૯.૧૯

દૃષ્ટિપટલદોષથી દેવી

દેલવાડાનાં મંદિરો

દેલવાડાનાં મંદિરો : સોલંકીકાલ દરમિયાન ગુજરાતના મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતા છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ…

વધુ વાંચો >

દેવ

દેવ (જ. 1673 લગભગ, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1767 લગભગ) : હિન્દી કવિ. મૂળનામ દેવદત્ત. હિંદીમાં મહાકવિ દેવના નામે ખ્યાત. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા બિહારીલાલ દૂબે. જીવનકાળ દરમિયાન જુદા જુદા રાજા કે શ્રીમંતના આશ્રયે એકાધિક સ્થળે નિવાસ. લગભગ સોળ વર્ષની વયે ‘ભાવવિલાસ’ની રચના. કવિના આશ્રયદાતાઓમાં ઔરંગઝેબનો પુત્ર આજમશાહ, ભવાનીદત્ત વૈશ્ય, ફફૂંદના…

વધુ વાંચો >

દેવ

દેવ (જ. 1947, જગરાંવ, જિ. લુધિયાણા, પંજાબ) : પંજાબી કવિ અને ચિત્રકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘શબ્દાંત’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને અંગ્રેજી, સ્વાહિલી, જર્મન અને સ્પેન ભાષાની જાણકારી છે. આખા યુરોપમાં તેમણે તેમનાં પ્રદર્શનો યોજ્યાં છે. તેમને પર્યટન, સંગીત અને ફોટોગ્રાફીનો શોખ છે.…

વધુ વાંચો >

દેવકરણ નાનજી

દેવકરણ નાનજી (જ. 1858, પોરબંદર; અ. 1922) : વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના અગ્રણી. જન્મ મોઢ વણિક જ્ઞાતિમાં. પિતાનું નામ નાનજી દેસાઈ અને માતાનું નામ દેવકોરબાઈ હતું. કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. તેમની 9 વર્ષની કાચી વયે પિતાનું અવસાન થતાં મોટા ભાઈ છગનદાસે અભ્યાસ માટે તેમને 11 વર્ષની વયે મુંબઈ…

વધુ વાંચો >

દેવકીનંદન

દેવકીનંદન  (18મી સદીનો ઉત્તરાર્ધ) : હિંદી સાહિત્યના પંડિત-કવિ. કનોજ પાસેના મકરંદનગર(જિ. ફર્રુખાબાદ)ના નિવાસી અને કવિ શિવનાથના પુત્ર હતા. આ કવિના બે આશ્રયદાતાઓ હતા – ઉમરાવગિરિ મહંતના પુત્ર કુંવર સરફરાજગિરિ અને બીજા રુદ્રામઊ મલાએ(જિ. હરદોઈ)ના રૈકવાર વંશના રાજા અવધૂતસિંહ. આ બંને આશ્રયદાતાઓના નામે કવિએ એક એક રચના કરી છે. દેવકીનંદન બહુશ્રુત…

વધુ વાંચો >

દેવગડ

દેવગડ : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. દેવગડની ખાડી ઉપર 16° 23’ ઉ. અ. અને 73° 22’ પૂ. રે. ઉપર આવેલું લઘુ બંદર. તે વિજયદુર્ગથી દક્ષિણે 19 કિમી., મુંબઈથી દક્ષિણે 210 કિમી., માલવણથી 36.8 કિમી. અને કોલ્હાપુર રેલવેસ્ટેશનથી નૈર્ઋત્યે 129 કિમી. દૂર આવેલું છે. શહેરની ચારે બાજુ ટેકરીઓ આવેલી…

વધુ વાંચો >

દેવગઢબારિયા

દેવગઢબારિયા : દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુલદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ.…

વધુ વાંચો >

દેવગુપ્ત

દેવગુપ્ત (ઈ. સ.ની સાતમી સદી) : પૂર્વ માળવાનો રાજા. તેનું નામ ‘હર્ષચરિત’માં અને હર્ષવર્ધનના અભિલેખોમાં આવે છે. તેના આધારે તેને ગુપ્ત રાજા માનવામાં આવે છે. દેવગુપ્ત મહાસેનગુપ્તનો જ્યેષ્ઠ પુત્ર હતો. ‘હર્ષચરિત’માં જણાવ્યા મુજબ, મહાસેનગુપ્તે પૂર્વ માળવામાં ગુપ્તકુળની સ્થાપના કર્યા બાદ દેવગુપ્ત તે પ્રદેશનો શાસક બન્યો. ગૌડ(બંગાળ)ના રાજા શશાંકે માળવાના દેવગુપ્ત…

