દશરથલાલ ગૌરીશંકર વેદિયા

પુરોહિત

પુરોહિત : યજમાનને શ્રૌત યજ્ઞયાગાદિ અને સ્માર્ત ગૃહ્યકર્મ, 16 સંસ્કારો, શાંતિપુષ્ટિનાં કર્મો અને આભિચારિક અનુષ્ઠાનો કરાવનાર બ્રાહ્મણ. યજમાન વતી પોતે દેવપૂજન કરનારો બ્રાહ્મણ નિમ્ન કક્ષાનો ગણાય છે ‘કાલિકાપુરાણ’ મુજબ કાણો, અંગે ખોડવાળો, અપુત્ર, અનભિજ્ઞ, ઇન્દ્રિયો પર કાબૂ વગરનો, રોગી અને ઠીંગણો માણસ પુરોહિત બની શકે નહીં. ચાણક્ય અને `કવિકલ્પલતાકાર’ને મતે…

વધુ વાંચો >

પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર)

પ્રતિભા (સંસ્કૃત કાવ્યશાસ્ત્ર) : કલ્પનાથી નવી વસ્તુ સર્જવાની શક્તિ ધરાવતી પ્રજ્ઞા. કલ્પનાથી કળા અને કાવ્ય વગેરે ક્ષેત્રે નવું સર્જન કરવાની સામાન્ય મનુષ્યમાં રહેલી ન હોય તેવી વિશિષ્ટ શક્તિ કળાકાર કે કવિ વગેરેમાં રહેલી હોય છે, તેને પ્રતિભા કહે છે. શબ્દશાસ્ત્રની ર્દષ્ટિએ તે પશ્યન્તી નામની વાણી ગણાય છે, કારણ કે તે…

વધુ વાંચો >

પ્રભાવકચરિત

પ્રભાવકચરિત : પ્રભાચંદ્રે રચેલો જૈન ધર્મના 22 પ્રભાવશાળી સૂરિઓના જીવનપ્રસંગો વર્ણવનારો ગ્રંથ. જૈન ધર્મના પ્રચાર અને પ્રસારને સુર્દઢ બનાવનારા સૂરિઓનાં ચરિત તેમાં રજૂ થયાં છે. ‘પ્રભાવકચરિત્ર’, ‘પ્રબન્ધચિંતામણિ’, ‘પ્રબન્ધકોષ’ અને ‘વિવિધ તીર્થકલ્પ’માં ઘણાખરા વિષયોમાં સમાનતા જોવા મળે છે. એ રીતે આ ચારેય ગ્રંથો પરસ્પર પૂર્તિ કરનારા છે. પ્રભાવકચરિત 1909માં નિર્ણયસાગર પ્રેસમાં…

વધુ વાંચો >

પ્રાતિશાખ્ય

પ્રાતિશાખ્ય : વૈદિક વ્યાકરણને લગતા ગ્રંથો. વેદના મંત્રોમાં સંધિ વગેરે ફેરફારો અને પદપાઠ કરવામાં થતા ફેરફારો વિશે પ્રાતિશાખ્ય ગ્રંથોમાં નિયમો આપવામાં આવ્યા છે. શબ્દની પ્રકૃતિ, પ્રત્યયો, તેનો અર્થ અને તેની વ્યુત્પત્તિ – એ બાબતો વ્યાકરણ અને નિરુક્ત એ બે વેદાંગોમાં આપેલી હોવાથી પ્રાતિશાખ્ય ગ્રંથોમાં એની ચર્ચા આપી નથી. ‘ઋક્પ્રાતિશાખ્ય’માં છંદ,…

વધુ વાંચો >

બ્રહ્મપુરાણ

બ્રહ્મપુરાણ : પ્રાચીન ભારતનો પુરાણગ્રંથ. વ્યાસે રચેલાં અઢાર પુરાણમાં બ્રહ્મ કે બ્રાહ્મપુરાણ પ્રથમ છે. બધાં પુરાણોની ગણતરીમાં ‘ब्रत्रयम्’ દ્વારા બ્રહ્મ, બ્રહ્માંડ અને બ્રહ્મવૈવર્તપુરાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું…

