કૃષ્ણવદન જેટલી

ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર)

ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર): (જ. 7 સપ્ટેમ્બર 1533, ગ્રીનવિચ, લંડન; અ. 23 માર્ચ 1603, રિચમંડ) : ઇંગ્લૅન્ડની રાણી. રાજા હેન્રી આઠમાની બીજી પત્ની એન બોલીનની પુત્રી. બોલીન સાથે લગ્ન કરવા માટે રાજા હેન્રીને કૅથલિક ધર્મના વડા પોપના ધર્મશાસનનો અસ્વીકાર કરવો પડ્યો હતો, તેથી ઇલિઝાબેથ ધર્મસુધારણા(Reformation)નું સંતાન ગણાતી. એન બોલીન પુત્રને જન્મ…

વધુ વાંચો >

ઇલ્ટન, ચાર્લ્સ

ઇલ્ટન, ચાર્લ્સ (જ. 29 માર્ચ 1900, ઇંગ્લૅન્ડ; અ. 1 મે 1991, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પરિસ્થિતિવિજ્ઞાન(ecology)ના ખ્યાતનામ બ્રિટિશ વૈજ્ઞાનિક. તેઓ પર્યાવરણના મૂળ સિદ્ધાંતોના શોધક તરીકે જાણીતા છે. પ્રાણીઓના જીવનક્રમનો અભ્યાસ તેમના રહેઠાણની આસપાસની પરિસ્થિતિનો ખ્યાલ રાખીને કરવો જોઈએ એવું તેમનું પ્રતિપાદન છે. આ અંગે ચાર્લ્સ ઇલ્ટને પોતાના વિચારો ‘એનિમલ ઇકૉલૉજી’ (1927)…

વધુ વાંચો >

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ (જ. 20 ફેબ્રુઆરી 1894, કાલ્નિક; અ. 2 માર્ચ 1980, સ્ટાવિસ્કો) : પોલૅન્ડના પ્રતિભાવંત બહુમુખી સાહિત્યકાર. 1912માં કીવ વિશ્વ-વિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ આરંભ્યો. સાથોસાથ સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918થી તેમણે પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં વસવાટ સ્વીકાર્યો. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષો…

વધુ વાંચો >

ઇસીકાવા, તાકુબોકુ

ઇસીકાવા, તાકુબોકુ (જ. 28 ઑક્ટોબર 1886, હિનોટો, જાપાન; અ. 13 એપ્રિલ 1912, ટોકિયો) : ટૂંકા કાવ્યપ્રકારના અગ્રણી જાપાની કવિ. ‘ઇસીકાવા તાકુબોકુ’ ઇસીકાવા હજિમેનું તખલ્લુસ છે. તાકુબોકુનું શિક્ષણ અપૂર્ણ હતું, છતાં તેમણે વાચન દ્વારા જાપાની અને પશ્ચિમના સાહિત્યનું સારું એવું અધ્યયન કર્યું હતું. 1905માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘એકોગરે’ પ્રગટ થયો. 1908માં…

વધુ વાંચો >

ઇસ્લામી કલા

ઇસ્લામી કલા : ઇસ્લામી પરંપરાની કળા. ઇસ્લામી ર્દશ્યકલાઓ અગાઉની કલાપરંપરા અને નવા ધર્મના સંગમનું ફળ છે. કલા પર ધર્મનો પ્રભાવ જોતાં પ્રથમ બાબત ‘મસ્જિદ’ આવે છે. ઇસ્લામ ધર્મની સ્થાપના અગાઉ પણ અરબી શબ્દ ‘મસ્જિદ’ વપરાતો અને તેનો અર્થ ‘પરમાત્મા સમક્ષ દંડવત્ પ્રણામ કરવાનું સ્થળ’ થાય છે. બંદગી માટે કેવળ જેરૂસલેમ…

વધુ વાંચો >

ઇંગ્લિશ ખાડી

ઇંગ્લિશ ખાડી : ઇંગ્લૅન્ડ અને ફ્રાંસની ભૂમિ વચ્ચે ઍટલાંટિક અને ઉત્તર સમુદ્રને જોડતી ખાડી. ભૌગોલિક સ્થાન : તે આશરે 48o 24´થી 50o 50´ ઉ. અ. અને 2o 00´ પૂ. રે.થી 5o 00´ પ. રે. વચ્ચેનો આશરે 89,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની લંબાઈ 563 કિમી. જેટલી, ઇંગ્લૅન્ડના પશ્ચિમ…

વધુ વાંચો >

ઈવાલ, યોહૅનિસ

ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…

વધુ વાંચો >

ઈસપ

ઈસપ (ઈ. પૂ. છઠ્ઠી સદી) : ગ્રીક પ્રાણીકથાઓ(fables)ના સંગ્રહનો જગવિખ્યાત સર્જક. ઈ. પૂર્વે પાંચમી સદીમાં હેરૉડોટ્સે તેને ઈ. પૂર્વે છઠ્ઠી સદીમાં જીવતો કહ્યો છે. ઈ. સ.ની પ્રથમ સદીના લેખક પ્લુટાર્કે તેને લીડિયાના રાજા ક્રોઈસસનો સલાહકાર ગણ્યો છે. તેનો જન્મ થ્રેસમાં થયો હતો. તે સેમોસ ટાપુમાં ગુલામ હતો અને તેના શેઠ…

વધુ વાંચો >

ઈસ્ટમૅન, જ્યૉર્જ

ઈસ્ટમૅન, જ્યૉર્જ (જ. 12 જુલાઈ 1854, વૉટરવિલ, ન્યૂયૉર્ક; અ. 14 માર્ચ 1932, ન્યૂયૉર્ક) : છબીકલાને દુનિયાભરમાં લોકપ્રિય બનાવનાર અમેરિકન શોધક, ઉદ્યોગપતિ અને દાનવીર. રૉચેસ્ટરની નિવાસી શાળામાં અભ્યાસ કરીને બૅન્કના સામાન્ય કારકુન તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. છબીકલાના શોખને કારણે તેમણે તે ક્ષેત્રમાં સંશોધન શરૂ કર્યું. એ જમાનામાં છબી પાડવા માટેની…

વધુ વાંચો >

ઉદયશંકર

ઉદયશંકર (જ. 8 ડિસેમ્બર 1900, ઉદયપુર; અ. 26 સપ્ટેમ્બર 1977, કોલકાતા) : પ્રસિદ્ધ ભારતીય નૃત્યકાર. જન્મ ડૉ. શ્યામાશંકર ચૌધરીને ત્યાં. જન્મસ્થળને કારણે નામ ઉદયશંકર રાખ્યું હતું. તેમને ચિત્રકલા અને સંગીતમાં બાળપણથી જ રસ હતો. 1917માં મુંબઈમાં જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં તે દાખલ થયા અને ચિત્રકલાના અભ્યાસ સાથે ગાંધર્વ મહાવિદ્યાલયમાં…

વધુ વાંચો >