અપભ્રંશ-પાલિ-પ્રાકૃત સાહિત્ય

આવસ્સય–ચૂન્નિ

આવસ્સય–ચૂન્નિ (सं. आवश्यक चूर्णि) : આવશ્યક સૂત્ર પરનો ટીકા-ગ્રંથ. તેના કર્તા જિનદાસગણિ મહત્તર મનાય છે. આમાં કેવળ શબ્દાર્થનું જ પ્રતિપાદન નથી, પરંતુ ભાષા અને વિષયની દૃષ્ટિએ જોતાં તે એક સ્વતંત્ર રચના જણાય છે. ઋષભદેવના જન્મ-મહોત્સવથી નિર્વાણપ્રાપ્તિ સુધીની ઘટનાઓનું સવિસ્તર વર્ણન છે. જૈન પરંપરા અનુસાર તેમણે જ સર્વપ્રથમ અગ્નિનું ઉત્પાદન કરવાનું…

વધુ વાંચો >

ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत)

ઉત્તરાધ્યયન સૂત્ર (उतरज्झयणसुत) : જૈન આગમ સાહિત્યનો મહત્વપૂર્ણ ગ્રંથ. અર્ધમાગધી પ્રાકૃતના આગમગ્રંથોમાં ચાર ગ્રંથોને મૂળ સૂત્ર કહેવામાં આવ્યા છે. તેમાંનું એક તે ‘ઉત્તરાધ્યયન’ સૂત્ર. જૈન સંઘની મૂળભૂત બાબતોનું આ ગ્રંથમાં વર્ણન હોવાથી તેને મૂળ સૂત્ર કહ્યું છે. આ ગ્રંથનાં સૂત્રો આચારાંગ સૂત્ર અથવા દશવૈકાલિક સૂત્રના ઉત્તરકાલમાં (પછી) વાંચવામાં આવતાં, એટલે…

વધુ વાંચો >

ઉદયનાચાર્ય (ઈ.સ.ની દસમી સદી)

ઉદયનાચાર્ય (ઈ.સ.ની દસમી સદી) : ન્યાયવૈશેષિક પરંપરાના ધુરંધર વિદ્વાન. પોતાની કૃતિ ‘લક્ષણાવલી’ના અંતે પ્રશસ્તિમાં તેઓ જણાવે છે કે પોતે તેની રચના શક સંવત 906માં કરી છે. દરભંગાથી પૂર્વમાં 21 માઇલ પર કનકા નદીના પૂર્વકાંઠે આવેલ મઙરૌની ગામના એટલે હાલના બિહાર રાજ્યના મિથિલા ક્ષેત્રના તેઓ વતની હતા. તેમની કૃતિઓ : (1)…

વધુ વાંચો >

ઉવએસપદ (ઉપદેશપદ)

ઉવએસપદ (ઉપદેશપદ) (આઠમી સદી) : ઉપદેશલક્ષી સાહિત્યની પ્રાકૃત રચના. પ્રાકૃત કથાસાહિત્યમાં કેટલાક એવા ગ્રંથ પણ લખાયા છે, જે હકીકતમાં ધર્મોપદેશ માટે છે, છતાં તેમાં મળતી કથાઓ તે ગ્રંથોને મનોરંજક બનાવી દે છે. ‘ઉપદેશપદ’ એવી જ ઔપદેશિક કથાસાહિત્યની રચના છે. તેની રચના યાકિનીમહત્તરાના ધર્મપુત્ર અને ‘વિરહાંક’ પદથી પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્રસૂરિ દ્વારા…

વધુ વાંચો >

ઉવએસમાલા (ઉપદેશમાલા)

ઉવએસમાલા (ઉપદેશમાલા) (ચોથી-પાંચમી સદી) : પ્રાકૃતના ઔપદેશિક કથાસાહિત્યમાં ધર્મદાસગણિની રચના. ઉપદેશમાલા ઔપદેશિક કથાસાહિત્યનો આદિ અને મહત્વનો ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં પ્રાચીન જૈનાચાર્યોના નીતિ-પરક ઉપદેશોને 542 પ્રાકૃત ગાથાઓમાં મનોહારી ર્દષ્ટાન્તો સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પારમ્પરિક ર્દષ્ટિથી ધર્મદાસગણિ ભગવાન મહાવીરના સમકાલીન મનાય છે. પરંતુ ડૉ. જગદીશચંદ્ર જૈનના મત અનુસાર ધર્મદાસગણિ…

