૭.૨૬

જિબરેલિનથી જીવનસમરમ્

જિબરેલિન

જિબરેલિન : જિબરેલા ફ્યૂજીકોરાઈ નામની ફૂગમાંથી ઉત્પન્ન થતું દ્રવ્ય. આ ફૂગની અસરથી ડાંગરના છોડ રોગી બને છે. સૌપ્રથમ વાર આ રોગ જાપાનમાં જોવામાં આવ્યો. 1890ના દાયકામાં તેને ‘બકાને’ રોગ નામ આપવામાં આવ્યું. રોગનું એક લક્ષણ વનસ્પતિની અનિયમિત લંબવૃદ્ધિ છે. 1926માં સંશોધન દ્વારા ઈ. કૂરોસાવાએ સાબિત કર્યું કે આ રોગ ફૂગ…

વધુ વાંચો >

જિબુટી (Djibouti)

જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન 11° 36’ ઉ. અ. અને 43° 09’ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (1977) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર…

વધુ વાંચો >

જિબ્રાન, ખલિલ

જિબ્રાન, ખલિલ (જ. 6 જાન્યુઆરી 1883, બ્શેરી, લેબેનન; અ. 10 એપ્રિલ 1931, ન્યૂયૉર્ક) : લેબેનનના વિશ્વપ્રસિદ્ધ અરબી કવિ. મૂળ અરબી નામ જુબ્રાન ખલિલ જુબ્રાન. માતાનું નામ કામિલા રાહમી અને પિતાનું નામ ખલિલ જુબ્રાન. શરૂઆતનાં વર્ષોમાં પોતાના વતનમાં માતાપિતા પાસે ઘેર જ શિક્ષણ લીધું અને તે દરમિયાન અરબી, અંગ્રેજી અને ફ્રેંચ…

વધુ વાંચો >

જિબ્રાલ્ટર

જિબ્રાલ્ટર : સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : 36° 07’ ઉ. અ. અને 5° 21’ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્વ રહ્યું છે. 711માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના…

વધુ વાંચો >

જિબ્રાલ્ટરની સામુદ્રધુની

જિબ્રાલ્ટરની સામુદ્રધુની : યુરોપના સ્પેન અને ઉત્તર આફ્રિકાના મોરોક્કોને છૂટી પાડતી સાંકડી સામુદ્રધુની. તે દ્વારા પશ્ચિમ તરફથી ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશી શકાય છે, જ્યારે પૂર્વ તરફથી આટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી શકાય છે. યુદ્ધના સમયમાં જિબ્રાલ્ટર તેના વ્યૂહાત્મક અગત્યવાળા સ્થાનને કારણે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ માટેનો દરિયાઈ માર્ગ બંધ કરી શકે છે. સામુદ્રધુની 80…

વધુ વાંચો >

જિમ્નેશિયમ

જિમ્નેશિયમ : ખાસ કરીને પાશ્ચાત્ય સ્થાપત્યમાં રમત અને અંગ-કસરત માટે બાંધેલી ઇમારતોનો સમૂહ. અંગ-કસરત અને શરીરસૌષ્ઠવની ક્રિયાઓ માટેના આયોજનવાળી ઇમારતો ‘જિમ’ અથવા ‘જિમ્નેશિયમ’ નામે ઓળખાય છે. ભારતીય સંદર્ભમાં ‘અખાડા’ આની સરખામણીમાં આવે. જિન્મેશિયમની ઇમારતોમાં ફરસ અને પ્રેક્ષકોના સમાવેશની બાબત ખાસ ધ્યાન માગી લે છે. હાલના સંદર્ભમાં શારીરિક કૌશલ કેળવવા માટે…

વધુ વાંચો >

જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા

જિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા : ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના 1851માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા…

વધુ વાંચો >

જિરાફ

જિરાફ : સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે 5.5 મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી…

વધુ વાંચો >

જિરાર્ડિનિયા

જિરાર્ડિનિયા : જિરાર્ડિનિયા ઝાયલેનિકા નામની આ વનસ્પતિ અર્ટીકેસી કુળમાં આવે છે. નીચા ક્ષુપ સ્વરૂપે જોવા મળે છે. તેનાં પર્ણો 6-18 સેમી. વ્યાસ ધરાવે છે. પહેલાં અંડાકાર અથવા અર્ધગોળ, અર્ધવલયાકાર, આખા અથવા 3-5 ખંડીય જે ઉપર દાહક રોમો આવેલાં હોય છે. પુષ્પો ઑક્ટોબરથી માર્ચ મહિનામાં પરિમિત પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં જોવાય છે. નર…

