જીવન ચહચિટા (1957) : સિંધી એકાંકીસંગ્રહ. રચયિતા પ્રા. મંઘારામ મલકાણી (1896–1980). તે સિંધી ભાષામાં એકાંકીના પિતામહ ગણાય છે. તેમના 7 એકાંકીસંગ્રહો પ્રગટ થયા છે.

1957માં પ્રકાશિત ‘જીવન ચહચિટા’માં તેમણે સામાજિક દૂષણોનો પ્રતિકાર કરતાં જીવનનાં સાંપ્રત નવ-મૂલ્યો માટે સુધારણાનો સંદેશો આપ્યો છે. રાષ્ટ્રીય ભાવનાને લગતા પણ તેમના વિષયો રહ્યા છે. નાટ્યશિલ્પની ર્દષ્ટિએ તેમનાં આ એકાંકીઓ સુર્દઢ તથા વિષયની ર્દષ્ટિએ સશક્ત બની રહેલ છે.

જયંત રેલવાણી