વધુ વાંચો >

દેવગૌડા, હારડાનાહલ્લી

દેવગૌડા, હારડાનાહલ્લી (જ. 18 મે 1933, હારડાનાહલ્લી, કર્ણાટક) : ભારતના ભૂતપૂર્વ (1996–97) વડાપ્રધાન, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળના નેતા. પિતા દોદેગૌડા તથા માતા દયાવમ્મા સામાન્ય ખેડૂત પરિવારનાં હતાં. નબળી આર્થિક સ્થિતિને લીધે દેવગૌડાને બપોર સુધીનો સમય ખેતીકામમાં ગાળવો પડતો અને ત્યારપછીના સમય દરમિયાન તેઓ લક્ષમ્મા વેંકટસ્વામી પૉલિટેકનિકમાં અભ્યાસ કરતા.…

વધુ વાંચો >

દેવચકલી

દેવચકલી (Indian Robin) : ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલદોષ

Mar 19, 1997

ર્દષ્ટિપટલદોષ : ર્દષ્ટિપટલ(retina)ના વિકારો. ર્દષ્ટિપટલના વિવિધ વિકારોને સારણી 1માં દર્શાવ્યા છે. ર્દષ્ટિપટલમાં વિવિધ કારણોસર વિકારો થાય છે; જેમ કે, જન્મજાત તથા વિકાસલક્ષી પરિબળોના કારણે, શોથ (inflammation) કરતા વિકારોના કારણે, લોહીના આંખમાંના પરિભ્રમણમાં ઉદભવેલ વિકારો કે નસોમાં થતા વિકારોના કારણે, અપક્ષીણતા કે અન્ય સંરચનાલક્ષી (strurctural) વિકારોના કારણે કે ગાંઠ અથવા કૅન્સરને…

વધુ વાંચો >

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન

Mar 19, 1997

ર્દષ્ટિપટલનું અલગીકરણ અથવા વિયોજન (detachment of retina) : આંખની અંદરની બાજુનું ર્દષ્ટિપટલનું સ્તર ઊપસીને છૂટું પડવાની ક્રિયા. તેને પડદામાં કાણું પડવું પણ કહે છે. ર્દષ્ટિપટલ એક પાતળો કોમળ પડદો (પટલ, membrane) છે. તે આંખના ગોળાના પોલાણમાં ર્દષ્ટિચકતી(optic disc)થી શરૂ કરીને આગળની બાજુ સકશાકાય (ciliary body) સુધી ફેલાયેલું હોય છે. આંખ…

વધુ વાંચો >

ર્દષ્ટિબિંદુ

Mar 19, 1997

ર્દષ્ટિબિંદુ (point of view) : ચોક્કસ બિંદુએથી કોઈ વસ્તુને જોવી કે એનું નિરીક્ષણ કરવું. આ અર્થ પરથી કોઈ પણ વ્યક્તિના ચોક્કસ મનોવલણનો કે પછી એની પરિસ્થિતિઓથી બંધાયેલા અભિગમનો અર્થ પણ સૂચવાય છે. સાહિત્યક્ષેત્રે અને ખાસ કરીને કથાસાહિત્યક્ષેત્રે એનો વિશિષ્ટ પારિભાષિક અર્થ નિર્ધારિત છે. હેન્રી જેમ્સની પોતાની વિવિધ નવલકથાઓની લખેલી પ્રસ્તાવનાઓના…

વધુ વાંચો >

ર્દષ્ટિલક્ષી ચેતાપથ

Mar 19, 1997

ર્દષ્ટિલક્ષી ચેતાપથ (visual pathway) : ર્દષ્ટિની સંવેદનાનું વહન કરતા ચેતાતંતુઓ અને તેમનું નિયંત્રણ કરતાં ચેતાકેન્દ્રોનો સમૂહ. તેમાં બે ર્દષ્ટિચેતા (optic nerves), ર્દષ્ટિચતુષ્ક (optic chiasma), બે ર્દષ્ટિચેતાપથ (optic tracts), બે પાર્શ્વકોણીય કાય (lateral geniculate bodies), મગજના બંને અર્ધગોળામાં આવેલા ર્દષ્ટિલક્ષી ચેતાવિસ્તરણ (optic radiation) તથા મગજના ર્દષ્ટિલક્ષી બહિ:સ્તર(visual cortex)નો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ર્દષ્ટિસ્વાસ્થ્ય

