આયુર્વેદ

કલહદાસ (બારમી સદી)

કલહદાસ (બારમી સદી) : ભાગલપુર પાસેના કલહગ્રામ અથવા વિક્રમશીલા વિશ્વવિદ્યાલયના વતની. ‘કલહ (કોલહ) સંહિતા’ના કર્તા. શોભન વસાણી

વધુ વાંચો >

કલ્પતરુરસ

કલ્પતરુરસ : આયુર્વેદિક રસૌષધિ. શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ મન:શિલ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને ફુલાવેલો ટંકણખાર – આ છ ઔષધિઓ 10-10 ગ્રામ; સૂંઠ અને લીંડીપીપર 20-20 ગ્રામ તથા કાળાં મરી 100 ગ્રામ લેવામાં આવે છે. સૂંઠ, મરી, પીપરનું બારીક ચૂર્ણ બનાવી, પછી પાકા કાળા આરસના ખરલમાં પ્રથમ પારો અને…

વધુ વાંચો >

કવિરાજ ગંગાધર

કવિરાજ ગંગાધર (જ. 1800, ભાગુસ (જેસોર); અ. 1887) : આયુર્વેદ આદિ પ્રાચીન ભારતીય સાહિત્યના મોટા અભ્યાસી અને લેખક. વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરીને 18 વર્ષની ઉંમરે રાજશાહી જિલ્લાના વેલવરિયાના પ્રખ્યાત કવિરાજ રમાકાન્ત સેન પાસે આયુર્વેદનો અભ્યાસ કરી 21 વર્ષની ઉંમરે કોલકાતામાં વૈદ્ય તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. પાછળથી તેમના પિતાના આદેશથી મુર્શિદાબાદમાં…

વધુ વાંચો >

કસ્તૂરી

કસ્તૂરી (musk) : હિમાચ્છાદિત પર્વતોમાં થતા કસ્તૂરીમૃગ નામના નર જાતિની લિંગગ્રંથિની નજીક નાભિમાં જામી જતો, સુગંધિત (દ્રવ) પદાર્થ. તે ઘનસ્વરૂપે કે કસ્તૂરીમૃગના ડૂંટામાં જ પ્રાય: વેચાય છે. તે મૃગ(હરણ)નો કામ-મદ છે. વિવિધભાષી નામો : સં. मृगनाभि, मृगमद, कस्तूरिका, कस्तूरी, वेधमूखा; હિ. मृगनाभि, कस्तूरी; બં. मृगनाभि, कस्तूरी; મ. ગુ. ક. તે.…

વધુ વાંચો >

કસ્તૂરીભૈરવરસ

કસ્તૂરીભૈરવરસ : રસૌષધિ. શુદ્ધ હિંગળોક, શુદ્ધ વછનાગ, ફુલાવેલ ટંકણખાર, જાવંત્રી, જાયફળ, મરી, લીંડીપીપર અને કસ્તૂરી સરખે ભાગે લેવામાં આવે છે. પ્રથમ કસ્તૂરી સિવાયની બાકીની વસ્તુઓનાં ચૂર્ણ ખરલમાં નાખી, તેમાં બ્રાહ્મીનો ક્વાથ નાખી, ત્રણ દિવસ સતત ઘૂંટવામાં આવે છે. પછી તેમાં કસ્તૂરી ભેળવી, તેમાં નાગરવેલના પાનનો રસ નાખી 3 કલાક દવાની…

વધુ વાંચો >

કંપવાત (આયુર્વેદ)

કંપવાત (આયુર્વેદ) : શરીરનાં હાથ, પગ તથા મસ્તક જેવાં અંગોને સતત કંપતાં (ધ્રૂજતાં) રાખતું શરીરના પ્રકુપિત વાયુનું દર્દ. આ દર્દ શારીરિક તથા માનસિક બંને કારણોસર બે પ્રકારે થાય છે. આયુર્વેદમાં 80 પ્રકારના વાયુનાં દર્દોની અંદર તેની ગણના કરાઈ છે, જે પ્રાય: કાયમી હોય છે પરંતુ યોગ્ય ઉપચારોથી તે મટી શકે…

વધુ વાંચો >

કાયાકલ્પ

કાયાકલ્પ : આયુર્વેદના પ્રાચીન કાળના આચાર્યો તથા ભારતના અનેક ઋષિમુનિઓએ માનવજીવનને દીર્ઘઆયુષી તથા યુવાનસશ સ્વસ્થ રાખવાની શોધેલી એક વિશિષ્ટ ચિકિત્સાપદ્ધતિ. ‘કાયાકલ્પ’ એટલે કાયા(દેહ)નું નવીનીકરણ, આમૂલ પરિવર્તન કે નવજીવન પામ્યાથી થતું દેહનું રૂપાંતરણ. ‘કલ્પ’ શબ્દ કોઈ ખાસ વિશિષ્ટ આહારદ્રવ્ય કે ઔષધિનો શરીરમાં ઉપયોગ કરવાની વિશિષ્ટ પદ્ધતિ માટે વપરાય છે. તેથી ‘કાયાકલ્પ’નો…

વધુ વાંચો >

કાલવિચાર (આયુર્વેદ)

કાલવિચાર (આયુર્વેદ) : કાલના પરિમાણનો વિચાર. કાળ વિશેનો તાત્વિક વિચાર મુખ્યત્વે ‘કણાદ’ મહર્ષિના વૈશેષિક દર્શનમાં પ્રાપ્ત થાય છે. ન્યાયદર્શનમાં પણ કાળત્રયનો વિચાર કરેલ છે. વૈશેષિક દર્શનમાં કાળનો વિચાર કરેલ છે તે પ્રમાણે જ બીજાં શાસ્ત્રોએ અનુકરણ કરેલ છે. વૃદ્ધત્વ, તારુણ્ય, યૌગપદ્ય, ચિરત્વ તથા શીઘ્રત્વ – આ ‘કાળજ્ઞાપક’ લક્ષણો છે. વૈશેષિકોના…

વધુ વાંચો >

કાશ્યપસંહિતા

કાશ્યપસંહિતા : સાંપ્રત ‘વૃદ્ધ જીવકતંત્ર’ નામે પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથનું મૂળ નામ. ચરકસંહિતાના પ્રવક્તા જેમ આત્રેય છે અને સુશ્રુતસંહિતાના ઉપદેશક જેમ ધન્વંતરિ છે તેમ ‘કાશ્યપસંહિતા’ના પ્રવક્તા કશ્યપ રહ્યા છે. કશ્યપે કહેલી તે ‘કાશ્યપસંહિતા’. મહર્ષિ કશ્યપનું નામ ‘મરીચિ કશ્યપ’ તરીકે પણ આવે છે. ચરકસંહિતામાં પણ મારીચ કશ્યપનો ઉલ્લેખ છે. ઋચિકપુત્ર જીવકે કાશ્યપતંત્રનો…

વધુ વાંચો >

કાસ

કાસ : ખાંસી કે ઉધરસનો રોગ. આયુર્વેદમાં કાસ રોગની ઉત્પત્તિનાં અનેક કારણો આપ્યાં છે. મુખ, નાક, કે ગળામાં ધુમાડાનો તેમજ ધૂળનો પ્રવેશ થવાથી, વાયુ દ્વારા પ્રેરિત આમરસ મુખમાં આવી જવાથી, અતિરુક્ષ  શીત – સ્નિગ્ધ – ખાટું – ખારું ભોજન કરવાથી, અધિક વ્યાયામ કરવાથી તેમજ છીંકના વેગો રોકવાથી કાસ ઉત્પન્ન થાય…

વધુ વાંચો >