કાયદાશાસ્ત્ર

ગૅરંટી (કરારપાલન)

ગૅરંટી (કરારપાલન) : બે વ્યક્તિઓ વચ્ચે થયેલ આર્થિક વ્યવહારના કરારમાં જવાબદાર વ્યક્તિ દ્વારા કરારભંગ, વચનભંગ કે ફરજભંગની કસૂર થાય તો તે કરાર, વચન કે ફરજનું પાલન કરવા-કરાવવાની બાંયધરી કે જામીનગીરી અંગેનો કરાર. તારણ વિનાનું ધિરાણ આપતી વેળાએ બૅંકો સામાન્ય રીતે જે પ્રથા અપનાવે છે તેમાંની એક ત્રાહિત પક્ષની ગૅરંટી અથવા…

વધુ વાંચો >

ગોલકનાથ કેસ

ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક પાયાના પ્રશ્નોનો વિચાર કરી તેમનું ન્યાયનિર્ધારણ કરવામાં આવ્યું હતું. 11 ન્યાયમૂર્તિઓની બનેલી ફુલ બેંચ સમક્ષ સુનાવણી થયેલા આ કેસમાં બંધારણના સત્તરમા સુધારાની બંધારણીયતાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ કેસમાં બંધારણના…

વધુ વાંચો >

ગ્રોશિયસ, હ્યૂગો

ગ્રોશિયસ, હ્યૂગો (જ. 10 એપ્રિલ 1583, હોલૅન્ડ; અ. 28 ઑગસ્ટ 1645, રૉસ્ટોક, જર્મની) : આંતરરાષ્ટ્રીય કાયદાના પિતા. હોલૅન્ડમાં એક ગરીબ ધાર્મિક પરિવારમાં જન્મ. પિતા ધર્મશાસ્ત્રના વિદ્વાન હોવાથી હ્યૂગોને ધર્મગુરુ પાસે અભ્યાસાર્થે મોકલેલા. નાની વયથી જ અસાધારણ બૌદ્ધિક પ્રતિભા ધરાવતા હ્યૂગો 8 વર્ષની વયે તો લૅટિનમાં કરુણપ્રશસ્તિઓ (elegies) લખતા થઈ ગયેલા.…

વધુ વાંચો >

ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ

ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ (જ. 12 જુલાઈ 1920, પુણે, મહારાષ્ટ્ર; અ. 14 જુલાઈ 2008, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (1978–1985) તથા ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ. પ્રાથમિક, માધ્યમિક અને બી.એ.; એલએલ.બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. કાયદાશાખાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે તેમને સુવર્ણચંદ્રક અને સ્પેન્સર પ્રાઇઝ…

વધુ વાંચો >

ચુકવણાના વિનિયોગના નિયમો

ચુકવણાના વિનિયોગના નિયમો : એક જ લેણદારનાં જુદાં જુદાં દેવાં દેવાદારે ચૂકવવાનાં હોય ત્યારે તેણે ચૂકવેલી રકમ(payment)-નો વિનિયોગ(appropriation) અનેક દેવાં પૈકી કયા દેવા સામે થઈ શકે તે અંગેના નિયમો. જ્યારે કોઈ દેવાદાર એકના એક જ લેણદારને જુદાં જુદાં દેવાં ચૂકવવા માટે જવાબદાર હોય તેવા સંજોગોમાં દેવાદારે લેણદારને કોઈ રકમ ચૂકવી…

વધુ વાંચો >

જપ્તી

જપ્તી : દેણદાર પાસેથી હુકમનામા મુજબની રકમની વસૂલાત કરાવવાના હેતુથી તેની મિલકત પર ન્યાયાલય દ્વારા બજાવવામાં આવતો ટાંચ હુકમ. જપ્તી વિશે કોઈ અધિકૃત ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી; પરંતુ રોમન લૉમાંથી તે ઇંગ્લૅન્ડના કાયદામાં સમાવિષ્ટ થયાનું મનાય છે. શરૂઆતમાં કોઈ વ્યક્તિ અદાલતમાં હાજર થાય તે હેતુથી સરકારી અમલદારો તેની વસ્તુઓ જપ્ત…

વધુ વાંચો >

જમીનધારાની સુધારણા

જમીનધારાની સુધારણા કૃષિક્ષેત્રના પરિવર્તન માટેનું અગત્યનું પાસું. આર્થિક રીતે આગળ વધેલા દેશોનો ઇતિહાસ દર્શાવે છે કે કૃષિક્રાંતિ માટે યંત્રવૈજ્ઞાનિક અને સંસ્થાકીય બન્ને પ્રકારનાં પરિવર્તન જરૂરી છે. સાધનના રોકાણમાંથી વધુ પ્રાપ્તિ થાય તેવી ઉત્પાદક પદ્ધતિઓ શોધાવી જોઈએ અને ખેડનારને અપનાવવા માટે જરૂરી વૃત્તિ અને શક્તિ ધરાવતો હોવો જોઈએ. જમીનધારો જમીનની માલિકીના…

વધુ વાંચો >

જયકર, મુકુંદ રામરાવ

જયકર, મુકુંદ રામરાવ (જ. 13 નવેમ્બર 1873, મુંબઈ; અ. 10 માર્ચ 1959 મુંબઈ) : ભારતના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી મુત્સદ્દી, પ્રભાવશાળી વક્તા અને સમાજસેવક. જન્મ પઠારે પ્રભુ જ્ઞાતિના મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. પિતાનું નામ હતું રામરાવ તથા માતાનું નામ સોનબાઈ હતું. પિતાનું મૃત્યુ થવાથી બાળક મુકુંદને દાદા વાસુદેવે ઉછેર્યા હતા. દાદા…

વધુ વાંચો >

જાહેર હિતના દાવાઓ

જાહેર હિતના દાવાઓ : જાહેર હિતને સ્પર્શતી બાબતો અંગે અસર પામેલા નાગરિકો વતી ન્યાયાલયની દાદ માગવા રજૂ કરવામાં આવતા દાવા. અંગ્રેજ શાસનના વારસા રૂપે સ્વાધીન ભારતને મળેલા ન્યાયતંત્રના માળખામાં તથા અભિગમમાં યથાસમયે પાયાના ફેરફારો દાખલ કરવામાં આવ્યા છે. હવે નાગરિકોના મૂળભૂત તથા આનુષંગિક અધિકારોના અમલની બાબતોમાં પરંપરાગત ર્દષ્ટિકોણને બદલે નવો…

વધુ વાંચો >

જેનિંગ્ઝ, સર વિલિયમ આઇવર

જેનિંગ્ઝ, સર વિલિયમ આઇવર (જ. 16 મે 1903; અ. 19 ડિસેમ્બર 1965) : કાયદાશાસ્ત્ર અને બંધારણના આંગ્લ અભ્યાસી. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સ તથા લંડન યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લૉઝની ઉપાધિ પ્રાપ્ત કરી. 1928માં તેઓ બૅરિસ્ટર બન્યા. 1929–30માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં બ્રિટિશ કાયદાના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. 1930–41 દરમિયાન…

વધુ વાંચો >