રમણલાલ ક. ધારૈયા

જલિયાંવાલા બાગ હત્યાકાંડ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ : ભારતમાં સ્વાતંત્ર્યસંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200નાં મૃત્યુ થયાં તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી; પરંતુ યુદ્ધ પૂરું…

વધુ વાંચો >

જશવંતસિંહ મહારાજા

જશવંતસિંહ મહારાજા (જ. ?  અ. ડિસેમ્બર 1678) : રાજસ્થાનના મારવાડ રાજ્યના રાઠોડ વંશના રાજવી તથા ગુજરાતના મુઘલ સૂબા. તેમના પિતા ગજસિંહને અમરસિંહ, જશવંતસિંહ અને અચલસિંહ એમ ત્રણ પુત્રો હતા. પિતાના મૃત્યુ પછી ભાયાતો તથા સરદારોએ સૌથી મોટા પુત્ર અમરસિંહને ગાદી માટે અયોગ્ય ઠરાવીને જશવંતસિંહને જોધપુરની ગાદી ઉપર બેસાડ્યા (મે, 1638).…

વધુ વાંચો >

જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી)

જહાંગીરનામા (તૂઝુકે-જહાંગીરી) : મુઘલ બાદશાહ જહાંગીરે લખેલી આત્મકથા. તેનું મૂળ નામ ‘તૂઝુકે-જહાંગીરી’ છે અને તે ફારસી ભાષામાં લખાયેલ છે. જહાંગીરનામા તરીકે જાણીતા આ પુસ્તકનું અંગ્રેજી ભાષાન્તર રોજર અને બીવરિજે કર્યું છે. જહાંગીરનામાનું મોટા ભાગનું લખાણ જહાંગીરે પોતે તેના શાસનના પ્રથમ 17 વર્ષના સમય દરમિયાન લખ્યું હોવાનું કહેવાય છે; પરંતુ આ…

વધુ વાંચો >

ટૅસિટસ

ટૅસિટસ (જ. આશરે ઈ. સ. 56; અ. આશરે 120) : પ્રાચીન રોમનો લિવી પછીનો મહત્વનો ઇતિહાસકાર. તેણે છેક પ્રાચીન યુગથી પોતાના સમય સુધીનો રોમનો ઇતિહાસ લખેલો છે. તેમાં તેણે રોમની રાજકીય સંસ્થાઓ, તેમના મુખ્ય આગેવાનો, તેમની વચ્ચેના સંઘર્ષો વગેરેનો આપેલો અહેવાલ ઘણોખરો વાસ્તવિક છે. આમ છતાં, તેણે પોતાના વિવરણમાં ઉમરાવવર્ગ…

વધુ વાંચો >

ઢેબર, ઉછરંગરાય નવલશંકર

ઢેબર, ઉછરંગરાય નવલશંકર (જ. 21 સપ્ટેમ્બર 1905, ગંગાજળા, જામનગર; અ. 11 માર્ચ 1977, રાજકોટ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી અને રચનાત્મક કાર્યકર. માતા ઊજમબા. નાગર જ્ઞાતિમાં જન્મેલ ઢેબરભાઈને માતાપિતા તરફથી સાત્વિકતા અને સેવાભાવનાનો વારસો મળ્યો હતો. ઢેબરભાઈએ 1922માં રાજકોટની શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી અને મુંબઈની સેન્ટ…

વધુ વાંચો >

દાદાભાઈ નવરોજી

દાદાભાઈ નવરોજી (જ. 4 સપ્ટેમ્બર 1825, મુંબઈ; અ. 30 જૂન 1917) : ભારતના વડીલ નેતા, સમાજસુધારક, તથા ઉચ્ચ કોટીના દેશભક્ત. એક ગરીબ પારસી ધર્મગુરુના કુટુંબમાં જન્મેલા દાદાભાઈનાં લગ્ન 11 વર્ષની વયે સોરાબજી શ્રોફની પુત્રી ગુલબાઈ સાથે થયાં. મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ તથા કૉલેજના અભ્યાસ દરમિયાન દાદાભાઈએ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ખ્યાતિ મેળવી…

વધુ વાંચો >

દીને ઇલાહી

દીને ઇલાહી (તૌહીદે-ઇલાહી) : અકબરે સ્થાપેલ સર્વ ધર્મોના સારરૂપ ધર્મ : ‘દીને ઇલાહી’નો અર્થ એકેશ્વર ધર્મ. ધર્મના તત્વ કે સત્ય માટેની સમ્રાટ અકબરની જિજ્ઞાસામાં દીને ઇલાહીનાં મૂળ રહેલાં છે. ભારતમાં પ્રચલિત વિવિધ ધર્મોના સિદ્ધાંતો સમજવા માટે અકબરે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ચર્ચા કરી હતી. આ માટે તેણે પ્રથમ ઇસ્લામ…

વધુ વાંચો >

દેવબંદ વિચારધારા

દેવબંદ વિચારધારા : મુસ્લિમ સમાજની સુધારણાની પ્રવૃત્તિ. 1857ના વિપ્લવમાં મુસ્લિમોએ લીધેલ સક્રિય ભાગ તથા સર સૈયદ અહમદખાને અંગ્રેજોતરફી દર્શાવેલ વલણના પ્રત્યાઘાત રૂપે મુખ્યત્વે દેવબંદ શાખાનો ઉદય થયો. 1857ના વિપ્લવમાં સક્રિય ભાગ લેનાર મુસ્લિમ નેતાઓના એક જૂથે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના શામલી ગામે બ્રિટિશ શાસન સામે સામુદાયિક આંદોલન ચલાવવાનું આયોજન કર્યું…

વધુ વાંચો >

દ્વિમુખી શાસનપદ્ધતિ

દ્વિમુખી શાસનપદ્ધતિ (1765 – 1772) : બે શાસકો દ્વારા દીવાની (મહેસૂલી) તથા નિઝામત (વહીવટી) સત્તા અલગ અલગ ભોગવવાની શાસનપદ્ધતિ. બંગાળના ગવર્નર તરીકે રૉબર્ટ ક્લાઇવ મે, 1765માં ભારત પાછો ફર્યો અને બકસરની લડાઈમાં અંગ્રેજોને વિજય મળ્યો હોવાથી તેણે ઑગસ્ટ, 1765માં મુઘલ શહેનશાહ શાહઆલમ બીજા સાથે કરેલી સંધિ મુજબ બંગાળ, બિહાર તથા…

વધુ વાંચો >

ધ્રુવ

ધ્રુવ (સને 780 થી 793) : દક્ષિણ ભારતનો પરાક્રમી રાષ્ટ્રકૂટ રાજવી. રાષ્ટ્રકૂટો પ્રથમ દખ્ખણના ચાલુક્ય શાસકોના સામંતો હતા; પરંતુ દંતિદુર્ગે અંતિમ ચાલુક્ય રાજા કીર્તિવર્મનને હરાવીને દખ્ખણમાં સ્વતંત્ર રાષ્ટ્રકૂટ સત્તાની સ્થાપના કરી (સને 753). તેણે માન્યખેટ કે નાસિકને પોતાની રાજધાની બનાવી. તેના અવસાન (સને 758) બાદ તેનો કાકો કૃષ્ણ પહેલો શાસક…

વધુ વાંચો >