૭.૦૭

ચાંદપગોથી ચિનાઈ માટી

ચાંદપગો

ચાંદપગો : કપાસમાં ફૂગથી થતો અને સૂકા સડાના નામથી પણ ઓળખાતો રોગ. આ રોગ મુખ્યત્વે 10થી 12 અઠવાડિયાંના છોડ ઉપર આક્રમણ કરે છે તેથી કેટલીક વાર ફરીથી વાવણી કરવી પડે છે. આ રોગનું ખાસ લક્ષણ એ છે કે અસરગ્રસ્ત છોડ આડો પડી જતો નથી તેમજ રોગિષ્ઠ ભાગ પાણીપોચો હોતો નથી.…

વધુ વાંચો >

ચાંદબીબી

ચાંદબીબી (જ. 1547, લખનૌ; અ. જુલાઈ 1600, અહમદનગર) : દક્ષિણ હિંદના અહમદનગર રાજ્યની શૂરવીર, ર્દઢ મનોબળવાળી અને શક્તિશાળી સ્ત્રીશાસક. અહમદનગર રાજ્યના શાસક હુસેન નિઝામશાહની પુત્રી અને સુલતાન મુઝફ્ફરશાહની ફોઈ. એક કાર્યક્ષમ અને પરાક્રમી સ્ત્રી તરીકે તેણે વિજાપુરના સુલતાન તેના પતિ અલી આદિલશાહને શાસન ચલાવવામાં અને યુદ્ધના સંચાલનમાં પણ મદદ કરી…

વધુ વાંચો >

ચાંદ સોદાગર

ચાંદ સોદાગર : બંગાળી મંગલકાવ્યોમાં નિરૂપિત લોકકથાનું પાત્ર. લોકજીવન અને લોકધર્મ પર આધારિત અનેક દેવદેવીઓ વિશે બંગાળીમાં મંગલકાવ્યો રચાયાં છે. આ કાવ્યોમાં આવતી ચાંદ સોદાગર અને લખિન્દર-બેહુલાની કથા ત્યાંના જનજીવનમાં વણાઈ ગઈ છે. મનસાદેવી એ સર્પદેવતા છે. ‘મનસામંગલ’માં મનસાદેવીના માહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. મનસા વિશે લખાયેલાં કાવ્યો ‘મનસાવિજય’, ‘મનસામંગલ’,…

વધુ વાંચો >

ચાંદી (ખનિજ)

ચાંદી (ખનિજ) : રા. બં. : Ag.; સ્ફ. વ. : ક્યૂબિક; સ્ફ. સ્વ. : ક્યૂબ; ઑક્ટહીડ્રન કે ડોડેકહીડ્રન રૂપ; સ્ફટિક લાંબા, જાળાકાર અથવા જાડા કે પાતળા તાર, ક્યારેક જથ્થામય, ક્યારેક જાડા પડ રૂપે, આવરણ રૂપે કે ભીંગડા રૂપે. સં. : અભાવ; ભં. સ. : તીક્ષ્ણ ખાંચાખૂંચીવાળી; ચ. : ધાતુમય; રં.…

વધુ વાંચો >

ચાંદી

ચાંદી : જુઓ સિલ્વર

વધુ વાંચો >

ચાંદી ચલણ

ચાંદી ચલણ : જુઓ ચલણ

વધુ વાંચો >

ચાંદી ધોરણ

ચાંદી ધોરણ : જુઓ ચલણ

વધુ વાંચો >

ચાંદોદ

ચાંદોદ : વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા અને ઓરસંગ નદીના સંગમસ્થાન ઉપર આવેલું પ્રસિદ્ધ તીર્થધામ. તે ડભોઈથી દક્ષિણે 21 કિમી. દૂર 21° – 59’ ઉ. અ. અને 73° – 27’ પૂ. રે. ઉપર ડભોઈ–ચાંદોદ નૅરોગેજ રેલવેનું સ્ટેશન હતું. તેનું પ્રાચીન નામ ચંડીપુર છે. તે ચાણોદ નામથી પણ ઓળખાય છે. આ…

વધુ વાંચો >

ચાંદ્ર આંદોલન (libration)

ચાંદ્ર આંદોલન (libration) : ચંદ્રની કક્ષીય ગતિઓમાં પૃથ્વી ઉપરથી દેખાતી આભાસી અને વાસ્તવિક અનિયમિતતાઓને કારણે ઉદભવતી ઘટના. ચંદ્રનો પૃથ્વીની તરફ રહેતો ભાગ હંમેશાં અવિચળ રહે છે અને એકીસમયે ચંદ્રસપાટીનો 50 % ભાગ જ જોઈ શકાય છે. તેમ છતાં ઉપર કહેલી અનિયમિતતાઓને કારણે, સમયાંતરે લીધેલાં ચંદ્ર-અવલોકનોને એકત્રિત કરતાં ચંદ્રસપાટીનો લગભગ 57…

