મલયાળમ સાહિત્ય

નાયર, એસ. ગુપ્તન્

નાયર, એસ. ગુપ્તન્ (જ. 22 ઑગસ્ટ 1919, કિશનપુરમ્, જિ. ક્વિલોન, કેરળ; અ. 6 ફેબ્રુઆરી 2006, તિરુવન્તપુરમ) : મલયાળમ ભાષાના વિવેચક. તેમના નિબંધસંગ્રહ ‘તિરંજેદૂત પ્રબંધગલ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. મલયાળમ ભાષામાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સંશોધનકાર્ય હાથ ધર્યું. પછી ત્રાવણકોર ખાતેની યુનિવર્સિટી કૉલેજમાં અધ્યાપક…

વધુ વાંચો >

નાયર, કુન્હીરામન

નાયર, કુન્હીરામન (જ. 1861; અ. 1904) : મલયાળમના પ્રથમ નિબંધકાર તથા વાર્તાકાર. એમણે ‘કેસરી’ તખલ્લુસ નિબંધલેખન માટે રાખ્યું હતું. એ સમકાલીન પત્રપત્રિકાઓ ‘વિદ્યાવિનોદિની’, ‘કેરળ’, ‘સંચારી’, ‘મિતવાદી’માં નિયમિત રીતે નિબંધ લખતા. એમની વાર્તા ‘વાસનાવિકૃતિ’ મલયાળમ સાહિત્યની પ્રથમ વાર્તા ગણાય છે. એમાં કામવાસનાથી પીડાતા માનવીનું માનસ ચિત્રાત્મક રીતે નિરૂપાયું છે. એમની બીજી…

વધુ વાંચો >

નાયર, ગોપીનાથન્

નાયર, ગોપીનાથન્ : (જ. 1918, ત્રિવેન્દ્રમ્; અ. 1999) : મલયાળમ નાટકકાર. 1943માં ત્રિવેન્દ્રમ્ આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી તથા મલયાળમ વિષય લઈને બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા અને સુવર્ણચન્દ્રક મેળવ્યો. તે પછી ‘મલયાળમ રાજ્યમ્’ દૈનિકના તંત્રી થયા. સાથે સાથે ‘સખી’ અને ‘વીરકેસરી’ માસિક પત્રિકા પણ એમણે શરૂ કરી. તે પછી ત્રિવેન્દ્રમ્ આકાશવાણીના…

વધુ વાંચો >

નાયર, પી. કે. (ટિક્કોડિયન)

નાયર, પી. કે. (ટિક્કોડિયન) (જ. 15 ફેબ્રુઆરી 1916, ટિક્કોડી, કોઝીકોડ, કેરળ; અ. 28 જાન્યુઆરી 2001, કોઝીકોડ, કેરળ) : મલયાળમ ભાષાના નાટ્યકાર અને નવલકથાકાર. એમનો જન્મ કેરાળના ટિક્કોડી ગામમાં થયો. ગામના નામ પરથી ‘ટિક્કોડિયન’ તખલ્લુસ રાખ્યું હતું. આનંદ ઉપનામથી એમણે લખવાનું શરૂ કરેલું. બાલ્યાવસ્થામાં એમનાં માતાપિતાનું અવસાન. 1942માં લગ્ન પછી પાંચમા…

વધુ વાંચો >

નાયર વી. કે. એન. કુટ્ટી

નાયર, વી. કે. એન. કુટ્ટી (જ. 6 એપ્રિલ 1932; તિરુવિલ્વમાલા, કેરળ; અ. 25 જાન્યુઆરી 2004) : મલયાળમ ભાષાના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પય્યાનકથકલ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. 1955થી તેમણે વાર્તાઓ…

વધુ વાંચો >

નાંબુદ્રી, અકિલમ્ અચ્યુતમ્

નાંબુદ્રી, અકિલમ્ અચ્યુતમ્ (જ. 18, માર્ચ 1926, કુમરાનાળાવુર, કેરળ, અ. 15 ઑક્ટોબર 2020, થ્રિસ્સુર, કેરળ) : મલયાળમ લેખક. શરૂઆતમાં એમણે પ્રાચીન વેદનો અભ્યાસ કર્યો અને સંસ્કૃતનું ઊંડું અધ્યયન કર્યું. સાથે સાથે જ્યોતિષ તથા સંગીતનું પણ શિક્ષણ લીધું. એમને લોકનાટ્ય-નૃત્ય કથકલી પ્રત્યે પણ વિશેષ અભિરુચિ હતી. શારીરિક અસ્વસ્થતાને લીધે કૉલેજશિક્ષણ પૂરું…

વધુ વાંચો >

નાંબુદ્રી, વિષ્ણુ નારાયણ

નાંબુદ્રી, વિષ્ણુ નારાયણ (જ. 2 જૂન 1939, તિરુવલ્લ ગામ, કેરળ) : મલયાળમ લેખક. એમનું કુટુંબ ત્રણ પેઢીથી કર્ણાટકથી કેરળમાં આવીને વસેલું. દાદા પાસે સંસ્કૃત શીખ્યા અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ દરમિયાન શેફર્ડના વિદ્યાર્થી બન્યા ત્યારે અંગ્રેજી કવિતા માટે શોખ જાગ્યો. સંસ્કૃત સાથે બી. એ. થયા. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ…

વધુ વાંચો >

પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા

પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા (જ. 12 સપ્ટેમ્બર 1930, કેરળ; અ. 23 ઑગસ્ટ 2006, તિરુવનંતપુરમ્) : કેરળના સમર્થ કવિ. કવિતા માટે 1975માં તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત કૃષ્ણ મેનન ઍવૉર્ડ પણ મળ્યો હતો. વડાકેલ ઍવૉર્ડ, રાઇટર્સ કોઑપરેટિવ સોસાયટી ઍવૉર્ડ (1978), સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ (1989), મહાકવિ કુટ્ટનાથ…

વધુ વાંચો >

પણિક્કર, કે. એમ.

પણિક્કર, કે. એમ. (જ. 3 જૂન 1895, કોવલમ, કેરળ; અ. 10 ડિસેમ્બર 1963, મૈસૂર) : જાણીતા ભારતીય લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક, ઇતિહાસવેત્તા, કુશળ વહીવટી અધિકારી, મુત્સદ્દી, રાજદૂત અને કેળવણીકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોવલમમાં. તેમના ઉચ્ચશિક્ષણની શરૂઆત ત્રિવેન્દ્રમમાં; પરંતુ પછી 1914માં ઇતિહાસના વધુ અધ્યયન માટે તેઓ ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ…

વધુ વાંચો >

પદ્મનાભન્, ટી.

પદ્મનાભન્, ટી. (જ. 5 ફેબ્રુઆરી 1931, પલ્લીકુન્નુ, કુન્નુર, કેરળ) : મલયાળમના સાહિત્યકાર. ટૂંકી વાર્તા અને નિબંધનાં સ્વરૂપોમાં તેમનું પ્રદાન. શિક્ષણ મૅંગલોર આર્ટ્સ કૉલેજ તથા મદ્રાસ લૉ કૉલેજમાં. કુન્નુરમાં એક દશકો વકીલાતના વ્યવસાયમાં. ત્યારપછી ઉદ્યોગસંચાલનમાં જોડાયા. કેરળ ફર્ટિલાઇઝર્સ ઍન્ડ કેમિકલ્સ (ત્રાવણકોર) લિમિટેડમાં ઉપ-મહાપ્રબંધકના પદેથી તેઓ પછી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. ‘મખ્ખન સિંહિન્ટે…

વધુ વાંચો >