શિવપ્રસાદ રાજગોર
જાવા માનવ
જાવા માનવ : પ્રાચીન કાળમાં અસ્તિત્વ ધરાવતી હોમો ઇરેક્ટસ પ્રજાતિનો આદિમાનવ. આ માનવીના જીવાવશેષો સૌપ્રથમ 1891–93માં યુવાન ડચ શરીરરચનાવિજ્ઞાની (anatomist) યુજેન દુબ્વાએ જાવા દ્વીપમાં સોલો નદીના કાંઠે આવેલ ટ્રિનિલ ખાતેથી શોધી કાઢ્યા હતા. દુબ્વાને મળેલાં હાડકાંમાં નીચા ઘાટની, જાડાં હાડકાંવાળી, ભ્રમર ઉપર આગળ પડતી ધાર ધરાવતી ખોપરી તથા વિકસિત જાંઘનાં…
વધુ વાંચો >જિનવિજયજી
જિનવિજયજી (જ. 27 જાન્યુઆરી 1888, ઉદેપુર-મેવાડ જિલ્લાનું હેલી ગામ; અ. 3 જૂન 1976) : પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ. માતા રાજકુમારી તથા પિતા વૃદ્ધિસિંહ. મૂળ નામ કિશનસિંહ. પરમાર જાતિના રજપૂત. નાનપણમાં જ માતાપિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેઓ દેવીહંસ મુનિના લાંબા સહવાસથી જૈન ધર્મ તરફ…
વધુ વાંચો >જિન્દ
જિન્દ : હરિયાણા રાજ્યના 22 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર. ભૌગોલિક સ્થાન – આબોહવા : આ જિલ્લો 29 19´ ઉ. અ. અને 76 19´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, દક્ષિણે રોહતક જિલ્લો, વાયવ્યે પંજાબ રાજ્ય જે સીમા ધરાવે છે. આ જિલ્લો…
વધુ વાંચો >જિબ્રાલ્ટરની સામુદ્રધુની
જિબ્રાલ્ટરની સામુદ્રધુની : યુરોપના સ્પેન અને ઉત્તર આફ્રિકાના મોરોક્કોને છૂટી પાડતી સાંકડી સામુદ્રધુની. તે દ્વારા પશ્ચિમ તરફથી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશી શકાય છે, જ્યારે પૂર્વ તરફથી આટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી શકાય છે. યુદ્ધના સમયમાં જિબ્રાલ્ટર તેના વ્યૂહાત્મક અગત્યવાળા સ્થાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ માટેનો દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે. સામુદ્રધુની 80…
વધુ વાંચો >જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. 20° 44’ અને 21° 4’ ઉ.અ. તથા 69° 40’ અને 71° 05’ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : 8846 ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા…
વધુ વાંચો >જેતપુર
જેતપુર : રાજકોટ જિલ્લાના 14 પૈકીનો એક તાલુકો, સબડિવિઝન અને તાલુકામથક. આ સબડિવિઝનમાં જેતપુર ઉપરાંત ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકા આવેલા છે. 21°થી 22° 40’ ઉ. અ. અને 70°થી 71’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામાં 2 શહેરો અને 47 ગામો આવેલાં છે. જેતપુર તાલુકા અને શહેરનું નામ જેતાજી કે…
વધુ વાંચો >જેતલસર
જેતલસર : પશ્ચિમ રેલવેનું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલું મહત્વનું રેલવેસ્ટેશન અને જંક્શન. 21° 5´ ઉ. અ. અને 70° 5´ પૂ. રે. ઉપર આવેલું છે. રાજકોટ–પોરબંદર, રાજકોટ–જૂનાગઢ અને રાજકોટ–ભાવનગર રેલવેલાઇનનું જંક્શન છે. જેતલસરમાં રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના કાઠીઓને કાબૂમાં રાખવા માટે જૂનાગઢ રાજ્યે નવો કિલ્લો બંધાવ્યો હતો. તેથી આ…
વધુ વાંચો >જેરિકો
જેરિકો : નવાશ્મયુગીન અવશેષો તેમજ વિશ્વમાં સતત માનવવસ્તી ધરાવતું દુનિયાનું સૌથી પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન 31° 52’ ઉ. અ. અને 35° 2.7’ પૂ. રે. પશ્ચિમ જૉર્ડનમાં મૃત સરોવરના ઉત્તર છેડાની વાયવ્યે 11 કિમી. દૂર તે આવેલું છે. તે પેલેસ્ટાઇન વિસ્તારમાં વેસ્ટ બૅંક ખાતે જોર્ડન નદીનાકાંઠે સ્થિત થયેલું આરબ શહેર છે.…
વધુ વાંચો >જોડિયા
જોડિયા : જામનગર જિલ્લાના તાલુકાઓ પૈકી જામનગર સબડિવિઝનમાં આવેલ તાલુકો, તાલુકામથક અને લઘુ બંદર. તાલુકા મથક જોડિયા 22° 42´ ઉ. અ. અને 70° 21´ પૂ. રે. ઉપર આવેલું છે. આ તાલુકાની પૂર્વ દિશાએ આ જિલ્લાનો ધ્રોળ તાલુકો, પશ્ચિમે કચ્છનો અખાત, ઉત્તરે કચ્છનું રણ અને રાજકોટ જિલ્લો અને દક્ષિણે જામનગર તાલુકો…
વધુ વાંચો >જોન ઑવ્ આર્ક
જોન ઑવ્ આર્ક (જ. 6 જાન્યુઆરી 1412, દોંરેમી-લા-પુસેલ, ફ્રાન્સ; અ. 30 મે 1431, રુઆં, ફ્રાન્સ) : પંદરમી સદીની ફ્રાન્સનાં મુક્તિદાતા સાધ્વી. ‘મેડ(maid) ઑવ્ ઓર્લેઆં’ તરીકે ઓળખાતાં આ સાધ્વીનો જન્મ ખેડૂત પિતાના કુટુંબમાં થયો. તેરમા વરસે ખેતરમાં રખેવાળી કરતાં ધાર્મિક વૃત્તિવાળી આ ખેડૂત ક્ધયાને કોઈ દેવ તેના કાનમાં કાંઈ કહે છે…
વધુ વાંચો >