૬(૧).૨૨

ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી મદ્રાસ (ચેન્નાઈ)થી ગાઝા

ગંઠવા કૃમિ

ગંઠવા કૃમિ : પાકોનાં મૂળમાં થતા કૃમિ. મૂળમાં પ્રવેશ કર્યા પછી તેમાં તેની વૃદ્ધિ થાય છે. કૃમિ અને વનસ્પતિ કોષો વચ્ચે ઘર્ષણ થતાં આવા આક્રમણનો ભોગ બનેલા કોષોની વિશેષ વૃદ્ધિ થાય છે, જેને રાક્ષસી કોષ તરીકે ઓળખવામાં આવે છે. ગંઠવા કૃમિનો રોગ મુખ્યત્વે Meloidogyne પ્રજાતિના પરોપજીવી કૃમિઓથી થાય છે. તે…

વધુ વાંચો >

ગંડક

ગંડક : મધ્ય હિમાલયના 7,600 મીટર ઊંચા તિબેટના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી ગંગાની સહાયક નદી. કાલીગંડક સાથે તેની લંબાઈ 675 કિમી. છે પણ કુલ લંબાઈ 765 કિમી. છે. બુરહી-ગંડક નદી તેની સમાંતરે જૂના પટમાં વહીને ગંગાને મળે છે. ગંડક નદીને ત્રિશૂલા નદી મળ્યા પછી તેનો પ્રવાહ ત્રિશૂલીગંગા તરીકે ઓળખાય છે. ગંડકનારાયણી અને…

વધુ વાંચો >

ગંધ

ગંધ : રાસાયણિક ઉત્તેજકોની અસર હેઠળ પર્યાવરણનો પરિચય કરાવતું એક અગત્યનું સંવેદન. ખોરાક-પ્રાપ્તિ, ભક્ષકો સામે રક્ષણ, અન્ય પ્રાણીઓ સાથેનો સંપર્ક, સામાજિક જીવનાચરણ, દિગ્સ્થાપન (orientation), સાથી સાથે સહજીવન ઇત્યાદિ અનેક રોજિંદા વ્યવહારમાં ગંધની શક્તિ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. હવા દ્વારા ખોરાકની સોડમનો ફેલાવો થવાથી પ્રાણી ખોરાક પ્રત્યે આકર્ષાય છે. ભક્ષક…

વધુ વાંચો >

ગંધક

ગંધક : જુઓ સલ્ફર.

વધુ વાંચો >

ગંધક (ભૂસ્તર)

ગંધક (ભૂસ્તર) : રા. બં. : S; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્વ. : પિરામિડથી બંધાયેલા સ્ફટિક, જથ્થામય કે પોપડી સ્વરૂપ; રં. : પીળો, પરંતુ કેટલીક વખતે લાલાશ કે લીલાશ પડતો; સં. : પ્રિઝમ અને પિરામિડને સમાંતર; ચ. : રાળ જેવો; ચૂ. : પીળો; ક. : 1.5થી 2.5; વિ. ઘ. :…

વધુ વાંચો >

ગંધક જીવાણુઓ

ગંધક જીવાણુઓ (sulphur bacteria) : ગંધક અને ગંધકયુક્ત સંયોજનો પર પ્રતિક્રિયા કરવાની ક્ષમતા ધરાવતા જીવાણુઓના વિવિધ પ્રકારોનો સમૂહ. કુદરતમાં ગંધક ચક્ર (sulphur cycle) માટે તે અગત્યના છે. પ્રોટીન તેમજ કોષમાંના વિવિધ એમીનો ઍસિડ જેવા કે સિસ્ટીન, સિસ્ટેઇન, મેથિઓનિન અને વિટામિન ‘બી’માં ગંધક રહેલો હોય છે. જીવાણુઓ દ્વારા તેમનું વિઘટન થતાં…

વધુ વાંચો >

ગંધર્વ

ગંધર્વ : ગાનકુશલ, રૂપસુંદર અને વિલાસી દેવયોનિ. તે દેવોના અંશમાંથી જન્મેલા અર્ધદેવ છે. गन्धं अर्वीत प्राप्नोति अयम् गन्ध + अर्व् + (कर्मणि) अण् — ગંધને અનુસરનાર, ગંધને પકડી પાડનાર, તે गंधर्व. રશ્મિધારી સૂર્ય, જલધારી સૂર્ય, સૂર્યપ્રકાશથી થતો દિવસ. (રાત્રિને गन्धर्वी કહી છે.) સોમવલ્લી કે તેની અધિષ્ઠાત્રી દેવતા, સંગીતના ગન્ધ(સ્વર)ને અનુસરનાર…