વધુ વાંચો >

બ્રહ્મસૂત્ર

બ્રહ્મસૂત્ર : બ્રહ્મને જાણવા માટેનો બાદરાયણ વ્યાસનો એક પ્રખ્યાત ગ્રંથ. વેદવિદ્યાનાં કર્મ, ઉપાસના અને જ્ઞાનકાંડ ત્રણ મુખ્ય પાસાં છે. જ્ઞાનકાંડના તાત્પર્યનો નિર્ણય બ્રહ્મમીમાંસા કે ઉત્તરમીમાંસામાં થાય છે. પૂર્વમીમાંસાનો સંબંધ કર્મકાંડ સાથે છે. જ્ઞાનની સર્વોપરીતા પૂર્વ અને ઉત્તર શબ્દો દ્વારા સૂચવાય છે. બ્રહ્મસૂત્રના આરંભે अथ શબ્દ આ અર્થમાં આનન્તર્ય બતાવે છે.…

વધુ વાંચો >

બ્રહ્માંડપુરાણ

બ્રહ્માંડપુરાણ : અઢાર ભારતીય પુરાણો પૈકીનો અઢારમો પુરાણગ્રંથ. વિષ્ણુપુરાણ, માર્કંડેય પુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણની અનુક્રમણિકાઓમાં તેનો અઢારમા પુરાણ તરીકે ઉલ્લેખ છે. તેમાં દેવીભાગવત અનુસાર 12,100 અને મત્સ્યપુરાણ અનુસાર 12,200 શ્લોકો છે; જ્યારે ભાગવત, નારદીય અને બ્રહ્મવૈવર્તપુરાણની અનુક્રમણિકા અનુસાર 12,000 શ્લોકો આ પુરાણમાં છે. તેમાં 109 અધ્યાયો છે. બ્રહ્માએ…

વધુ વાંચો >

ભવિષ્યપુરાણ

ભવિષ્યપુરાણ : એક ભારતીય મહાપુરાણ. વર્તમાન ભવિષ્ય-પુરાણમાં 28,000 જેટલા શ્લોક છે. એનું આ નામ એટલા માટે પડ્યું કે એમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓનું વર્ણન છે. એમાં મુસલમાનો અને અંગ્રેજોનાં આક્રમણોનું વર્ણન મળે છે. વસ્તુત: છેક ઓગણીસમી સદી સુધી આ પુરાણમાં નવી નવી ઘટનાઓનું વર્ણન ઉમેરાતું રહ્યું છે; તેને લઈને આ પુરાણનું…

વધુ વાંચો >

ભૂતબલિ

ભૂતબલિ : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર હિંસાના પાપમાંથી છૂટવા નિત્ય કરવાના પાંચ મહાયજ્ઞોમાંનો એક વિધિ. દ્વિજમાત્ર માટે દરરોજ ષટ્કર્મ કરવાં આવશ્યક હોવાનું વિધાન ધર્મશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. स्नानं सन्ध्या जपो होमः स्वाध्यायः पितृतर्पणम् । वैश्वदेवातिथेयश्च  षट्कर्माणि  दिने  दिने   ।। આ છ કર્મોમાં વૈશ્વદેવ અને અતિથિસત્કાર દ્વારા વ્યક્તિનો વૈશ્વિક સંબંધ બાંધવામાં આવ્યો…

વધુ વાંચો >

મત્સ્યપુરાણ

મત્સ્યપુરાણ : અઢાર પુરાણોમાંનું એક પુરાણ. તેના 291 અધ્યાયો અને લગભગ 14,૦૦૦ શ્લોકો છે. નારદીય પુરાણના મતે તેના 15,૦૦૦ શ્લોકો છે, અપરાર્કના મતે 13,૦૦૦ શ્લોકો અને દેવીભાગવતના મતે 19,૦૦૦ શ્લોકો છે. ડૉ. વી. રાઘવને મત્સ્યપુરાણની ઉપલબ્ધ પ્રતોમાંથી 3૦ હસ્તપ્રતો પસંદ કરી તેમનું પૂર્વોત્તરીય, પૂર્વીય, પશ્ચિમોત્તરીય, ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય,…

વધુ વાંચો >