મલયાળમ સાહિત્ય

વાસંતન, એસ. કે.

વાસંતન, એસ. કે. (જ. 17 નવેમ્બર 1935, એડપ્પલ્લી, ઍર્નાકુલમ્, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં અને મલયાળમમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટી ઑવ્ સંસ્કૃત, કાલાડીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમના સભ્યપદે રહેલા. તેમણે અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

વિજયન્, એ.

વિજયન્, એ. (જ. 22 ફેબ્રુઆરી 1944, ચૂલુર, કોળિકોડ, કેરળ) : મલયાળમ બાલસાહિત્યના લેખક. તેમણે કોળિકોડમાં સરકારી હાઈસ્કૂલમાં હેડમાસ્તર તરીકે કામગીરી કરી. તેમણે 18 ગ્રંથો આપ્યા છે. તેમનાં બાળકો માટેના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘રન્ડુ મુઘન્ગલ’ (1972); પટ્ટમ્ પરપ્પિકન્ના કુરંગન્ (1983), ‘કથામાધુરી’(1985)નો સમાવેશ થાય છે; જ્યારે ‘પૂતિરી’ (1975), ‘માઝાવિલ્લુ’ (1985) તેમના કાવ્યસંગ્રહો છે…

વધુ વાંચો >

વિજયન્, ઓ. વી.

વિજયન્, ઓ. વી. (જ. 2 જુલાઈ 1931, પાલઘાટ, કેરળ) : મલયાળમ કથાલેખક અને કાર્ટૂન-કલાકાર. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. (1954); શરૂઆતમાં અધ્યાપક (1951-57). ત્યારબાદ ‘શંકર્સ વીકલી’માં કાર્ટૂન-કલાકાર તથા કટારલેખક તરીકે કામગીરી (1958-63). છેવટે અંગ્રેજી દૈનિક ‘ધ પેટ્રિયટ’માં કાર્ટૂન-કલાકાર. 1967થી કાર્ટૂન-આલેખન તથા લેખનની સ્વતંત્ર કારકિર્દી. તેમને તેમની પ્રથમ નોંધપાત્ર નવલકથા ‘ખસાકિન્તે…

વધુ વાંચો >

વિજયાલક્ષ્મી (શ્રીમતી)

વિજયાલક્ષ્મી (શ્રીમતી) (જ. 2 ઑગસ્ટ 1960; એર્નાકૂલમ, કેરળ) : મલયાળમ ભાષાનાં કવયિત્રી. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં 1980માં બી.એસસી. અને 1982માં એમ.એ.ની પદવી મેળવી. પછી તેઓ ભારતીય દૂરદર્શન ખાતાની સેવામાં જોડાયાં. તેઓ કેરળ સાહિત્ય અકાદમીનાં સભ્ય છે. તેમના 2 કાવ્યસંગ્રહો – ‘મૃગશિક્ષકાન’ (1992) અને ‘થેચાન્ટે મકલ’ (1994) ખૂબ નોંધપાત્ર છે. તેમને…

વધુ વાંચો >

વિનયચંદ્રન્, ડી.

વિનયચંદ્રન્, ડી. (જ. 13 મે 1944, પશ્ચિમ કલ્લાડ, જિ. કોલ્લમ, કેરળ) : મલયાળમ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની પદવી અને થિયેટરની તાલીમમાં સર્ટિફિકેટ મેળવ્યાં. તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમમાં સ્કૂલ ઑવ્ લેટર્સના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ આફ્રો-એશિયન કાઉન્સિલ ઑવ્ ઑથર્સ ઍન્ડ રાઇટર્સ;…

વધુ વાંચો >

વિલાસિની (ઉર્ફે મેનન એમ. કે.)

વિલાસિની (ઉર્ફે મેનન એમ. કે.) (જ. 1928, કરુમથ્રા, કેરળ) : મલયાળમ ભાષાના નવલકથાકાર. તેમની નવલકથા ‘અવકાસીકાલ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1947માં ગણિતશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. કેરળમાં શિક્ષક તરીકે તેમજ મુંબઈમાં સરકારી નોકરી કર્યા પછી 1953માં તેઓ સિંગાપોર ગયા અને ત્યાં 1955માં આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા…

વધુ વાંચો >

વિલેનિલમ, જોન વર્ગિસ

વિલેનિલમ, જોન વર્ગિસ (જ. 11 ઑગસ્ટ 1935, ચેન્ગાન્નુર, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમ અને ભારતીય અંગ્રેજીના લેખક. 1958માં  તેમણે બી.એચ. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ., 1975માં ટેમ્પલ યુનિવર્સિટી ફિલાડેલ્ફિયા, યુ.એસ.માંથી કૉમ્યુનિકેશનમાં એમ.એસસી., 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્. અને 1986માં યુનિવર્સિટી ઑવ્ એમસ્ટરડૅમમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં તેઓ કેરળ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા…

વધુ વાંચો >

વિશ્વંભર દાસ, કે. એસ.

વિશ્વંભર દાસ, કે. એસ. (જ. 16 માર્ચ 1941, દેશમ, અલ્વાયે, જિ.  એર્નાકુલમ, કેરળ) : મલયાળમ લેખક. તેઓ કેરળ સરકારમાં 1970-73 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં મદદનીશ માહિતી-અધિકારી; 1973-75 સુધી સહસંપાદક; 1975-78 સુધી રાજભાષા વિભાગના અનુવાદક; 1978-84 સુધી જાહેરસંપર્ક-વિભાગમાં માહિતી-અધિકારી; 1986-90 સુધી કેરળમાં સિડકોના જાહેરસંપર્ક-અધિકારી અને 1990-94 સુધી જાહેરસંપર્ક-વિભાગના નાયબ નિયામક રહ્યા. છેલ્લે સાંસ્કૃતિક…

વધુ વાંચો >

વિશ્વંભરન્, કિલિમનૂર એન.

વિશ્વંભરન્, કિલિમનૂર એન. (જ. 19 એપ્રિલ 1927, કિલિમનૂર, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., બી.એડ્.ની ડિગ્રી અને સાહિત્યવિશારદની પદવી મેળવી. તેમણે 1987 સુધી જુદી જુદી કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું અને એસ. એન. કૉલેજ તિરુવનંતપુરમમાંથી મલયાળમના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. આકાશવાણી, તિરુવનંતપુરમ્…

વધુ વાંચો >

વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી.

વિષ્ણુ નામ્બુદિરી, એમ. વી. (જ. 25 ઑક્ટોબર 1939, રમન્થલી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની અને કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટી પ્રાદેશિક કેન્દ્ર, પચ્ચનુરમાં મહેમાન અધ્યાપક; એડવાઇઝરી બૉર્ડ ઑવ્ એન્સાઇક્લોપીડિયા, કેરળના સભ્ય તથા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સભ્ય રહેલા. અત્યાર…

વધુ વાંચો >