વધુ વાંચો >

ચાંદ્ર પક્ષાર્ધ

ચાંદ્ર પક્ષાર્ધ : જુઓ ક્ષેત્રકલન

વધુ વાંચો >

ચિત્રદર્શનો

Jan 7, 1996

ચિત્રદર્શનો (1921, પ્રથમ આવૃત્તિ) : ગુજરાતી કવિ ન્હાનાલાલ દલપતરામે વિવિધ પ્રસંગોએ આલેખેલાં ઓગણીસ શબ્દચિત્રોનો લેખસંગ્રહ. અત્યાર સુધીમાં તેની અનેક આવૃત્તિઓ અને પુનર્મુદ્રણો થયાં છે. આ શબ્દચિત્રોમાં કેટલાંક ઐતિહાસિક, કેટલાંક કાલ્પનિક, કેટલાંક મનુષ્યરત્નોનાં, કેટલાંક પ્રસંગનાં અને કુદરત કે કલાની વિશેષતાનાં પણ છે. સચ્ચાઈ અને વિવેક વિશે પણ કવિ સભાન છે. લોકોત્તર…

વધુ વાંચો >

ચિત્રદુર્ગ

Jan 7, 1996

ચિત્રદુર્ગ : કર્ણાટક રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 14° 14’ ઉ. અ. અને 76° 24’ પૂ.રે.. તેનો કુલ વિસ્તાર 8,440 ચોકિમી. તથા તેની વસ્તી 16,60,378 (2011) છે. ચિત્રદુર્ગનગર એ તેનું વહીવટી મથક છે. જિલ્લો રાજ્યના પૂર્વભાગમાં આવેલો છે. તેની ઉત્તરે રાજ્યનો બેલ્લારી, પશ્ચિમે શિમોગા અને હાવેરી, નૈર્ઋત્યે ચિકમગલુર, દક્ષિણે અને…

વધુ વાંચો >

ચિત્રબંધ

Jan 7, 1996

ચિત્રબંધ : ચિત્રની આકૃતિમાં ચાતુરીથી ગોઠવેલા અક્ષરોવાળી પદ્યરચના. યુક્તિપૂર્વક વાંચવાથી જ તે સમજી શકાય. ત્રિશૂળ, કદલી, સ્વસ્તિક, પદ્મ, રથ, ગજ, ધનુષ્ય, અશ્વ વગેરે પરિચિત વસ્તુઓની રૂપરેખા દોરીને તેમાં કાવ્યરચનાના અક્ષરો વિશિષ્ટ રીતે લખેલા હોય તેવી રચનાને વસ્તુના નામ સાથે બંધ કે પદબંધ શબ્દ જોડીને નામ અપાતું. દા.ત., ત્રિશૂળબંધ, સ્વસ્તિક પદબંધ,…

વધુ વાંચો >

ચિત્રમીમાંસા

Jan 7, 1996

ચિત્રમીમાંસા : સંસ્કૃત વૈયાકરણ અને આલંકારિક અપ્પય દીક્ષિતકૃત પ્રૌઢ પરંતુ અપૂર્ણ અલંકારગ્રંથ. ચિત્રકાવ્યના સંદર્ભે અર્થચિત્રની અંતર્ગત, રુય્યકની પ્રણાલીને મહદંશે અનુસરતા ઉપમા, ઉપમેયોપમા, અનન્વય, સ્મરણ, રૂપક, પરિણામ, સંદેહ, ભ્રાન્તિમાન્, ઉલ્લેખ, અપહનુતિ, ઉત્પ્રેક્ષા તથા અતિશયોક્તિ એમ 12 અર્થાલંકારોનું વિસ્તૃત, ક્યારેક નવ્ય ન્યાયની શૈલી મુજબનું અને નવીન ઉદભાવનાઓ અને અભિગમોથી યુક્ત નિરૂપણ તેમાં…

વધુ વાંચો >

ચિત્રલેખા (1934)