વધુ વાંચો >

જિરેનિયેસી (Geraniaceae)

જિરેનિયેસી (Geraniaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે જિરેનિયમ પ્રજાતિ (Geranium genuis) તથા અન્ય જાતિઓ – મુખ્યત્વે પેલાર્ગોનિયમ (Pelargonium) જાતિઓ ધરાવે છે. તેમાં 300થી પણ અધિક પ્રજાતિઓનો સમાવેશ થયેલ છે. મૂળ દક્ષિણ આફ્રિકામાં ઊગતી જિરેનિયમ કુળની વનસ્પતિનું ઉદ્યાનમાં સુશોભન માટે ઇંગ્લૅન્ડમાં ઈ. સ. 1690માં પ્રથમ વાર વાવેતર થયું.…

વધુ વાંચો >

જીવન

Jan 26, 1996

જીવન : બહારથી મેળવેલાં તત્વો વડે પોષણરક્ષણ અને સંચલન કરનારી પ્રજનનશીલ જીવંત પદાર્થોની અવસ્થા. વિષાણુ (virus) એક નિર્જીવ ન્યૂક્લિયોપ્રોટીનનો કણ છે; પરંતુ યોગ્ય સજીવ કોષના સંપર્કમાં આવતાં કોષમાં રહેલ જૈવિક ઘટકોની મદદથી વિષાણુ ક્રિયાશીલ બને છે અને પોતાના જેવા કણોનું સર્જન કરે છે. સજીવોની વિશેષતાઓ : (1) ચયાપચય (metabolism) :…

વધુ વાંચો >

જીવન

Jan 26, 1996

જીવન (જ. 24 ઑક્ટોબર 1915; અ. 10 જૂન 1987, મુંબઈ) : ચલચિત્ર વ્યવસાયના વીતેલા જમાનાના વિખ્યાત અભિનેતા. આખું નામ ઓમકારનાથ જીવન દુર્ગાપ્રસાદ ધર. પણ તેમણે અભિનેતા તરીકે પોતાનું નામ માત્ર ‘જીવન’ રાખ્યું. આ ટૂંકા નામથી તેઓ યાદગાર બની રહ્યા. કાશ્મીરના પંડિત (બ્રાહ્મણ) પરિવારમાં જન્મ. બાળપણ કાશ્મીરમાં વીત્યું. પિતા ઉચ્ચ સરકારી…

વધુ વાંચો >

જીવનકથા

Jan 26, 1996

જીવનકથા : એક વ્યક્તિના સંપૂર્ણ અથવા વિશિષ્ટ જીવનખંડનો અન્ય વ્યક્તિએ લખેલો વૃત્તાંત. કોઈ મહાન પુરુષનું જીવન નિસ્સાર હોતું નથી. વિશ્વનો ઇતિહાસ વસ્તુત: ચરિત્રોનું દોહન જ છે. માનવીની કુતૂહલવૃત્તિ ચરિત્રોને જીવંત રાખે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિચાર કે ક્રિયામાં ફાળો આપનાર વ્યક્તિ ચરિત્રનાયક બને છે. સમયે સમયે વ્યક્તિ અને પ્રસંગનું…

વધુ વાંચો >

જીવન ચહચિટા (1957)

Jan 26, 1996

જીવન ચહચિટા (1957) : સિંધી એકાંકીસંગ્રહ. રચયિતા પ્રા. મંઘારામ મલકાણી (1896–1980). તે સિંધી ભાષામાં એકાંકીના પિતામહ ગણાય છે. તેમના 7 એકાંકીસંગ્રહો પ્રગટ થયા છે. 1957માં પ્રકાશિત ‘જીવન ચહચિટા’માં તેમણે સામાજિક દૂષણોનો પ્રતિકાર કરતાં જીવનનાં સાંપ્રત નવ-મૂલ્યો માટે સુધારણાનો સંદેશો આપ્યો છે. રાષ્ટ્રીય ભાવનાને લગતા પણ તેમના વિષયો રહ્યા છે. નાટ્યશિલ્પની…

