મલયાળમ સાહિત્ય

ઝકારિયા, પૉલ

ઝકારિયા, પૉલ (જ. 5 જૂન 1945, ઉરુલિકુન્નમ્, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઝકારિયાયુટે કથકળ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે 35 વર્ષ સુધી અધ્યાપન, પુસ્તકપ્રકાશન અને મીડિયા-ક્ષેત્રે સક્રિય કામગીરી કરી; સાથોસાથ કૃષિકાર્ય…

વધુ વાંચો >

તત્વમસિ (1984)

તત્વમસિ (1984) : ડૉ. સુકુમાર કોઝીકોડનું મલયાળમ ભાષામાં ભારતીય દર્શનવિષયક પુસ્તક. તેને 1984માં શ્રેષ્ઠ મલયાળમ પુસ્તક માટેના સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું હતું. એ પુસ્તકને એ પુરસ્કાર ઉપરાંત બીજી આઠ સંસ્થાઓ તરફથી પણ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. વળી એક જ વર્ષમાં એની આઠ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. એમાં…

વધુ વાંચો >

તંપિ ઈરાસન

તંપિ ઈરાસન (1782–1856) : મલયાળમ ભાષાના કવિ. ત્રાવણકોરના મહારાજાના નિકટના સંબંધી હતા. નાનપણમાં જ સંસ્કૃતનું ઊંડું અધ્યયન કરેલું. તેઓ નાનપણથી ગીતો લખતા. જાહેરમાં સ્વરચિત ગીતો ગાતા. એમની કવિ તરીકે ખ્યાતિ એટલી પ્રસરેલી કે ત્રાવણકોરના મહારાજા તિરુ પાલે એમને દરબારના રાજકવિ નીમેલા. કેરળનું વિશિષ્ટ નૃત્ય કથકલિ હતું. કથકલિ નૃત્ય વખતે જે…

વધુ વાંચો >

તંપિયાર કુંચન

તંપિયાર કુંચન (અઢારમી સદી) : મલયાળમ ભાષાના પ્રથમ લોકકવિ. એમણે તુળળન નામના કાવ્યપ્રકારની શરૂઆત કરી. એ ત્રાવણકોરના રાજાઓ માર્તંડ વર્મા તથા ધર્મરાજાની કવિસભાના મુખ્ય કવિ હતા. એમ મનાય છે કે એમણે ‘ચાકયાર કુત્તુ’ કાવ્યસ્પર્ધામાં તુળળન નામના નૃત્યાત્મક કથાકાવ્ય જેવા નવા જ કાવ્યપ્રકારની રચના કરી હતી અને એ કાવ્યો એમણે પોતે…

વધુ વાંચો >

તંપુરાન કોટ્ટયત્તુ

તંપુરાન કોટ્ટયત્તુ (સત્તરમી સદી) : મલયાળમ ભાષાના કવિ. ઉત્તર કેરળના એક નાના રાજ્યના રાજકુટુંબમાં જન્મ. કિશોરવયમાં જ એમણે રામાયણ-મહાભારતના ગ્રંથોનું પોતાના માટે ખાસ રાખેલા એક પંડિત પાસે અધ્યયન કરેલું. પુરાણો ઉપરાંત, દર્શનશાસ્ત્રોનો પણ એમણે ગહન અભ્યાસ કરેલો. એમણે તે સમયે રાજદરબારમાં યોજાતા નૃત્ય અને નાટકોના સમારંભો જોયેલા અને તેનાથી ઘણા…

વધુ વાંચો >

તંપુરાન કોટ્ટારક્કરા

તંપુરાન કોટ્ટારક્કરા (સત્તરમી સદી) : મલયાળી લેખક. મલયાળમમાં સત્તરમી સદી પૂર્વે કુત્તુ, કુટિયાટ્ટમ્, કૃષ્ણનાટ્યમ્ ઇત્યાદિ અનેક અભિનેય ગીતોની પરંપરા પ્રવર્તમાન હતી. સત્તરમી સદીમાં  કથકલિ ર્દશ્યકાવ્યો રચવાની પરંપરા શરૂ થઈ. તેના પ્રથમ રચનાકાર તંપુરાન કોટ્ટારક્કરા હતા. એમણે વાલ્મીકિ રામાયણના આધાર પર 8 અટ્ટકથાઓ રચી હતી. અટ્ટકથા એ મલયાળમનાં નાટ્યાભિનયને માટે રચાતાં…

વધુ વાંચો >

નંપુતિરિ, પૂનમ

નંપુતિરિ, પૂનમ (જ. 1540; અ. 1625) : મલયાળમ લેખક. મલયાળમમાં પ્રસિદ્ધ ચંપૂકાવ્યોની શરૂઆત કરનારા કવિ. એ કોષિક્કોડના સામુતિરી રાજાઓના રાજકવિ હતા તથા તત્કાલીન કવિઓ દ્વારા રાજાની પ્રશસ્તિનાં કાવ્યોનું પણ એમણે સંકલન કર્યું હતું. એમની મુખ્ય કૃતિ ‘ભાષા રામાયણ ચંપૂ’ છે. ‘ભારતમ્’, ‘કામદહનમ્’, ‘પારિજાતહરણમ્’ આદિ એમનાં ચંપૂકાવ્યો છે. તે પૌરાણિક કથાઓ…

વધુ વાંચો >

નંપુનરિ, વિષ્ણુનારાયણ

નંપુનરિ, વિષ્ણુનારાયણ (જ. 2 જૂન 1939, તિરુવક્કલ, કેરળ) : મલયાળમ કવિ. એમના દાદા સંસ્કૃતના પંડિત હતા. એટલે શાળાના ભણતર સાથે સાથે દાદા પાસેથી પણ સંસ્કૃતનું અધ્યયન કરતા રહ્યા. તે પછી કૉલેજમાં ઐચ્છિક વિષય અંગ્રેજી લઈ બી.એ.માં પ્રથમ વર્ગમાં અને એમ.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા ને તરત જ જે કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

નાયર, ઈદાસેરી ગોવિંદન્ 

નાયર, ઈદાસેરી ગોવિંદન્  (જ. 23 ડિસેમ્બર, 1906, કુટ્ટીપુરમ્, કેરળ; અ. 16 ઑક્ટોબર, 1974) : મલયાળમ કવિ અને નાટકકાર. અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ. માંડ મૅટ્રિક સુધી ભણ્યા અને વકીલના ગુમાસ્તા તરીકે નોકરી લીધી. પણ પછી અનુભવ મેળવી, વકીલાતની પરીક્ષા પાસ કરી, વકીલાત કરવા માંડી. સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ એમણે ભાગ લીધેલો અને ‘ના-કર’…

વધુ વાંચો >

નાયર એમ. ટી. વાસુદેવન્

નાયર, એમ. ટી. વાસુદેવન્ (જ. 15 જુલાઈ 1933, કૂડલ્લૂર, જિ. પાલક્કાડ, દક્ષિણ મલબાર–કેરળ) : મલયાળમ ભાષાના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. 1995માં ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે પ્રગટ થયેલો એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રક્તમ્ પુરન્ટા, મંતરિકળ’(લોહીથી રંગાયેલી રેતી)ને કેરળ સાહિત્ય એકૅડેમીનો પુરસ્કાર મળેલો. તેમનો જન્મ…

વધુ વાંચો >