રમણિકભાઈ જાની

કોલક (મગનભાઈ લાલભાઈ દેસાઈ)

કોલક (મગનભાઈ લાલભાઈ દેસાઈ) (જ. 30 મે 1914, સોનવાડા) : ગુજરાતી કવિ અને નવલકથાકાર. વતન ટુકવાડા. જાતે અનાવિલ બ્રાહ્મણ. માતા તાપીબહેન. લગ્ન 1929માં. પત્નીનું નામ મણિબહેન. મુંબઈની કબીબાઈ હાઈસ્કૂલમાંથી 1933માં મૅટ્રિક. કૉલેજમાં અભ્યાસ એક જ વર્ષ કરેલો. વૅન્ગાર્ડ સ્ટુડિયોના જાહેરખબર વિભાગમાં કામ કરેલું. દર્શનિકા, ઇનમેમૉરિયમ, મેઘદૂત અને ગાંધીજીની આત્મકથા જેવાં…

વધુ વાંચો >

કોશસાહિત્ય

કોશસાહિત્ય શબ્દ, અર્થ, માહિતી કે જ્ઞાનના સંચયરૂપ સાહિત્ય. ભાષાકીય વ્યવહારમાં સરળતા તથા એકરૂપતા લાવવા તથા અન્ય ભાષાભાષી સમુદાયને જે તે ભાષાની સમજ આપવા કોશરચનાની પ્રવૃત્તિ હાથ ધરાય છે. કોશ ઉપરાંત સંસ્કૃતમાં અભિધાન તથા નિઘંટુ પર્યાયો યોજાયેલ છે. સંસ્કૃતમાં કોશની પરંપરા વૈદિક સંહિતાઓ જેટલી પ્રાચીન છે. સાંપ્રત ઉપલબ્ધ નિઘંટુ સંસ્કૃતનો પ્રાચીનતમ…

વધુ વાંચો >

ખંધડિયા, જદુરાય દુર્લભજી

ખંધડિયા, જદુરાય દુર્લભજી (જ. 16 મે 1899, રાજકોટ) : ગુજરાતના નોંધપાત્ર હાસ્યકાર. મૂળ વતન ભાવનગર. જાતે લોહાણા. માતાનું નામ કાશીબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભરૂચમાં લીધેલું. અભ્યાસ દરમિયાન ત્રણ વર્ષ સુધી સરકારી સ્કૉલરશિપ મેળવેલી. વધુ અભ્યાસ અર્થે વડોદરાના કલાભવનમાં જોડાયા. લંડન નૅશનલ યુનિયન ટીચર્સની પરીક્ષા કૉમર્સના વિષયો સાથે પાસ કરી.…

વધુ વાંચો >

ગાંધી, ઇન્દુલાલ ફૂલચંદ

ગાંધી, ઇન્દુલાલ ફૂલચંદ (જ. 12 ડિસેમ્બર 1911, મકનસર, મોરબી; અ. 10 જાન્યુઆરી 1986, રાજકોટ) : ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તખલ્લુસ ‘શશીવદન મહેતા’ અને ‘પિનાકપાણિ’. માતાનું નામ ઝબકબાઈ. જાતે દશા શ્રીમાળી વણિક. 1932માં સૂર્યલક્ષ્મી સાથે લગ્ન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. પિતા વ્યવસાય અર્થે કરાંચી ગયા. ત્યાં ઇન્દુલાલે 1928થી 1947 સુધી પાનબીડીની…

વધુ વાંચો >

ગાંધી, રંભાબહેન મનમોહન

ગાંધી, રંભાબહેન મનમોહન (જ. 27 એપ્રિલ 1911, સરવાળ, તાલુકો ધંધૂકા; અ. 29 માર્ચ 1986) : ગુજરાતી નાટ્યકાર, ગીતલેખક, નિબંધકાર, વાર્તાકાર, અનુવાદક અને હાસ્યલેખક. 1926માં મનમોહન ગાંધી સાથે લગ્ન કર્યાં. 1937માં અર્થશાસ્ત્ર અને માનસશાસ્ત્ર સાથે કર્વે યુનિવર્સિટીની બી.એ.ની ડિગ્રી મેળવી. રાષ્ટ્રભાષામાં કોવિદ થયેલાં. અંગ્રેજી, બંગાળી, મરાઠી અને હિંદીનાં જ્ઞાતા. 1949થી 1953…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ચકોર

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચાંદકા મુંહ ટેઢા હૈ

ચાંદકા મુંહ ટેઢા હૈ : શ્રીકાન્ત વર્મા સંપાદિત હિંદી કાવ્યસંગ્રહ. તેમાં કવિ મુક્તિબોધની 28 રચનાઓ છે. આ કૃતિઓનો રચનાકાળ 1954થી 1964 સુધીનો સ્વીકારાયેલ છે; પરંતુ મોતીરામ વર્મા કવિની હસ્તપ્રતને આધારે તે સમય 1950થી 1963 સુધીનો માને છે. આ સમય દરમિયાન સામાજિક જીવનમૂલ્યોનાં પરિવર્તન ઉપરાંત કવિની અસંદિગ્ધ જીવનર્દષ્ટિનો સંકેત મળે છે.…

વધુ વાંચો >

ત્રિભુવનદીપક પ્રબંધ

ત્રિભુવનદીપક પ્રબંધ (પંદરમા શતકનું પહેલું ચરણ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જૈન સાધુ જયશેખરસૂરિકૃત વિશિષ્ટ રૂપકકાવ્ય. ઈ. સ. 1406માં પોતે જ રચેલી સંસ્કૃત કૃતિ ‘પ્રબોધચિંતામણિ’ પરથી પંદરમા શતકના પહેલા ચરણમાં તેનું ગુજરાતી રૂપાંતર લેખકે જ કરેલું છે. સંસ્કૃત નહિ જાણનારના લાભાર્થે તેમણે આ રૂપાંતર કર્યું હશે. આ પ્રબંધનાં ‘પરમહંસપ્રબંધ’, ‘અંતરંગપ્રબંધ’ તથા…

વધુ વાંચો >

દવે, મકરંદ વજેશંકર

દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની…

વધુ વાંચો >