Mar 19, 1997

ર્દષ્ટિસ્વાસ્થ્ય : જોવાની ક્ષમતા જાળવી રાખવી તથા અંધાપો આવતો રોકવાનું પૂર્વનિવારણ કરવું તે. અંધાપો (blindness) એક વૈશ્વિક સમસ્યા છે અને તેથી વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ તેના પૂર્વનિવારણ (prevention) માટે વિવિધ અભ્યાસો યોજ્યા છે તથા સુવ્યવસ્થિત સૂચનો કરેલાં છે. 1966ના WHO-એ કરેલા અભ્યાસમાં દર્શાવ્યું હતું કે વિશ્વમાં અંધાપા માટેની જુદી જુદી 65…

વધુ વાંચો >

દેડકો

Mar 19, 1997

દેડકો : પાણીમાં તેમજ જમીન પર રહેવા અનુકૂલન પામેલ ઉભયજીવી વર્ગનું અપુચ્છ (anura) શ્રેણીનું પૂંછડી વગરનું પૃષ્ઠવંશી પ્રાણી. તેની આંખ પાર્શ્વ બાજુએથી ગોઠવાયેલી અને ઊપસેલી હોય છે. તેના પાછલા પગ લાંબા, માંસલ અને મજબૂત હોવા ઉપરાંત તેની આંગળીઓ વચ્ચે પડદાઓ આવેલા હોય છે. તેથી દેડકો પગોની મદદથી કૂદકો મારીને  લાંબું…

વધુ વાંચો >

દે, બીરેન

Mar 19, 1997

દે, બીરેન (જ. 8 ઑક્ટોબર 1926, બંગાળ; અ. 12 માર્ચ 2011) : બંગાળ-શૈલીના તાંત્રિક ચિત્રકાર. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટ્સમાં અભ્યાસ (1944–48). દિલ્હીની સ્કૂલ ઑવ્ આર્ટમાં શિક્ષણકાર્ય કર્યું (1952–64). ફુલબ્રાઇટ ગ્રાન્ટ મેળવી ન્યૂયૉર્કમાં કામ કર્યું (1959–60). રાષ્ટ્રીય પ્રદર્શનો (1958 –68), ટવેન્ટીફાઇવ યર્સ ઑવ્ ઇન્ડિયન આર્ટ (1972) તથા દિલ્હીમાં…

વધુ વાંચો >

દે, મુકુલચંદ્ર

Mar 19, 1997

દે, મુકુલચંદ્ર (જ. 23 જુલાઈ 1895, બંગાળ; અ. 1 માર્ચ 1989, શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ) : બંગાળ-શૈલીના ચિત્રકાર. છેક કિશોરવયથી શિક્ષણ શાંતિનિકેતનમાં. રવીન્દ્રનાથ ટાગોરના સાન્નિધ્યમાં તથા પાછળથી કૉલકાતામાં અવનીન્દ્રનાથ ટાગોર પાસે રહી કલાનું શિક્ષણ મેળવ્યું. જાપાન અને અમેરિકાના પ્રવાસમાં રવીન્દ્રનાથની સાથે હતા. તેમનાં ચિત્રોનું પ્રદર્શન 1916માં સાનફ્રાન્સિસ્કો, શિકાગો અને ન્યૂયૉર્કમાં યોજાયેલું.…

વધુ વાંચો >

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ

Mar 19, 1997

દેરાસરી, ડાહ્યાભાઈ પીતાંબરદાસ (જ. 11 ઑક્ટોબર 1857, સૂરત; અ. 14 માર્ચ 1938) : ગુજરાતી કવિ, વિવેચક, કોશકાર. મૂળ વતન કપડવણજ. વિસનગરા નાગર બ્રાહ્મણ. ચોથી વિસનગરા જ્ઞાતિ પરિષદ(બનારસ)ના પ્રમુખ. એમના પ્રપિતામહ અમદાવાદમાં આવી રહેલા એટલે ડાહ્યાભાઈ પી. દેરાસરીનું કાર્યક્ષેત્ર અમદાવાદ બન્યું. 1887માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી તે પુણેની સાયન્સ કૉલેજમાં જોડાયા.…

વધુ વાંચો >

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન

Mar 19, 1997

દેરોઝીઓ, હેન્રી, લૂઈ વિવિયન (જ. 18 એપ્રિલ 1809, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 26 ડિસેમ્બર 1831, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી કવિ અને દેશભક્ત. પૉર્ટુગીઝ પિતા અને ભારતીય માતાનું સંતાન. ચૌદ વર્ષની વયે અંગ્રેજીમાં કવિતા લખવી શરૂ કરી અને કૉલકાતાના ડૉ. જૉન ગ્રાન્ટનું તેના તરફ ધ્યાન ખેંચાયું. અઢાર વર્ષની વયે હિન્દુ કૉલેજ,…

વધુ વાંચો >