વધુ વાંચો >

જીવનધોરણ

Jan 26, 1996

જીવનધોરણ : સમગ્ર પ્રજા કે કોઈ એક વર્ગના જીવનવ્યવહારના આર્થિક સ્તરની કક્ષા. સામાન્ય રીતે આવક અને સંપત્તિની વહેંચણી ધ્યાનમાં લઈને સમાજને ત્રણ મુખ્ય આર્થિક વર્ગોમાં વહેંચવામાં આવે છે : (1) ગરીબ અથવા નીચલો વર્ગ, (2) મધ્યમવર્ગ, (3) તવંગર અથવા ધનિક વર્ગ. જે વર્ગના લોકો જીવનની લઘુતમ સપાટીએ અથવા તેનાથી પણ…

વધુ વાંચો >

જીવનનું પરોઢ (1948)

Jan 26, 1996

જીવનનું પરોઢ (1948) : પ્રભુદાસ ગાંધીનું આત્મકથાનક. 4 ભાગ અને ડેમી કદનાં 644 પૃષ્ઠમાં વિસ્તરેલું આ પુસ્તક માત્ર સાહિત્યિક ર્દષ્ટિએ જ નહિ, શૈક્ષણિક તેમજ સામાજિક ર્દષ્ટિએ પણ અપૂર્વ કહી શકાય તેવું છે. લેખકે પોતાના દોષોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી, ઊલટાનું પોતાના એકેએક દોષનું બયાન કર્યું છે. અન્ય લોકો વિશે પણ…

વધુ વાંચો >

જીવનનો આનંદ (1936)

Jan 26, 1996

જીવનનો આનંદ (1936) : કાકા કાલેલકર (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 1885–1952)ના કુદરત અને કલાવિષયક લેખોનો સંગ્રહ. કુદરત અને કલા વિશેની કાકાસાહેબની સૂક્ષ્મ ર્દષ્ટિનો તથા એમની સર્જકપ્રતિભાનો આહલાદક પરિચય આ સંગ્રહમાં થાય છે. નાનપણથી જ એમને પ્રકૃતિ જોડે ઘેરો આત્મીયભાવ જાગેલો. પ્રકૃતિને એમણે જડ નહિ, પણ ચૈતન્યસભર માની છે. નદી, સાગર, સરોવર,…

વધુ વાંચો >

જીવનપલટો (1948)

Jan 26, 1996

જીવનપલટો (1948) : વેન્ગાર્ડ પિક્ચર્સનું પ્રથમ ગુજરાતી ચિત્રપટ. નિર્માણ : જયંતીલાલ સંઘવી, દિગ્દર્શન : હીરાલાલ ડૉક્ટર તથા અમૃતલાલ ઠાકર, કથાનક : હીરાલાલ ડૉક્ટર તથા જયંતીલાલ સંઘવી, પટકથા : હીરાલાલ ડૉક્ટર, સંગીત : અવિનાશ વ્યાસ, ગીતકાર : અવિનાશ વ્યાસ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પં. સ્વરૂપ વ્યાસ, પં. બાલમ. પ્રમુખ કલાકારો : નિરૂપા રૉય,…

વધુ વાંચો >

જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) :

Jan 26, 1996

જીવનરક્ષક પ્રણાલી (અંતરિક્ષ) : જુઓ ‘અંતરિક્ષ અન્વેષણો’ (‘અંતરિક્ષમાં માનવયુક્ત કાર્યક્રમો’).

વધુ વાંચો >

જીવનવીમા નિગમ

Jan 26, 1996

જીવનવીમા નિગમ : ભારતમાં જીવનવીમા ઉદ્યોગમાં જાહેર ક્ષેત્રની એકમાત્ર સ્વાયત્ત સંસ્થા. 18 જૂન, 1956ના રોજ સંસદે પસાર કરેલો કાયદો 1 જુલાઈ, 1956થી અમલમાં આવ્યો અને 1 સપ્ટેમ્બર, 1956થી જીવનવીમા નિગમ અસ્તિત્વમાં આવ્યું. વીમા-ઉદ્યોગ 245 પેઢીઓ રૂપે ખાનગી ક્ષેત્રમાં હતો તે એક નિગમ રૂપે જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. નિગમ જાહેર ક્ષેત્રમાં…

વધુ વાંચો >