દશરથલાલ ગૌરીશંકર વેદિયા

માર્કંડેયપુરાણ

માર્કંડેયપુરાણ : ભારતીય પુરાણસાહિત્યમાંનું એક જાણીતું પુરાણ. પ્રસિદ્ધ અઢાર પુરાણોમાં માર્કંડેયપુરાણ સાતમું છે. તેમાં કુલ 136 અધ્યાયો છે. આ અધ્યાયોને 1થી 9, 10થી 44, 45થી 77, 78થી 93 અને 94થી 136 –એમ પાંચ વિભાગોમાં વહેંચી શકાય. છેલ્લો અધ્યાય પ્રથમ વિભાગની ફલશ્રુતિ જેવો છે. પ્રથમ વિભાગના અ. 1થી 9માં માર્કંડેય ઋષિ…

વધુ વાંચો >

મિશ્ર, રાજેન્દ્ર

મિશ્ર, રાજેન્દ્ર (જ. 1943, દ્રોણીપુર, ઉત્તરપ્રદેશ) : સંસ્કૃત ભાષાના લેખક. રાજેન્દ્ર મિશ્રની સંસ્કૃત કૃતિ ‘ઇક્ષુગન્ધા’ને 1988ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 1964માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી તેજસ્વી હતી. 1966માં તેમણે ડી. ફિલ.ની ઉપાધિ મેળવી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં સંસ્કૃતના રીડર તરીકે કામગીરી બજાવવા…

વધુ વાંચો >

યુધિષ્ઠિર

યુધિષ્ઠિર : મહર્ષિ વેદવ્યાસે રચેલા મહાકાવ્ય ‘મહાભારત’નું મુખ્ય પાત્ર. સોમવંશી પુરુકુળના રાજા અજમીઢના વંશના કુરુરાજાના પુત્ર જહનુ રાજાના પુત્ર પાંડુની પત્ની કુંતીને ધર્મદેવ કે યમદેવના મંત્ર વડે જન્મેલો પુત્ર તે યુધિષ્ઠિર. તેમને ધર્મરાજા કહેવામાં આવ્યા છે. બાળપણથી જ તે પાપભીરુ, દયાળુ અને તમામની સાથે મિત્રભાવે વર્તનાર હતા. એ પછી કૃપાચાર્ય…

વધુ વાંચો >

રાત્રિ-દેવતા

રાત્રિ-દેવતા : એક વૈદિક દેવી. ઋગ્વેદમાં ઉષા વગેરે દેવીઓની વાત કરવામાં આવી છે તેમાં રાત્રિ પણ એક દેવી છે. ઉષા જેમ પ્રકૃતિનું તત્વ છે, તેમ રાત્રિ પણ પ્રકૃતિનું તત્વ છે. દિવસને અંતે આવતી રાત્રિ પણ દિવસની પૂર્વે આવતી ઉષાની જેમ દ્યુની એટલે અંતરિક્ષની દીકરી છે. ઋગ્વેદમાં જે દેવદેવીઓ પોતાના મૂળ…

વધુ વાંચો >

રામનવમી

રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ…

વધુ વાંચો >

રાવણ

રાવણ : રામાયણના સમયનો લંકાનો રાજા અને રામકથાનો પ્રતિનાયક. વિશ્રવણ તથા કૈકસી કે કેશિનીનો પુત્ર. પુલસ્ત્યનો પૌત્ર અને સુમાલિનો દૌહિત્ર. વાલ્મીકિ રામાયણ, મહાભારત, કૂર્મપુરાણ, પદ્મપુરાણ, દશાવતારચરિતમ્, આનંદ રામાયણ અને ‘રાવણવધ’ જેવી કૃતિઓમાં તેના ઉલ્લેખો મળે છે. પદ્મપુરાણ અનુસાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ રૂપે જન્મ્યા હતા. ‘દેવી…

વધુ વાંચો >

લગ્ન (ભારતીય પરંપરા)

લગ્ન (ભારતીય પરંપરા) : હિંદુ ધર્મના સોળ સંસ્કારમાંનો એક મહત્વનો હિંદુ સંસ્કાર. હિંદુ ધર્મમાં લગ્ન સ્ત્રી અને પુરુષને એકસાથે રહી, એક બની સંસારયાત્રા કરવાની માન્યતા આપે છે. વેદના સૂર્યાસૂક્તમાં કહ્યું છે તેમ, સ્ત્રી-પુરુષ દ્યાવા-પૃથિવી કે ઋક્-સામની માફક લગ્ન-સંસ્કારથી જોડાય છે. સ્ત્રી-પુરુષ આ સંસ્કારથી જોડાઈ એક પિંડ બને છે. સાત પેઢી…

વધુ વાંચો >

લિંગપુરાણ

લિંગપુરાણ : સંસ્કૃત ભાષાનાં 18 મુખ્ય પુરાણોમાંનું શિવવિષયક પુરાણ. ‘લિંગપુરાણ’ બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વાર્ધમાં 108 અને ઉત્તરાર્ધમાં 55 અધ્યાય છે. પ્રથમ ભાગમાં શિવના લિંગની ઉત્પત્તિ અને લિંગ સંપ્રદાયવિષયક વિવિધ પરંપરાઓ આપવામાં આવી છે. શિવપૂજા, તેનાં વિધિવિધાન વગેરે વિવિધ પુરાકથાઓ, આખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા દર્શાવાયાં છે. ‘લિંગપુરાણ’માં નિરૂપિત ભૌગોલિક વિગતોમાં…

વધુ વાંચો >

સત્ય

સત્ય ભારતીય તત્વજ્ઞાનના સંદર્ભમાં દેશકાલાતીત અસ્તિત્વ ધરાવતું તત્વ. ઋગ્વેદના દશમા મંડળના સૂક્ત 129ના નાસદીય સૂક્તમાં સૃદૃષ્ટિની ઉત્પત્તિ વિશે વિવિધ મતો નિરૂપાયા છે. આ સૃદૃષ્ટિ સત્માંથી કે અસત્માંથી ઉત્પન્ન થઈ છે એ પ્રશ્ન આરંભે ચર્ચતાં સૂક્તમંત્ર કહે છે કે સૃદૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં સત્ કે અસત્ કશું જ ન હતું, પણ કાંઈક…

વધુ વાંચો >

સદ્ગુણ

સદ્ગુણ : સારા ગુણો. ધર્મશાસ્ત્રમાં ષડ્વિધ ધર્મોમાં સામાન્ય ધર્મો માનવીમાં અપેક્ષિત સદાચાર માટેના આવદૃશ્યક સદ્ગુણો ગણાવે છે. ‘સદ્ગુણ’ શબ્દ દુર્ગુણોનો અભાવ અભિવ્યંજિત કરે છે. ઋગ્વેદ (7/104/12)માં કહ્યું છે કે, ‘જે સત્ય અને ઋજુ છે તેની સોમ રક્ષા કરે છે’. આથી જ શતપથ બ્રાહ્મણ (1/1/1) સત્ય સંભાષણનો આગ્રહ રાખે છે. તૈત્તિરીયોપનિષદની…

વધુ વાંચો >