકરને શાસ્ત્રીય સંગીતની શિક્ષા બાલ્યાવસ્થાથી પિતા પાસેથી પ્રાપ્ત થઈ હતી…

વધુ વાંચો >

વ્યાસ, વિદ્યાધર

વ્યાસ, વિદ્યાધર (જ. 8 સપ્ટેમ્બર 1944, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક, સંગીતના શાસ્ત્રકાર (musicologist) તથા લખનૌ ખાતેની ભાતખંડે સંગીત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ. ગાયનાચાર્ય પંડિત નારાયણરાવ વ્યાસ તેમના પિતા. તેમના કાકા પંડિત શંકરરાવ વ્યાસ પણ તેમના જમાનાના જાણીતા ગાયક અને શાસ્ત્રકાર હતા. માતાનું નામ લક્ષ્મીબાઈ. વિદ્યાધરને…

વધુ વાંચો >

વ્યાસ, શંકરરાવ

વ્યાસ, શંકરરાવ (જ. 23 જાન્યુઆરી 1898, કોલ્હાપુર; અ. 17 ડિસેમ્બર 1956, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર, પ્રચારક અને અગ્રણી ગાયક. પિતા પંડિત ગણેશ પોતે સિતાર અને હાર્મોનિયમના અચ્છા વાદક હતા, જેને પરિણામે પુત્ર શંકરરાવને નાનપણથી જ શાસ્ત્રીય સંગીતના સંસ્કાર મળ્યા હતા. શંકરરાવ માત્ર સાત વર્ષના હતા ત્યારે પિતાનું…

વધુ વાંચો >

વ્લાડ, રોમાન

વ્લાડ, રોમાન (જ. 1919, બુકોવિના) : આધુનિક ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વીસ વરસની ઉંમરે ઇટાલી આવી વસવાટ શરૂ કર્યો. 1950માં તેમણે ઇટાલીનું નાગરિકત્વ મેળવેલું. વ્લાડનું મૌલિક સ્વરનિયોજન પહેલેથી જ સપ્તકના બાર સ્વરોને, તીવ્રમંદનો ખ્યાલ ફગાવીને, સમકક્ષ ગણતી પદ્ધતિ ‘એટોનાલિટી’ને અનુસરે છે. લયક્ષેત્રે પણ તેમણે મૌલિક પ્રયોગો કર્યા. તેના સંગીતમાંથી તેમના…

વધુ વાંચો >

શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua)

શન ખ્વો (Shen Kuo or Shen Gua/Guo/Kua) (જ. ઈ. સ. 1031, હંગ્ઝોઉ, ઝેજિયાન્ગ પ્રોવિન્સ, ચીન; અ. ઈ. સ. 1095, ચિન્ગ–કો’ઉ, ચીન) : ખગોળવિદ્યા, ગણિતવિદ્યા, ભૌતિકવિદ્યા, પ્રકાશવિજ્ઞાન, ભૂગોળવિદ્યા, નકશાવિજ્ઞાન (માનચિત્રકલા), ઇજનેરીવિદ્યા, વૈદકશાસ્ત્ર, સંગીત વગેરે જેવી અનેક વિદ્યાઓના જ્ઞાતા  બહુવિદ્યાવિદ અને મુત્સદ્દી. શન ખ્વોના પિતાનું નામ શન ચો (Shen Chou) અને માતાનું…

વધુ વાંચો >

શમશાદ બેગમ

શમશાદ બેગમ (જ. 14 એપ્રિલ 1919, અમૃતસર, પંજાબ; અ. 23 એપ્રિલ 2013, મુંબઇ) : ભારતીય ચલચિત્રની પાર્શ્ર્વગાયિકા. હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવ્યાં. ગ્રામોફોન સાંભળીને તેમને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમનો રિયાઝ હતો અને આ જ તેમની સંગીતસાધના હતી. જોકે એ વખતે લાહોરમાં વસતા…

વધુ વાંચો >

શરણરાણી

શરણરાણી (જ. 8 એપ્રિલ 1929, દિલ્હી) : ભારતનાં વિખ્યાત અને પ્રથમ મહિલા સરોદવાદક અને સંગીતકાર. રૂઢિવાદી હિંદુ પરિવારમાં જન્મ. બાળપણથી નૃત્ય તથા સંગીતની સાધના પરિવાર તથા સમાજની વિરુદ્ધ સંઘર્ષ કરતાં કરતાં ચાલુ રાખી. સ્વ. અચ્છન મહારાજ તથા શંભુ મહારાજ પાસેથી કથક અને નવકુમાર સિંહા પાસેથી મણિપુરી નૃત્યની તાલીમ લીધી. 7…

વધુ વાંચો >

શરાફતહુસેનખાં

શરાફતહુસેનખાં (જ. 30 જુલાઈ 1930, અત્રૌલી, જિલ્લો અલિગઢ, ઉત્તર પ્રદેશ; અ. 6 જુલાઈ 1985, નવી દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેઓ અત્રૌલી-આગ્રા ઘરાનાના સંગીતકાર હતા. તેમના પિતા લિયાકતહુસેનખાંસાહેબ જાણીતા ગાયક હતા અને જયપુર રિયાસતના દરબારી ગાયક તરીકે ખ્યાતિ પામેલા. માત્ર પાંચ વર્ષની ઉંમરે શરાફતહુસેનખાંએ પોતાની સંગીતસાધનાની શરૂઆત…

વધુ વાંચો >