વધુ વાંચો >

ગંધાર

ગંધાર : ભારતનો પુરાણ-પ્રસિદ્ધ પ્રદેશ. ઐતરેય આરણ્યક(7.34)માં ‘ગંધાર’ પ્રદેશના રાજા નગ્નજિત્નો ઉલ્લેખ થયેલો છે. શતપથ બ્રાહ્મણ(8.1.4.10)માં એ અથવા તો એનો કોઈ વંશજ સ્વર્જિત્ નાગ્નજિત કે નગ્નજિત્ ઉલ્લિખિત થયેલો છે. ઋગ્વેદ(1.126.7)માં ભારતીય ઉપખંડના નૈર્ઋત્યકોણની પ્રજાને માટે ‘ગંધારી’ શબ્દ જોવા મળે છે. ગંધારીઓનાં ઘેટાંઓનું ઊન ત્યાં પ્રશંસિત થયેલું છે. ગંધારીઓનો ઉલ્લેખ અથર્વવેદ(5.22.14)માં…

વધુ વાંચો >

ગંધાર (ગુજરાત)

ગંધાર (ગુજરાત) : મધ્યકાલીન બંદર તથા તેલક્ષેત્રને કારણે જાણીતું બનેલ સ્થળ. ભૌગોલિક સ્થાન : 21° 42’ ઉ. અ. અને 72° 58’ પૂ. રે.. તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ઢાઢર નદી ઉપર ખંભાતના અખાતના કિનારાથી 6 કિમી., ભરૂચથી 54 કિમી. અને વાગરાથી 18 કિમી. દૂર છે. અહીં મહાવીર સ્વામી તથા પાર્શ્વનાથનાં…

વધુ વાંચો >

ગંભીર ઈજા

ગંભીર ઈજા (grievous hurt) : શરીરના અંગ કે ઉપાંગને કાયમી કે જોખમી ઈજા. ઇન્ડિયન પીનલ કોડ(IPC)ની 319ની કલમ પ્રમાણે શારીરિક દુખાવો, રોગ કે માંદગી (infirmity) થાય તેવી ક્રિયાને ઈજા (hurt) કહે છે. IPC 320, 322 અને 325માં ગંભીર ઈજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. (જુઓ સારણી) સારણી : ગંભીર ઈજાઓ 1.…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ)

Jan 22, 1994

ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઍન્ડ નૅશનલ ગૅલરી, મદ્રાસ (ચેન્નાઈ) : રાષ્ટ્રીય ખ્યાતિ પામેલું ચેન્નાઈનું વિશાળ મ્યુઝિયમ. 1851માં આ મ્યુઝિયમની સ્થાપના થઈ. 1828થી ચેન્નાઈની લિટરરી સોસાયટીએ ચેન્નાઈમાં ભૂસ્તરશાસ્ત્રનું મ્યુઝિયમ રચવાની શરૂઆત કરેલી અને 1850માં ગ્રીન બેલ્ફેરનાં ખંતભર્યાં સાથ-સંભાળથી ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની કૉલેજમાં આ મ્યુઝિયમ શરૂ થયું. મ્યુઝિયમની સ્થાપના સમયે 19,830 નમૂના એકઠા થયા…

વધુ વાંચો >

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ)

Jan 22, 1994

ગવર્નમેન્ટ મ્યુઝિયમ, મથુરા (ઉત્તરપ્રદેશ) (સ્થાપના : 1874) : પ્રારંભમાં કર્ઝન મ્યુઝિયમ ઑવ્ આર્કિયૉલૉજી તરીકે ઓળખાતું મ્યુઝિયમ. 1912માં ઉત્તરપ્રદેશની સરકારે તેનો વહીવટ સંભાળ્યો તે પછી 1930માં તેની તમામ શિલ્પકૃતિઓ તથા કલાસંગ્રહ નવા મકાનમાં ખસેડવામાં આવ્યાં હતાં. તે પહેલાં તેમાંની ઉત્તમ શિલ્પકૃતિઓ ઇન્ડિયન મ્યુઝિયમ, કૉલકાતામાં; લખનૌના મ્યુઝિયમમાં અને બ્રિટિશ મ્યુઝિયમ, લંડન જેવાં…

વધુ વાંચો >

ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ

Jan 22, 1994

ગવર્નર-જનરલ ઇન કાઉન્સિલ (1773) : ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં કેન્દ્રીકરણ સ્થાપવા માટે અમલમાં આવેલી વ્યવસ્થા. ઈ. સ. 1599માં લંડનના કેટલાક વ્યાપારીઓએ પૂર્વના દેશો સાથે વ્યાપાર કરવા એક કંપની સ્થાપવા નિર્ણય કર્યો અને ઈ. સ. 1600ના ડિસેમ્બરની 31 તારીખે ઇંગ્લૅન્ડની રાણી ઇલિઝાબેથે તેમને પૂર્વના દેશો અને હિંદુસ્તાન સાથે વ્યાપાર કરવાનો પરવાનો…