વધુ વાંચો >

ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ)

ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ) (ચોથી-પાંચમી સદી) : ઉપદેશાત્મક પ્રાકૃત કૃતિ. આ પ્રકરણગ્રંથના કર્તા ધર્મદાસગણિ ક્ષમાશ્રમણને જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીરના હસ્તે દીક્ષા પામેલા તેમના અંતેવાસી માનવામાં આવે છે, પરંતુ પુરાવાને આધારે ચોથી-પાંચમી સદીમાં તેમને મૂકી શકાય. પોતાના સાંસારિક પુત્ર રણસિંહકુમારને પ્રતિબોધવા નિમિત્તે, સર્વ જીવોના કલ્યાણ અર્થે, 540 (544) ગાથાના આ પ્રકરણની…

વધુ વાંચો >

ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર)

ઉવએસરયણાયર (ઉપદેશરત્નાકર) (ઈ. તેરમી સદી) : પ્રાકૃત ગ્રંથ. તેના લેખક સહસ્રાવધાની મુનિ સુન્દરસૂરિ છે. તેમને બાલસરસ્વતી કે વાદિગોકુલષણ્ડ નામથી પણ સન્માનિત કરવામાં આવતા હતા. તે વિ.સં. 1319 પૂર્વેની રચના મનાય છે. આ ગ્રંથ ચાર વિભાગમાં છે. તેમાં બાર તરંગ છે. અનેક ર્દષ્ટાંતો દ્વારા ધર્મનું સ્વરૂપ સરળતાથી સમજાવ્યું છે. આ ઉપરાંત…

વધુ વાંચો >

કણ્હચરિય (કૃષ્ણચરિત્ર)

કણ્હચરિય (કૃષ્ણચરિત્ર) : પ્રાકૃત ભાષાનો ચરિત્રગ્રંથ. કર્તા દેવેન્દ્રસૂરિ. રામના ચરિત્રની જેમ શ્રીકૃષ્ણચરિત્રની અનેક રચનાઓ પ્રાકૃતમાં મળે છે. દેવેન્દ્રસૂરિ જગચ્ચન્દ્રસૂરિના શિષ્ય હતા અને 1270માં વસ્તુપાલ મંત્રી સમક્ષ આબુ પર તેમને સૂરિપદ મળેલું. આ ચરિત્રગ્રંથમાં જૈન પુરાણકલ્પના અનુસાર વસુદેવના પૂર્વભવ, કંસનો જન્મ, વસુદેવના પ્રવાસો અને અનેક રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ, દેવકી સાથે લગ્ન,…

વધુ વાંચો >

કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા)

કત્તિગેયાણુવેકખા (કાર્ત્તિકેયાનુપ્રેક્ષા) (નવમી શતાબ્દી) : શૌરસેની પ્રાકૃતમાં કાર્તિકેય મુનિએ રચેલી 489 ગાથાઓની કૃતિ. એમાં અણુવેકખા (અનુપ્રેક્ષા) અર્થાત્ ભાવનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. વૈરાગ્યને પુષ્ટ કરતી બાર પ્રકારની ભાવનાઓ જૈન ધર્મમાં પ્રસિદ્ધ છે : અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભત્વ અને ધર્મભાવના. મુખ્યત્વે બાર ભાવનાઓનું…

વધુ વાંચો >

કનકામર

કનકામર (1065) : ‘કરકંડુચરિઉ’ નામે અપભ્રંશ સંધિબદ્ધ કાવ્યના રચયિતા દિગંબર જૈન મુનિ. તે મૂળ બ્રાહ્મણ કુળના હતા અને વૈરાગ્યના કારણે દિગંબર જૈન મુનિ બન્યા હતા. દેશાટન કરતાં કરતાં ‘આસાઇય’ નામે નગરીમાં પહોંચી તેમણે ‘કરકંડુચરિઉ’ની રચના કરી હતી. તેમની કૃતિમાંથી કવિના સમય વિશે કોઈ જાણકારી મળતી નથી, પરંતુ તેમણે આપેલાં પૂર્વકવિઓનાં…

વધુ વાંચો >