આયુર્વેદ

કેરી : જુઓ આંબો.

કેરી : જુઓ આંબો.

વધુ વાંચો >

કેવડો

કેવડો : એકદળી વર્ગમાં આવેલા પેન્ડેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pandanus odoratissimus Linn. (સં. કેતકી; હિં. કેવડા; મ. કેવડા; અં. સ્ક્રુપાઇન) છે. આ વનસ્પતિને કેટલાંક સ્થળોએ કેતકી પણ કહે છે. તે એક સઘન (densely) શાખિત ક્ષુપ છે અને ભાગ્યે જ ટટ્ટાર હોય છે. તે ભારતના દરિયાકિનારે અને આંદામાનના…

વધુ વાંચો >

કોઠ

કોઠ : આયુર્વેદ અનુસાર ત્વચાવિકારનું દર્દ. તેમાં ચળ આવે છે અને ત્વચાનો રંગ બદલાય છે. કોઠમાં પિત્તકફદોષની પ્રધાનતા હોય છે. દર્દનાં વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે : ઘણીવાર ઊલટી કરાવતાં કે થતાં ઊબળેલાં પિત્ત, કફ અને અન્નદોષના વિકારથી ઊલટી બરાબર ન થતાં શરીર ઉપર ગોળ તથા લાલ રંગનાં પુષ્કળ ચકરડાં…

વધુ વાંચો >

કોઠી (કોઠાં)

કોઠી (કોઠાં) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Feronia limonia (Linn). Swingle syn. F. alephantum Correa (સં. કપિત્થ; હિં. કૈથ, કબીટ; બં. કયેત ગાછ, કાત્બેલ; મ. કવઠ, કવિઠ; ક. વેલ્લુ, બેલડા; તે. વેલાગા; તામિ. વિલાંગા, વિળામારં; મલા. વિળાવુ, વિળા, વિળાટ્ટી; અં. એલિફંટ ઍપલ, વૂડ ઍપલ.)…

વધુ વાંચો >

કૉમિફોરા : જુઓ ગૂગળ

કૉમિફોરા : જુઓ ગૂગળ

વધુ વાંચો >

કૌમારભૃત્ય તંત્ર

કૌમારભૃત્ય તંત્ર : આયુર્વેદ અનુસારની બાલચિકિત્સાનું તંત્ર. આયુર્વેદે ચિકિત્સાની આઠ શાખાઓ ગણાવી છે : 1. શલ્યચિકિત્સા, 2. શાલાક્યચિકિત્સા, 3. કાયચિકિત્સા, 4. બાલચિકિત્સા, 5. અગદ(વિષ)ચિકિત્સા, 6. ગ્રહ-ભૂત-બાધાચિકિત્સા, 7. રસાયન અને (8) વાજીકરણ ચિકિત્સા. તેમાંની બાલચિકિત્સાને ‘કૌમારભૃત્યતંત્ર’ (paediatrics) કહ્યું છે. ‘ચરક’ (અગ્નિવેશતંત્ર), ‘સુશ્રુત’, ‘અષ્ટાંગહૃદય’, ‘ભાવપ્રકાશ’, ‘યોગરત્નાકર’, ‘હારિતસંહિતા’ અને ‘કાશ્યપસંહિતા’ જેવા પ્રાચીન સંહિતાગ્રંથોમાં…

વધુ વાંચો >

ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર)

ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર) : ક્ષરણ અને ક્ષણનની પ્રક્રિયા. ‘तत् क्षरणात् क्षणनाद् वा क्षार:’ – ધાતુઓનું ક્ષરણ અને ક્ષણન કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષરણ એટલે દુષ્ટ માંસ વગેરેના તેમજ દોષોના અવરોધોને દૂર કરવા તે. ત્વચા, માંસ વગેરે ધાતુઓનો નાશ કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષારમાં ત્રિદોષઘ્ન,…

વધુ વાંચો >

ક્ષારપાણિ

ક્ષારપાણિ (ઈ. પૂ. 1000) : ક્ષારપાણિ પુનર્વસુ આત્રેયના છ શિષ્યોમાંના એક. આત્રેય પાસેથી તેમને આયુર્વેદનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે ‘ક્ષારપાણિ તંત્ર’ અથવા ‘ક્ષારપાણિ સંહિતા’ લખી છે જે આજે પ્રાપ્ય નથી પણ ‘ક્ષારપાણિ સંહિતા’ના સંદર્ભો જેજ્જટ, ચક્રપાણિ, ડલ્હણ, અરુણદત્ત, વિજયરક્ષિત, શ્રીકંઠ દત્ત તથા નિશ્ચલકર જેવા ટીકાકારોએ ટીકામાં આપ્યા છે.…

વધુ વાંચો >

ક્ષીરવિદારી કંદ

ક્ષીરવિદારી કંદ : દૂધી-ભોંયકોળું. વિવિધ ભાષાનામો આ પ્રમાણે છે : સં. : ક્ષીર વિદારી કંદ; ક્ષીરવલ્લી, પયસ્વિની; હિં. : દૂધ વિદારી, સુફેદ વિદાર કંદ; મ. કોંકણી : હળધા કાંદા; દૂધ ઘોડવેલ; લૅટિન : Ipomoea digitata Linn; Fam. Convolvulaceae. ક્ષીરવિદારી કંદ એ સાદા વિદારી કંદ, ભોંયકોળું કે ખાખરવેલનો એક અલગ ઔષધિપ્રકાર…

વધુ વાંચો >

ક્ષુદ્રરોગ

ક્ષુદ્રરોગ : કેટલાક રોગસમૂહના વર્ણન માટે પસંદ થયેલ નામ. તેની વિવિધ વ્યાખ્યાઓ મૌલિક તથા વિશિષ્ટ અર્થ ધરાવે છે. અમરકોશમાં આ શબ્દ ક્રૂર, નાનું તથા નીચ એ ત્રણ અર્થમાં પ્રયોજાયો છે. વિવિધ શાસ્ત્રકારોએ ‘ક્ષુદ્રરોગ’ના અર્થ માટે જુદો અભિપ્રાય દર્શાવ્યો છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે : (1) જે રોગ થવા માટેનાં…

વધુ વાંચો >