વધુ વાંચો >

ગવસ, રાજન ગણપતિ

Jan 22, 1994

ગવસ, રાજન ગણપતિ (જ. 1 જૂન 1959, અટયાલ, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘તણકટ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ., એમ.એડ્. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ હિંદી તથા અંગ્રેજી ભાષાની સારી જાણકારી ધરાવે છે. 1982થી તેમણે લેખનપ્રવૃત્તિ…

વધુ વાંચો >

ગવામયન

Jan 22, 1994

ગવામયન : જુઓ યજ્ઞ.

વધુ વાંચો >

ગવૈયા, પૂરણચંદ્ર

Jan 22, 1994

ગવૈયા, પૂરણચંદ્ર (જ. 12 જુલાઈ 1929, હરિયાણા; અ. 29 ડિસેમ્બર 1991, અમદાવાદ) : મેવાતી ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર. જન્મ જાણીતા ગાયક કુટુંબમાં. પિતા પંડિત જ્યોતિરામજી મેવાતી ઘરાનાના ઉચ્ચ કોટિના ગાયક હતા. તેથી પૂરણચંદ્રજી પણ તે જ ઘરાનાના ગાયક ગણાતા. બાળપણથી તેમનામાં સારા ગાયક કલાકારનાં લક્ષણો દેખાયાં હતાં. શરૂઆતમાં તેમને શાસ્ત્રીય સંગીતની…

વધુ વાંચો >

ગવ્વાસી (મુલ્લાં)

Jan 22, 1994

ગવ્વાસી (મુલ્લાં) : સોળમી સદીનો ગોલકોંડા રાજ્યનો દરબારી કવિ. સોળમી શતાબ્દીના આરંભમાં દક્ષિણ ભારતમાં બહમની શાસનના પતનમાંથી જે પાંચ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં તેમાં ગોલકોંડા (કુતુબશાહી) અને બિજાપુર (આદિલશાહી) રાજ્યોએ સાહિત્યકળા અને સ્થાપત્યના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ગોલકોંડાના શાસકો મોહંમદ કુલી કુતુબશાહ, મોહંમદ કુતુબશાહ તેમજ અબ્દુલ્લા કુતુબશાહ પોતે સારા કવિઓ…

વધુ વાંચો >

ગળજીભી

Jan 22, 1994

ગળજીભી : આયુર્વેદિક વનસ્પતિ. સં. खरपर्णी, गोजिहवा; હિં. गोजिया, तितली; મ. गोजीम, पाथरी; ગુ. ગળજીભી, ભોંપાથરી; ફા. કલમરૂમી; ક. યલુન લગે; લૅ. Elephantopas scaber Linn. આ વનસ્પતિ ગુજરાત અને ભારતમાં સર્વત્ર ખડકાળ, પડતર, ભીની અને છાંયાવાળી જમીનમાં ભોંયસરસા થતા છોડ જેવી હોય છે. તેનાં પાન ગાયની જીભ જેવા આકારનાં, મૂળમાંથી…

વધુ વાંચો >

ગળતેશ્વર (1)

Jan 22, 1994

ગળતેશ્વર (1) : ગુજરાત રાજ્યમાં સરનાલ (તા. ઠાસરા, જિ. ખેડા) ગામની સીમમાં ગામથી લગભગ દોઢ કિમી. દૂર ગલતી નદી અને મહીસાગરના સંગમસ્થાને આવેલું મહાદેવનું પ્રાચીન મંદિર. કહેવાય છે કે આ સ્થાને પ્રાચીન કાળમાં ગાલવ ઋષિનો આશ્રમ હતો. આ મંદિર પુરાતત્વખાતાનું રક્ષિત સ્મારક છે. ચાલુક્યકાળમાં લગભગ દશમી સદીમાં બંધાયેલ આ શિવાલયની…

વધુ વાંચો >

ગળતેશ્વર (2)

Jan 22, 1994

ગળતેશ્વર (2) : ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજથી 4 કિમી. દૂર ગલસેરા ગામે સાબરમતીના કિનારે આવેલું મંદિર. અહીં શંકરનું મંદિર છે. સાબરકાંઠા ગૅઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે જોવા મળતા ગોળ લિંગને બદલે અહીં ચોરસ લિંગ છે. આ તેની વિશિષ્ટતા છે. હાલ અહીં લિંગના સ્થળે ખાડો છે અને તેની…

વધુ વાંચો >