ધર્મ-પુરાણ

વાલભી વાચના

વાલભી વાચના : જૈન ધર્મના આગમ ગ્રંથોની વલભી મુકામે તૈયાર કરેલી વાચના. ઈ. સ. 300ના અરસામાં વલભીમાં મળેલી પરિષદમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં જૈન આગમ ગ્રંથોની વાચના તૈયાર કરવામાં આવી હતી. લગભગ તે સમયે (ઈ. સ. 3003-01 અથવા 3133-14માં) મથુરામાં સ્કંદિલાચાર્યની અધ્યક્ષતા હેઠળ મળેલી પરિષદમાં પણ આગમ ગ્રંથોની વાચના તૈયાર થયેલી; પરંતુ…

વધુ વાંચો >

વાલ્મીકિ

વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી…

વધુ વાંચો >

વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી)

વાસુદેવાનંદ સરસ્વતી (ટેમ્બે સ્વામી) : નારેશ્વર-નિવાસી જાણીતા મહારાષ્ટ્રી સંત. શ્રીમન્નૃસિંહ સરસ્વતી ગુરુ દત્તાત્રેયના અવતાર મનાતા હતા. મહારાષ્ટ્રમાં વાડી, ઔદુમ્બર અને ગાણગાપુર એમનાં સુવિખ્યાત લીલા-સ્થળો છે. ત્યાં ઈ. સ. 1906માં પરમપૂજ્ય બ્રહ્મીભૂત પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ બિરાજતા હતા. ટેમ્બે સ્વામીથી પ્રસિદ્ધ હતા. દત્તાવતાર શ્રીમન્નૃસિંહ સરસ્વતીની લીલાઓને વિષય બનાવીને…

વધુ વાંચો >

વાસુપૂજ્ય

વાસુપૂજ્ય : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં બારમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ પુષ્કરવર દ્વીપાર્ધના પૂર્વ વિદેહક્ષેત્રમાં મંગલાવતી વિજયમાં આવેલી રત્નસંચયા નગરીના પદ્મોત્તર નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી વજ્રનાભ નામક ગુરુ પાસે દીક્ષા લઈ સંસારત્યાગ કર્યો હતો. અનેક ઉજ્જ્વળ સ્થાનકો…

વધુ વાંચો >

વાસ્તોષ્પતિ

વાસ્તોષ્પતિ : વેદ અને પુરાણોમાં વર્ણવાયેલા એક દેવતા. પ્રાચીન સમયમાં માનવી ગુફાઓ, નદીકાંઠે કે જંગલમાં રહેતો હતો. વૃક્ષની ડાળીઓને એકબીજા સાથે જોડાતી જોઈ તેને ઘરનો ખ્યાલ પર્ણકુટિ રૂપે આવ્યો. કાળક્રમે તેમાંથી ઘરની કલ્પના સાકાર થઈ. મોહેં-જો-દડોનું ઉત્ખનન ઈ. પૂ. 5000 લગભગ થયું ત્યારે ગૃહરચના અને નગરરચના મૂર્ત થઈ ચૂકી હતી.…

વધુ વાંચો >

વાહિગુરુ

વાહિગુરુ : શીખ ધર્મમાં પરમાત્માના નામજપ અને સ્મરણ માટેનો ગુરુમંત્ર. ‘વાહિગુરુ’ નામની એક સમજૂતી એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. ‘વાહિગુરુ’નો શબ્દાર્થ છે, વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી…

વધુ વાંચો >

વિચિત્રવીર્ય

વિચિત્રવીર્ય : ચંદ્રવંશીના રાજા શાંતનુના સત્યવતીના ગર્ભથી પેદા થયેલ બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંના ચિત્રાંગદને એક ગંધર્વ સાથે યુદ્ધ થતાં એનું મૃત્યુ થયું. શાંતનુનું અવસાન થતાં ભીષ્મે વિચિત્રવીર્યને રાજગાદી પર બેસાડ્યો. ભીષ્મ વિચિત્રવીર્ય માટે કાશીરાજની ત્રણ કન્યાઓ – અંબા, અંબિકા અને અંબાલિકાને જીતીને લઈ આવ્યા. આમાં અંબાએ પહેલેથી…

વધુ વાંચો >

વિજિતાશ્વ

વિજિતાશ્વ : પૃથુ અને અર્ચિનો પુત્ર એક રાજા, જેને 100 અશ્વમેધ યજ્ઞ કરીને ઇંદ્રનું પદ મેળવવાની ઝંખના હતી. 99 યજ્ઞો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા. સોમા યજ્ઞના ઘોડાને ઇંદ્રે છળથી પકડી લીધો, જેને કારણે રાજા સાથે યુદ્ધ થયું જેમાં ઇંદ્ર પરાજિત થયો. તેથી આ રાજાનું નામ વિજિતાશ્વ પડી ગયું. ઇંદ્રે રાજાને…

વધુ વાંચો >

વિનતા

વિનતા : દક્ષ પ્રજાપતિની પુત્રી અને અરિષ્ટનેમિ કશ્યપની પત્ની. કશ્યપની બીજી પત્નીનું નામ કદ્રુ હતું, કદ્રુએ બળવાન નાગોને જન્મ આપ્યો હતો. એક વાર કશ્યપ ઋષિએ પત્ની વિનતાને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે પોતાની શોક્ય કદ્રુના પુત્રો કરતાં અધિક બળવાન પુત્રો માગ્યા. પરિણામે વિનતાને ગરુડ અને અરુણ નામે બે પુત્રો થયા.…

વધુ વાંચો >

વિભીષણ

વિભીષણ : રામાયણનું એક જાણીતું પાત્ર. સાત ચિરજીવીઓમાં તેને ગણવામાં આવે છે. કૈકસીને ઋષિ વિશ્રવસ્થી રાવણ અને કુંભકર્ણ – એમ બે પુત્ર થયા; પરંતુ તેઓ દુષ્ટકર્મા હતા. આથી તેમણે આ ઋષિના આશીર્વાદથી ત્રીજો પુત્ર ધર્માત્મા – વિભીષણ – મેળવ્યો. વિભીષણે બ્રહ્માની ઉગ્ર તપસ્યા કરી અને વરદાનમાં ધર્મબુદ્ધિ માગી. બ્રહ્માએ રાજી…

વધુ વાંચો >