Jan 7, 1996

ચિત્રલેખા (1934) : હિંદીના પ્રસિદ્ધ નવલકથાકાર ભગવતીચરણ વર્માની વિચારપ્રધાન તથા સમસ્યામૂલક નવલકથા. લેખક તેને ચરિત્રપ્રધાન રચના કહે છે. આ નવલકથા મુખ્યત્વે ત્રણ ભાગોમાં વિભાજિત છે : (1) ઉપક્રમ, (2) મધ્યભાગ અને (3) ઉપસંહાર. પ્રથમ ભાગમાં વિષયવસ્તુની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે અને તે દ્વારા નવલકથામાં ગૂંથેલા પ્રશ્નનું નિરૂપણ છે. મધ્યભાગમાં…

વધુ વાંચો >

ચિત્રલેખા

Jan 7, 1996

ચિત્રલેખા : ગુજરાતી સાપ્તાહિક પત્ર. સિનેપટકથા અને નવલકથાલેખક વજુ કોટકે માત્ર 10,101 નકલોના ફેલાવા સાથે મુંબઈથી 1950ની 22મી એપ્રિલે શરૂ કરેલું. 1970માં 22,500, 1975માં 1,40,000 પરથી 1982માં 2,00,000 અને 1990માં 3,25,000 ઉપરના ફેલાવાને આંબી જનાર આ સાપ્તાહિક એક પોતે જ ઊભા કરેલા મૌલિક સ્વરૂપના સામગ્રી-સમુચ્ચયનું સામયિક છે. વૈવિધ્યપૂર્ણ માહિતીલેખો, ધારાવાહી…

વધુ વાંચો >

ચિત્રલોક

Jan 7, 1996

ચિત્રલોક : ગુજરાતી ફિલ્મ સાપ્તાહિક. અમદાવાદના અગ્રણી દૈનિક ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન આ સાપ્તાહિકનું પ્રકાશન 1952ની 26મી જાન્યુઆરીથી શરૂ થયું હતું. તેનું પ્રકાશન આરંભાયું ત્યારે મુંબઈમાંથી બે-ત્રણ ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થતાં હતાં. પરંતુ ગુજરાતમાંથી દૈનિકપત્રના કદમાં, દૈનિક પત્રોની શૈલીએ મથાળાં તથા માહિતીની રજૂઆત સાથે પ્રગટ થનાર સૌપ્રથમ ફિલ્મ સાપ્તાહિક ‘ચિત્રલોક’…

વધુ વાંચો >

ચિત્રે દિલીપ પુરુષોત્તમ

Jan 7, 1996

ચિત્રે દિલીપ પુરુષોત્તમ (જ. 17 સપ્ટેમ્બર 1938, વડોદરા; અ. 10 ડિસેમ્બર 2009, પુણે) : મરાઠી તથા અંગ્રેજીના પ્રસિદ્ધ કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, નાટ્યકાર અને ફિલ્મકાર. તેમના પિતા પુરુષોત્તમ ચિત્રે વડોદરાથી ‘અભિરુચિ’ નામથી મરાઠીમાં એક સામયિક ચલાવતા હતા. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. પછી 1951માં કુટુંબ…

વધુ વાંચો >

ચિદમ્બરમ્

Jan 7, 1996

ચિદમ્બરમ્ : લોકપ્રિય મલયાલમ રંગીન ચલચિત્ર (1985). દિગ્દર્શક : જી. અરવિંદન; છબીકલા : શાજી; સંગીત : દેવરાજન; કલાકારો : સ્મિતા પાટિલ, ગોપી, શ્રીનિવાસન, મોહનદાસ. આ ચલચિત્રના સર્જક છે વ્યંગચિત્રકાર, સંગીતજ્ઞ અને સાહિત્યસર્જક જી. અરવિંદન, જેમને વિવેચકો દક્ષિણ ભારતના સત્યજિત રે તરીકે સંબોધતા. ચિદમ્બરમ્ ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્રો છે, તેમની આસપાસ…

વધુ વાંચો >

ચિદમ્બરમ્

Jan 7, 1996

ચિદમ્બરમ્ : તામિલનાડુ રાજ્યના આર્કોટ જિલ્લાની દક્ષિણમાં, ચેન્નાઈ શહેરની નૈર્ઋત્ય દિશામાં 196 કિમી.ના અંતરે આવેલું પ્રસિદ્ધ પ્રાચીન તીર્થધામ. તે તિલ્લઈ, તિરુપાદિરિપ્યુલિયૂર, પુંડિકપુરમ્, વ્યાઘ્રપુરમ્, તિરુચિરંબલમ્ જેવાં વિવિધ નામોથી પણ ઓળખાય છે. દક્ષિણ રેલવેનું તે મહત્વનું મથક છે. નગરની પડખેથી કોળ્ળામ નદી વહે છે. આ શહેર વિશ્વવિખ્યાત પ્રાચીન હિંદુ નટરાજના મંદિર માટે…

વધુ વાંચો >